(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.14 : ભારત સરકારના પ્રવાસન મંત્રાલય દ્વારા આદેશ હેઠળ સંઘપ્રદેશ ટુરીઝમ વિભાગ દ્વારા દાદરા નગર હવેલીના દૂધની સ્થિત સરકારી શાળામાં વારલી પેઈન્ટિંગ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ‘સેફગાર્ડીંગ કલ્ચર એન્ડ ટ્રેડિશનલ’ વિષય હેઠળ વિશ્વ પ્રવાસન દિવસ પર્યટન અને ગ્રીન ઇન્વેસ્ટમેન્ટ અનુરૂપ જીવન પ્રવૃત્તિ માટે મુસાફરી અને કુદરતના તત્ત્વોને મોટાભાગે ફોકસમાં રાખવામાં આવ્યું હતું.
આ કાર્યશાળામાં વિવિધ શાળાના 50 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાંથી શ્રેષ્ઠ ત્રણ આર્ટ વર્કનીપસંદગી કરી ટુરીઝમ વિભાગના મેનેજર અને શાળાના આચાર્યશ્રી દ્વારા ઇન્ક્રેડિબલ ઇન્ડિયા સોવેનિયર્સથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યશાળાનું સંચાલન દાનહના વારલી પેઈન્ટિંગ કલાકાર શ્રી ચંદ્રકાન્ત માહલા દ્વારા કરવામાં આવ્યું હતું. આ અવસરે દાનહ ટુરીઝમ વિભાગના અધિકારી, શાળાના આચાર્ય અને શિક્ષકો સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.