(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ તા.19
કલ્પસર અને મત્સ્યોદ્યોગ (સ્વતંત્ર હવાલો) નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી જીતુભાઈ ચૌધરી તા.20/5/2022ના રોજ સવારે 10-00 કલાકે પાલોદ, જિ.સુરત ખાતે પાણી પુરવઠા યોજનાના લોકાર્પણ કાર્યક્રમમાં તેમજ બપોરે 3-00 કલાકે વનરાજ કોલેજ બામટી ખાતે હોસ્ટેલ અને કોમ્યુનીટી હોલના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં હાજરી આપી કાર્યક્રમ પૂર્ણ થયે અનુラકૂળતાએ મત વિસ્તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. તા.21/5/22ના રોજ સાંજે 5-00 કલાકે ગાંધી મેદાન વાંસદા ખાતે યોજાનારા આદિજાતિ મહોત્સવમાં હાજરી આપશે. તા.22/5/22ના રોજ સવારે 11-00 કલાકે ગોઇમા સ્વામીનારાયણ મંદિર પાસે યોજાનારી ટીફીન બેઠકમાં હાજરી આપશે અને સાંજે 4-00 કલાકે વાપીથી કર્ણાવતી એક્ષપ્રેસ દ્વારા અમદાવાદ જવા રવાના થશે.
Previous post