March 4, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દિલ્‍હીના મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલની સરકાર આજે કટ્ટર બેઈમાન તરીકે સાબિત થઈ છેઃ કેન્‍દ્રિય માહિતી પ્રસારણ અને ખેલમંત્રી અનુરાગ ઠાકુર : દીવ ખાતે પત્રકારો સાથે કરેલી વાતચીત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.04 : દીવ ખાતે પત્રકારો સાથે વાત કરતાં કેન્‍દ્રિય માહિતી પ્રસારણ અને ખેલ મંત્રી શ્રી અનુરાગ ઠાકુરે જણાવ્‍યું હતું કે, રાજનીતિમાં આવવા પહેલાં દિલ્‍હીના મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલ ઈમાનદારીની મોટી મોટી વાતો કરતા હતા. પરંતુ આજે કટ્ટર બેઈમાન તરીકે તેઓ અને તેમની સરકાર સાબિત થઈ છે. તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે, અરવિંદ કેજરીવાલે જેમને જેમને પ્રમાણિકતાના સર્ટીફિકેટ આપ્‍યા તે તમામને કોર્ટમાંથી જામીન મળ્‍યા નથી અને શ્રીમાન અરવિંદ કેજરીવાલનો પણ ભ્રષ્‍ટાચારમાં તેમના ઉપ મુખ્‍યમંત્રી મનિષ સિસોદિયા, સાંસદ સંજય સિંહ જેટલો જ હાથ છે. હવે દિલ્‍હીમાં આપ સરકારના નવા નવા ભ્રષ્‍ટાચારો સામે આવી રહ્યા છે. બનાવટી દવા, બનાવટીતપાસ મુખ્‍ય છે. એટલે કે, દવા પણ નકલી અને તપાસ પણ નકલી. તેથી મોટા ગોટાળાની ગંધ ફરી આવી રહી છે.

Related posts

દમણમાં ‘ખેલો ઈન્‍ડિયા યુથ ગેમ્‍સ-2022’માં ભાગ લેવા માટે અંડર 19 ફૂટબોલ ગર્લ્‍સ ટીમની પસંદગી પ્રક્રિયા પૂર્ણ થઈ

vartmanpravah

વાપીમાં ભાજપ પ્રદેશ ચૂંટણી અધિકારીઓની ઉપસ્‍થિતિમાં કાર્યશાળા યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં ખેલ મહાકુંભ અંતર્ગત તાલુકા/ જિલ્લાકક્ષાની સ્‍પર્ધાઓ યોજાશે

vartmanpravah

દીવ ન.પા.માં ભાજપની ટિકિટ માટે લાગેલી હોડઃ દમણ અને સેલવાસથી વિપરીત પક્ષના હોદ્દેદારોને ટિકિટ નહીં આપવા લેવાયેલા નિર્ણય સામે કચવાટ

vartmanpravah

વલસાડ જિલ્લામાં નેશનલ હાઈવે પર લાઈટીંગ અને બ્લેકસ્પોટ મુદ્દે બેદરકાર NHAIને જિલ્લા મેજિસ્ટ્રેટે રૂ. ૭૫૦૦નો દંડ ફટકાર્યો

vartmanpravah

દમણમાં 09 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

Leave a Comment