April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટવલસાડ

ઉમરગામ તાલુકામાં અતિભારે વરસાદના કારણે ઠેરઠેર પાણી ભરાયા

નારગોલ અને દેહરી ખાતે તળાવમાં પાણીની સપાટી ભયજનક આવતા પાળ તોડવાની ફરજ પડીઃ નારગોલમાં વૃક્ષ પડતા એક ઘરને નુકસાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.14: રાજ્‍યભરમાં અતિવૃષ્ટિની અસર જોવા મળી રહી છે, ઉમરગામ તાલુકામાં પણ સતત બે દિવસથી વરસી રહેલા ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાવાની પરિસ્‍થિતિ સર્જાઈ છે. દેહરી અને નારગોલ ખાતેતળાવમાં પાણીનું વહેણ વધી જતા ઓવરફલો થવાની પરિસ્‍થિતિ સર્જાઈ હતી. અને તળાવની પાળ પાણીના ઓવરફલો ના કારણે તૂટી જાય તો નજીકમાં વસવાટ કરતા મોહલ્લામાં પાણીનો ભરાવા થવાની શકયતા સર્જવા પામી હતી. પરંતુ દેહરીના આગેવાન અને ઉપસરપંચ શ્રી ઉમેશભાઈ સોલંકી અને નારગોલ ના આગેવાન શ્રી યતિનભાઈ ભંડારી અને એમની ટીમે અગમચેતી પગલા રૂપે તળાવની પાળને તોડી પાણીનો ભરાવો ખાલી કરતા સામે દેખાઈ રહેલા ભયને દૂર કર્યો હતો. આ ઉપરાંત નારગોલ ગામના હોસ્‍ટેલ હાઈવે વિસ્‍તારમાં લલીતાબેન કુમુદભાઈ બારીયાના ઘર ઉપર સવારના દસેક કલાકના સમયે તોતિંગ વૃક્ષ પડતા ઘરને ભારે નુકસાન થવા પામ્‍યું હતું. ઘટનાની જાણ નારગોલ પંચાયતના સરપંચ શ્રીમતી સ્‍વીટીબેન ભંડારીને થતા ઘટના સ્‍થળે ઘસી જઈ ભોગ બનેલ પરિવારને મદદરૂપ થયા હતા.
ઉમરગામ ટાઉન વિસ્‍તારમાં પણ પાણીનો ભરાવો થતા વિકટ પરિસ્‍થિતિ સર્જાઈ હતી. બાંધકામ સમિતિના અધ્‍યક્ષ શ્રી અંકુશભાઈ કામળી તેમજ પૂર્વ પ્રમુખ જશુમતીબેન દાંડેકર અને શ્રીમતી વર્ષાબેન સુર્વેએ પાલિકાના વોર્ડ નંબર 4 અને 5 માં સ્‍થળ નિરીક્ષણ કરી પરિસ્‍થિતિનો તાગ મેળવ્‍યો હતો અને જે જગ્‍યા ઉપર પાણીનો ભરાવો થયો હોય અથવા જે પણ પરિવારને મદદની જરૂર પડી હોય ત્‍યાં મદદ રૂપથયા હતા.

Related posts

વલસાડ જિલ્લામાં નેશનલ હાઈવે પર લાઈટીંગ અને બ્લેકસ્પોટ મુદ્દે બેદરકાર NHAIને જિલ્લા મેજિસ્ટ્રેટે રૂ. ૭૫૦૦નો દંડ ફટકાર્યો

vartmanpravah

વલસાડ જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીમાં ફંડ મેળવવા માટે બોગસ સખી મંડળ ઉભુ કરી 6.30 લાખના ફંડની ઉચાપત કરનારા ત્રણના આગોતરા જામીન કોર્ટે ફગાવ્‍યા

vartmanpravah

વાપીની ડુપેન લેબોરેટરીઝ કંપની ફરી વિવાદોના ઘેરામાં: કામદારોના હિસાબ મામલે મેનેજમેન્‍ટના અખાડાનો આક્ષેપ

vartmanpravah

નરોલીમાં ચાલકે ડમ્‍પર રિવર્સ લેવા જતાં મોપેડ સવાર યુવતીને ટક્કર મારતા ગંભીર ઇજા

vartmanpravah

વાપી સલવાવમાં 4 ફેબ્રુઆરીએ લોક ગાયક ગીતા રબારીનો ભવ્‍ય લોક ડાયરો યોજાશે

vartmanpravah

વિવેકાનંદ સોશિયલ એન્‍ડ કલ્‍ચરલ ચેરીટેબલ ટ્રસ્‍ટ અને માઁ શારદા દેવી મહિલા પાંખ નવસારી દ્વારા મહિલાઓ માટે નિબંધ લેખન અને વકૃત્‍વ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

Leave a Comment