September 2, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દિલ્‍હીના મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલની સરકાર આજે કટ્ટર બેઈમાન તરીકે સાબિત થઈ છેઃ કેન્‍દ્રિય માહિતી પ્રસારણ અને ખેલમંત્રી અનુરાગ ઠાકુર : દીવ ખાતે પત્રકારો સાથે કરેલી વાતચીત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.04 : દીવ ખાતે પત્રકારો સાથે વાત કરતાં કેન્‍દ્રિય માહિતી પ્રસારણ અને ખેલ મંત્રી શ્રી અનુરાગ ઠાકુરે જણાવ્‍યું હતું કે, રાજનીતિમાં આવવા પહેલાં દિલ્‍હીના મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલ ઈમાનદારીની મોટી મોટી વાતો કરતા હતા. પરંતુ આજે કટ્ટર બેઈમાન તરીકે તેઓ અને તેમની સરકાર સાબિત થઈ છે. તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે, અરવિંદ કેજરીવાલે જેમને જેમને પ્રમાણિકતાના સર્ટીફિકેટ આપ્‍યા તે તમામને કોર્ટમાંથી જામીન મળ્‍યા નથી અને શ્રીમાન અરવિંદ કેજરીવાલનો પણ ભ્રષ્‍ટાચારમાં તેમના ઉપ મુખ્‍યમંત્રી મનિષ સિસોદિયા, સાંસદ સંજય સિંહ જેટલો જ હાથ છે. હવે દિલ્‍હીમાં આપ સરકારના નવા નવા ભ્રષ્‍ટાચારો સામે આવી રહ્યા છે. બનાવટી દવા, બનાવટીતપાસ મુખ્‍ય છે. એટલે કે, દવા પણ નકલી અને તપાસ પણ નકલી. તેથી મોટા ગોટાળાની ગંધ ફરી આવી રહી છે.

Related posts

ધમડાચી-વિજલપુર કેનેરા બેંકનો બ્રાન્‍ચ મેનેજર લોન પાસ કરી આપવા પેટા રૂા.20 હજારની લાંચ લેતા ઝડપાયો

vartmanpravah

વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદથી કેરી પાકની થયેલ તારાજી અંગે નુકશાન સર્વે પૂર્ણ કરાયો

vartmanpravah

વાપી રોફેલ કોલેજની વિદ્યાર્થીનીઓએ જાતે રાખડી બનાવી દેશના વીર જવાનોને મોકલી આપી

vartmanpravah

વર્ષ ૨૦૨૧-૨૨માં ભારતના દરિયાઈ ઉત્પાદનોની નિકાસ રૂ. ૫૭,૫૮૬.૪૮ કરોડના ઉચ્ચસ્તરે પહોંચી

vartmanpravah

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના ‘‘ફીટ ઇન્‍ડિયા” અભિયાન અંતર્ગત યુવા કાર્યક્રમ અને રમત-ગમત મંત્રાલયના દિશા-નિર્દેશ મુજબ સેલવાસમાં યોજાઈ સાયક્‍લોથોન

vartmanpravah

ખાનવેલ હાયર સેકન્‍ડરી સ્‍કૂલમાં અભ્‍યાસ કરતી દિવ્‍યાંગ દિકરી ધો.12ની પરીક્ષા માટે કરી રહી છે તૈયારી

vartmanpravah

Leave a Comment