(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ, તા.04 : દીવ ખાતે પત્રકારો સાથે વાત કરતાં કેન્દ્રિય માહિતી પ્રસારણ અને ખેલ મંત્રી શ્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, રાજનીતિમાં આવવા પહેલાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઈમાનદારીની મોટી મોટી વાતો કરતા હતા. પરંતુ આજે કટ્ટર બેઈમાન તરીકે તેઓ અને તેમની સરકાર સાબિત થઈ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અરવિંદ કેજરીવાલે જેમને જેમને પ્રમાણિકતાના સર્ટીફિકેટ આપ્યા તે તમામને કોર્ટમાંથી જામીન મળ્યા નથી અને શ્રીમાન અરવિંદ કેજરીવાલનો પણ ભ્રષ્ટાચારમાં તેમના ઉપ મુખ્યમંત્રી મનિષ સિસોદિયા, સાંસદ સંજય સિંહ જેટલો જ હાથ છે. હવે દિલ્હીમાં આપ સરકારના નવા નવા ભ્રષ્ટાચારો સામે આવી રહ્યા છે. બનાવટી દવા, બનાવટીતપાસ મુખ્ય છે. એટલે કે, દવા પણ નકલી અને તપાસ પણ નકલી. તેથી મોટા ગોટાળાની ગંધ ફરી આવી રહી છે.