Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં 21મી જાન્‍યુઆરીએ અયોધ્‍યા આનંદ ઉજવાશે : તિથલ કિનારે 51 હજાર દીવડા પ્રગટાવાશે

તા.22મીએ અયોધ્‍યામાં પ્રભુ શ્રીરામ પ્રતિમાની પ્રાણ પ્રતિષ્‍ઠાની પૂર્વ સંધ્‍યાએ ગૌરવવંતી ક્ષણોમાં બીજી દિવાળી ઉજવાશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07: 500 વર્ષની સંઘર્ષ પછી અયોધ્‍યામાં ભવ્‍ય રામ મંદિરનું નિર્માણ થયું છે. પ્રભુ શ્રીરામની પ્રતિમાની તા.22 જાન્‍યુઆરી 2024 રોજ રામજન્‍મ ભૂમિ અયોધ્‍યામાં પ્રાણ પ્રતિષ્‍ઠા થનાર છે. આ ગૌરવવંતી ક્ષણોની પૂર્વ સંધ્‍યાએ વલસાડ તિથલ દરિયા કિનારે તા.21ના રોજ વિવિધ હિંધુ સર્વ સમાજ દ્વારા 51,101 દીવડા પ્રગટાવી મહાઆરતી કરી બીજી દિવાળી ઉજવાશે તેમજ વર્લ્‍ડ રેકર્ડ સર્જાવાની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે.
વલસાડ હિંદુસેવા સંસ્‍થા અને સર્વ હિંદુ સમાજ દ્વારા તા.21-1-24 ના રોજ સાંજે 6:30 કલાકે તિથલ દરિયા કિનારે 51,101 દિવડા પ્રગટાવીને મહા આરતી યોજાશે. જેની માહિતી આપતા મુખ્‍ય આયોજક રતનસિંહ ચૌહાણે જણાવ્‍યું હતું કે, 500 વર્ષ પછી ફરી સોનેરી દિવસઆવી રહ્યો છે. જેનો મહિમા દિવાળી કરતા વિશેષ છે તે માટે હિંદુ સમાજ એક થયો છે. 51 હજાર દિવડા પ્રગટાવાના કાર્યક્રમમાં 50 થી વધુ સંસ્‍થાઓ જોડાનાર છે. તિથલ બીચના વોક વે ઉપર દિવડા પ્રગટાવાશે. મહિલાઓ દ્વારા રંગોળી ફુલહારનું ડેકોરેશન કરાશે તેમજ 15 હજાર ઉપરાંત ભાવિકો ઉપસ્‍થિત રહેશે. હિંદુ અગ્રણી બકુલ રાજગોરે જણાવ્‍યું છે કે, વલસાડ નવસારી જિલ્લાના લોકોને હાર્દિક જાહેર આમંત્રણ છે તેમજ રામલલાનો ઉત્‍સવ ધામધૂમથી ઉજવવાની અપીલ કરી હતી.

Related posts

દમણ જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગ દ્વારા આયોજીત દમણ જિલ્લા આંતર શાળા રમતગમત મહોત્‍સવમાં સરકારી પ્રાથમિક શાળા દાભેલ ચેમ્‍પિયન

vartmanpravah

વાપીમાં મંગળવારે આગના બે બનાવ : જીઆઈડીસી ફોર્ટીશેડ સ્‍થિત કંપનીમાં બ્‍લાસ્‍ટ સાથે ભિષણ આગ લાગી વિરાજ કેમિકલમાં સાંજના અચાનક બ્‍લાસ્‍ટ થયા બાદ

vartmanpravah

‘માટીને નમન, વીરોને વંદન’ કાર્યક્રમમાં દમણવાડા પંચાયત દ્વારા 1971 ભારત-પાકિસ્‍તાન યુદ્ધના લડવૈયા ફૌજી અમ્રતભાઈ રાઠોડનુંતેમના નિવાસ સ્‍થાને જઈ કરાયેલું સન્‍માન

vartmanpravah

દાનહ ભારત સ્‍કાઉટ્‍સ ગાઈડ ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ ટીમ ટ્રેનિંગ કેમ્‍પ માટે દાહોદ જવા રવાના: દાનહના ડેપ્‍યુટી કલેક્‍ટર ચાર્મી પારેખે પાઠવેલી શુભેચ્‍છાઓ

vartmanpravah

‘નશામુક્‍ત ભારત’ અભિયાનઅંતર્ગત સંઘપ્રદેશમાં માદક પદાર્થોના જોખમ વિરુદ્ધ લડાઈ માટે સેલવાસ ન.પા.ના સભાખંડમાં જાગૃતિ બેઠક યોજાઈ

vartmanpravah

સેલવાસ મામલતદારે માટી ખનન કરનાર સામે કરેલી લાલ આંખ

vartmanpravah

Leave a Comment