January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સિકલસેલ એનિમિયા નાબૂદી મિશનનો રાજ્ય કક્ષાનો કાર્યક્રમ તા. ૨૭ જૂને હરિયા પીએચસીમાં યોજાશે

રાજ્યના આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલ અને શિક્ષણમંત્રીશ્રી ડો.કુબેરભાઈ ડિંડોર ઉપસ્થિત રહેશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા. ૨૩: મધ્યપ્રદેશથી તા. ૨૭-૦૬-૨૦૨૩ ના રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે દેશના ૧૭ રાજ્યોમાં સિકલસેલ એનિમિયા નાબૂદી મિશન કાર્યક્રમનો પ્રારંભ થનાર છે. ગુજરાત રાજયમાં ૧૪ આદિજાતી જિલ્લાઓમાં પણ આ કાર્યક્રમ આયોજીત થશે. વલસાડ જિલ્લામાં વલસાડ તાલુકાના હરિયા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ યોજાશે. જેમાં આરોગ્ય અને કુટુંબ કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ તકનીકી શિક્ષણ, કાયદો, ન્યાય, વિધાનસભા અને સંસદીય બાબતોના આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલ અને આદિજાતી વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રીશ્રી ડો.કુબેરભાઇ ડીંડોર ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમ દરમ્યાન સિકલસેલના દર્દીઓ તથા સિકલસેલ ટ્રેઇટ (વાહક)ને નવા કાર્ડોનું વિતરણ કરવામાં આવશે. હાલમાં હયાત સિકલસેલ દર્દીઓને જરૂરી સારવાર અને માર્ગદર્શન વિના મૂલ્યે આપવામાં આવે છે. સિકલસેલ દર્દીઓને જરૂર જણાયે વિના મૂલ્યે લોહી આપવામાં આવે છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ તમામ આદિજાતી લોકોની સિકલસેલની તપાસ કરવાનો છે. હાલમાં વલસાડ જિલ્લામાં હયાત સિકલસેલ દર્દીઓની સંખ્યા- ૨૫૬૨ અને સિકલસેલ ટ્રેઇટની સંખ્યા- ૬૨૩૮૦ છે. સિકલસેલ એનિમિયા નાબૂદી માટે આરોગ્ય વિભાગ સતત કાર્યરત રહી સારી કામગીરી કરી રહી છે. છેલ્લા પાંચ વર્ષમાં સિકલસેલ દર્દીઓ- ૯૭ તેમજ સિકલસેલ ટ્રેઇટ- ૨૫૦૮ મળી આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સિકલસેલ એનિમિયા રોગની ગંભીરતાને ધ્યાને લેતા ગુજરાત સરકારે વર્ષ-૨૦૦૬ થી આદિજાતી જિલ્લાઓમાં આદિવાસીઓના આરોગ્યનું આગોતરું આયોજન હાથ ધરી સિકલસેલ એનિમિયા કાર્યક્રમ કાર્યરત કર્યો હતો. હાલમાં વલસાડ જિલ્લામાં ધરમપુર સ્ટેટ હોસ્પિટલ ખાતે ૨૪×૭ ડે કેર કાર્યરત છે એવુ વલસાડ જિલ્લા પંચાયતના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ અખબારી યાદીમાં જણાવ્યું છે.

Related posts

વલસાડ જીઆરપી રેલવે પોલીસ સ્‍ટેશનમાં ટ્રેનોમાં દારૂ હેરાફેરી માટે હલ્લાબોલ : આવેદનપત્ર અપાયું

vartmanpravah

ઉમરગામના વલવાડાથી 32 વર્ષીય પતિ પત્‍ની અને બે સંતાનો સાથે ગુમ

vartmanpravah

સરીગામની કોરોમંડલ કંપનીએ પાલિ કરમબેલીની પ્રયોગશાળામાં ઉપકરણોની કરેલી મદદ

vartmanpravah

ખોડલધામ પ્રેરિત શ્રી લેઉવા પટેલ સમાજ અતિથિ ભવન સોમનાથ ખાતે યોજાયો યજ્ઞ

vartmanpravah

નવસારીમાં સયાજી વૈભવ સાર્વજનિક પુસ્‍તકાલય અને નરેન્‍દ્ર હિરાલાલ પારેખ જ્ઞાનધામ દ્વારા પુસ્‍તક પ્રદર્શન યોજાયું

vartmanpravah

કપરાડા કુંભઘાટમાં વરસાદી ખાડાઓને લઈ બે દિવસમાં ત્રણ ટ્રક પલટી મારી ગઈ

vartmanpravah

Leave a Comment