Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડાના નારવડમાં મૃત દિપડાનું ચામડું તથા પંજા કાપી વેચવાની તજવીજ કરતા 7 ઝડપાયા

વન્‍ય પ્રાણીના અવશેષ પાસે રાખવાના ગુનામાં વન વિભાગે કાર્યવાહી કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07: કપરાડાના અંતરિયાળ વિસ્‍તારમાં આજે પણ પ્રબળ અંધશ્રધ્‍ધા પ્રવર્તી રહી છે. ભગત-ભુવાની ચાલબાજીમાં લોકો સપડાતા રહે છે. કંઈક તેવી જ ઘટના કપરાડાના નારવડ ગામે ઘટી છે. ભગતની વાતોમાં આવી જઈને મૃત દિપડાનું ચામડું તથા પગના ચાર પંજાના નખ કાપી વેચવાની ફિરાક કરતા જંગલ ખાતાએ સાતને ઝડપી પાડયા હતા.
કપરાડા ફોરેસ્‍ટ વિભાગે જણાવ્‍યા મુજબ નારવડ ગામે રહેતા માજી સરપંચ હરેશભાઈ ઈદીંરાભાઈ કુવરના ખેતર પાસે ખનકીમાં દીપડો પડેલો હતો. તેથી પત્‍ની અનેરમેશભાઈ ડરીને ખેતર છોડી ચાલી ગયેલ. બીજા દિવસે દિપડો મૃત જમાતા તેમણે ગામના નામદેવ શીવરામ કુંવરને જાણ કરી હતી તે પછી નામદેવ સોમા કિશન ગળદે રહે.કળી અન્‍ય ત્રણે ભેગા મળીને દિપડાનું ચામડું અને ચારે પગના પંજા કુહાડી-ચપ્‍પુ વડે કાપી લઈ ગયા હતા. સોમા કિશન ભગતનું કામ કરતો હતો તેમણે લાલચ અને અંધશ્રધ્‍ધા માટે આવી ચામડું વેચવાની તજવીજ શરૂ કરી હતી તે દરમિયાન શંકર તુલસીરામ ભુસારા, માજી સરપંચ બાપજી લાકડુ લાહુ પટારાનો સંપર્કમાં આવ્‍યા બાદ દિપડાનું ચામડું-પંજા નાસિક વિસ્‍તારમાં ગ્રાહક શોધતા રહેલા. આ બાબતની જંગલ વિભાગને માહિતી મળતા ડમી ગ્રાહકને મોકલી તમામ સાતને વન પ્રાણ સંરક્ષણ અધિનિયમ 1972, સુધારા અધિનિયમ 2002 મુજબ ગુનો દાખલ કરી તમામ આરોપીઓના જામીન નામંજુર થતા જ્‍યુડિશિયલ કસ્‍ટડીમાં મોકલી અપાયા હતા.

Related posts

કપરાડાના છેવાડાના બારપુડા ગ્રામપંચાયત ખાતે ઉપ સરપંચની વરણી માટે યોજાયેલી પ્રથમ ગ્રામસભા

vartmanpravah

આરોગ્‍ય સુવિધાના ક્ષેત્રે શ્રેષ્‍ઠ દેખાવ કરવા બદલ ભારત સરકારના આરોગ્‍ય મંત્રાલય દ્વારા કચીગામ પ્રાઈમરી હેલ્‍થ સેન્‍ટર પુરસ્‍કૃત

vartmanpravah

દાનહના દમણગંગા સર્કિટ હાઉસ ખાતે સરકારની યોજના અંતર્ગત એફસીઆઈ દ્વારા કેવી રીતે અને કયાંથી અનાજ લાવી અલગ અલગ રાજ્‍યમાં લોકોને અનાજનું વિતરણ કરવામા આવે તે સંદર્ભે જાણકારી અપાઈ

vartmanpravah

વાપી કોચરવા ગામના સરપંચે મહિલાઓને ગાળો આપતા સરપંચ વિરૂધ્‍ધ મહિલાઓએ પોલીસ ફરિયાદ નોંધાવી

vartmanpravah

સુરખાઈ ખાતે ધોડિયા સમાજનો પાંચમો જીવનસાથી પસંદગી મેળો યોજાયો

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ભૂતપૂર્વ વડાપ્રધાન સ્‍વ.ઈન્‍દિરા ગાંધીની પુણ્‍યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપવાનું ભુલાયું

vartmanpravah

Leave a Comment