Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

લોકસભાની ચૂંટણી પડઘમ શરૂઃ વલસાડ-ડાંગ, સંસદીય મતવિસ્તાર માટે ભાજપ દ્વારા વલસાડમાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય શરૂ

નાણામંત્રી કનુભાઈ દેસાઈ, સાંસદ ડો.કે.સી. પટેલના હસ્‍તે ઉદ્દઘાટન સંપન્ન : રાજ્‍યભરમાં એક સાથે કાર્યાલયનો આરંભ

(વર્તમાન પ્રવાહવાપી બ્‍યુરો)
વાપી, તા.23: આગામી એપ્રિલ 2024માં લોકસભાની ચૂંટણી જાહેર થતાના અણસાર છે ત્‍યારે સંસદની ચૂંટણીની પૂર્વ તૈયારીઓ ગુજરાત પ્રદેશ ભાજપે આજે મંગળવારથી જ આરંભ કરી દીધી છે. વલસાડ-ડાંગ સંસદીય બેઠક માટેનું મધ્‍યસ્‍થ ચૂંટણી કાર્યાલયનો શુભારંભ કરી દેવાયો છે. સાથે સાથે ગુજરાત ભરની તમામ સંસદીય બેઠકોના મધ્‍યસ્‍થ કાર્યાલયો પ્રદેશ ભાજપ દ્વારા શરૂ કરી દેવામાં આવ્‍યા છે.
વલસાડ-ડાંગ સંસદીય બેઠક મધ્‍યસ્‍થ ચૂંટણી કાર્યાલયના આજે વલસાડમાં ઉદ્દઘાટન સમારોહ યોજાયો હતો. જેનો શુભારંભ નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને સાંસદ ડો.કે.સી. પટેલના હસ્‍તે કરવામાં આવ્‍યો હતો. પ્રદેશ પેજ કમિટીના પ્રણેતા પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ, સંગઠન મહામંત્રી રત્‍નાકરજીના માર્ગદર્શન હેઠળ રાજ્‍યભરમાં મધ્‍યસ્‍થ ચૂંટણી કાર્યાલયોનો આજે આરંભ કરી દેવાયો છે. તેથી જરૂર કહી શકાય કે લોકસભાની ચૂંટણીના પડઘમ વાગવા શરૂ થઈ ગયા હતા. વલસાડમાં મધ્‍યસ્‍થ ચૂંટણી કાર્યાલય અબ્રામા સ્‍ટેલર ઝોન બિલ્‍ડીંગમાં શુભારંભ કરાયો છે. આ પ્રસંગે વલસાડ, ધરમપુર, પારડી, ઉમરગામના ધારાસભ્‍યો જિલ્લા ભાજપ સંગઠનના તમામ હોદ્દેદારો તથા પ્રદેશ ભાજપના હોદ્દેદારો-ડાંગ નવસારીના હોદ્દેદારો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા. ગુજરાતની તમામ 26 લોકસભાનીબેઠકો જીતવાનો પાર્ટીએ નિર્ધાર કર્યો છે.

Related posts

વલસાડના નંદીગ્રામમાં સાંઈ મકરંદ દવેનીભવ્‍ય જન્‍મ શતાબ્‍દી ઉજવી શ્રદ્ધાંજલિ અપાઈ

vartmanpravah

વાંસી-બોરસીમાં પીએમ મિત્ર પાર્ક કાર્યક્રમ માટે વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના આગમન પૂર્વે તડામાર તૈયારી, જલાલપોરના ધારાસભ્‍ય આર.સી.પટેલે કર્યુ નિરિક્ષણ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસકશ્રીના નવા સલાહકાર તરીકે વિકાસ આનંદે સંભાળેલો ચાર્જઃ અનિલ કુમાર સિંઘને રિલીવ કરાયા

vartmanpravah

દાનહના નરોલીમાં પત્‍નીની હત્‍યા કરનાર પતિને પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલ્‍યો

vartmanpravah

વાપી-કરવડ નહેરમાં મળી આવેલ માથા વગરની કિશોરની લાશનો પોલીસને સુરાગ મળ્‍યો

vartmanpravah

ઉત્તર ભારતીય લોકોનો શ્રાવણ મહિનો શરૂઃ દલવાડા સ્‍થિત વાસુકીનાથ મહાદેવ મંદિરમાં 45 દિવસીય મહાભિષેકનું આયોજન

vartmanpravah

Leave a Comment