મંદિરમાં ભોલેનાથ સાથે માઁ દુર્ગા, શ્રી ગણેશ, રાધાકૃષ્ણ અને બજરંગ બલી બિરાજ્યા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી,તા.23: વાપી ચલા વિસ્તારમાં આવેલ રોયલ લાઈફ સોસાયટીમાં ભગવાન શિવ સહિત અન્ય દેવી દેવતાઓનું ભવ્ય મંદિર સાકાર થયેલ છે. જેનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભક્તિભાવ સાથે ધુમધામથી ઉજવણી કરાઈ.
વાપી દમણ રોડ સ્થિત રોયલ લાઈફના પરિસરમાં આયોજીત શિવ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સોમવારે રાત્રે સમાપન થયો હતો. વારાણસીથી પધારેલ વેદ વિદ્યવાન પ. સુરેન્દ્રચંન્દ્ર શાષાીજીના માર્ગદર્શનમાં પ્રાણ પ્રતિષ્ઠા વિધી-વિધાન સાથે કરવામાં આવી મંદિરમાં ભોલેનાથ સાથે માતા દુર્ગા, શ્રી ગણેશ, રાધાકૃષ્ણ સહિત બજરંગ બલી બિરાજમાન છે. પ્રતિમાઓની સ્થાપના સંસ્કાર પૂજાવિધી પછી ભવ્ય શોભાયાત્રા નગરભ્રમણે નિકળી હતી. સન્નારીઓએ તમામ દેવ પ્રતિમાઓ સાથે મંગલ કળશ લઈ શોભાયાત્રામાં જોડાઈ હતી. સોમવારે હવન-યજ્ઞ પૂજન સાથે વિધિવત શિવ દરબારમાં સ્થાપિત તમામ પાષાણ દેવતાઓની પ્રતિષ્ઠા સંપન્ન થઈ હતી. ત્રણ દિવસ ચાલેલ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સેંકડો શ્રધ્ધાળુઓ જોડાયા.