Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સમરોલી સ્‍થિત પૌરાણિક ફુલદેવી માતાના મંદિરનો 26મો પાટોત્‍સવ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવાયો

પાટોત્‍સવમાં નવસારીની સંસ્‍થા દ્વારા યોજાયેલા મેડિકલ કેમ્‍પમાં 250 જેટલા લોકોએ લીધેલો લાભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.11: સમરોલીમાં તળાવ કિનારે આવેલા પૌરાણિક ફુલદેવી માતાના મંદિરના જીણોધ્‍ધાર બાદ યોજાયેલા 25-માં પાટોત્‍સવની શરૂઆત હરીશભાઈ મહારાજ સહિતના ભુદેવોના વૈદિક મંત્રોચ્‍ચાર સાથેના નવચંડી યજ્ઞથી કરવામાં આવી હતી. યજ્ઞમાં અનેક સ્‍થાનિક ભક્‍તો જોડાઇને આહુતિઆપી હતી. ઉપરાંત ધ્‍વજારોહણ સાથે યોજાયેલા મહાપ્રસાદનો અને ભાવિક ભક્‍તોએ લાહવો લીધો હતો. માતાજીના મંદિરના પાટોત્‍સવને લઈને વહેલી સવારથી જ મોટી સંખ્‍યામાં ભક્‍તો ઉમટી પડી માતાજીની પૂજા, અર્ચના દર્શન કરી ધન્‍યતા અનુભવી હતી. પાટોત્‍સવ દરમ્‍યાન ભજન મંડળ દ્વારા પ્રાચીન ભજનોની રમઝટ બોલાવાતા ધાર્મિક વાતાવરણ સર્જાયું હતું.

Related posts

વાપીમાં કાર્યરત રોડ, પુલ, અંડરપાસ અને હાઈવેના કામો અંગે ગાંધીનગરમાં ઉચ્‍ચ બેઠક યોજાઈ

vartmanpravah

વલસાડની યુવતિ બ્રિટન-લંડનમાં સૌથી નાની વયે સિવિક મેયર પદે બિરાજમાન બની

vartmanpravah

રાજભાષા વિભાગ દીવ દ્વારા સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા દીવમાં ‘‘હિન્‍દી નિબંધ લેખન – સ્‍પર્ધા”નું કરવામાં આવ્‍યું આયોજન

vartmanpravah

આર.કે. દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ, વાપી અને ઈન્‍ડિયન પ્‍લેનેટરી સોસાયટી મુંબઈના ઉપક્રમે વાપીમાં નાણા મંત્રી કનુભાઈ દેસાઈના અધ્‍યક્ષસ્‍થાને ‘સોહનરાજ શાહ એવોર્ડ’ સમારોહ અને ‘વિજ્ઞાન’ વાર્તાલાપ યોજાયો

vartmanpravah

દાનહકલેક્‍ટર ગૌરવસિંહ રાજાવતના માર્ગદર્શન મુજબ સામરવરણી અને મસાટ પટેલાદના ઔદ્યોગિક વસાહત ઉપર ગેરકાયદે તાણી બાંધેલ દુકાન અને ઢાબા હટાવાયા

vartmanpravah

દિવાળીના તહેવારને ધ્‍યાનમાં રાખી મીઠાઈઓની દુકાનોમાંથી લેવામાં આવેલ સેમ્‍પલોના રિપોર્ટને વહેલી તકે સાર્વજનિક કરવા માટે શિવસેના પ્રમુખ શ્વેતલ ભટ્ટની આરોગ્‍ય સચિવને રજૂઆત

vartmanpravah

Leave a Comment