December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ચલા ખાતે પ્રમુખ ઓરા સોસાયટીમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી

દેશવ્‍યાપી રાષ્‍ટ્રવાદી સંગઠન સેલ્‍યુટ તિરંગા બેટી બચાવો, બેટી પઢાવોનાં ગુજરાત પ્રદેશ પ્રમુખ અને શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકુળ સલવાવનાં એકેડમીક કેમ્‍પસ ડીરેક્‍ટર ડૉ.શૈલેષ લુહારનાં હસ્‍તે ધ્‍વજવંદન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.28: વાપી ચલા ખાતે આવેલ પ્રમુખ ઓરા સોસાયટીમાં રાષ્‍ટ્રીય પર્વ 75માં પ્રજાસત્તાક દિનની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે દેશવ્‍યાપી રાષ્‍ટ્રવાદી સંગઠન સેલ્‍યુટ તિરંગા બેટી બચાવો, બેટી પઢાવોનાં ગુજરાત પ્રદેશ પ્રમુખ અને શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકુળ સલવાવનાં એકેડમીક કેમ્‍પસ ડીરેક્‍ટર ડૉ. શૈલેષ લુહારનાં હસ્‍તે ધ્‍વજવંદન કરવામાં આવ્‍યુ હતું.
પ્રમુખ ઓરા સોસાયટી ચલા ખાતે યોજાયેલા 75માં પ્રજાસત્તાક દિવસ ઉજવણી પ્રસંગે મુખ્‍યમહેમાન તરીકે ઉપસ્‍થિત રહેલા સેલ્‍યુટ તિરંગા બેટી બચાવો બેટી પઢાવો ગુજરાત પ્રદેશ પ્રમુખ ડૉ. શૈલેષ લુહારે સંબોધિત કરતા જણાવ્‍યુ હતુ કે, હાલનાં સમયમાં સોશિયલ મીડિયા આજનાં વિદ્યાર્થીઓ માટે અભિષાપ સમાન બની રહ્યો છે. સોશિયલ મીડિયાનાં વપરાશથી વિદ્યાર્થીઓનાં ભણતર અને વ્‍યવહાર ઉપર વિપરીત અસરો વર્તાઈ રહી છે જેને લઈ નાના બાળકોએ અને વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયાથી દુર રહેવું જોઈએ. વધુમાં એમણે બાળકોને અભ્‍યાસને લગતી અને પરીક્ષાઓમાં બાળકોને જરૂરી માર્ગ મળી રહે એ વિષય ઉપર વિસ્‍તૃત ચર્ચા કરી હતી. એમણે વિદ્યાર્થીઓની સાથે એમના વાલીઓને પણ માર્ગદર્શન મળી રહે એ વિદ્યાર્થીઓનાં વાલીઓએ કેવા પગલાં લેવા જાઈએ એના ઉપર પણ વિશેષ માહિતી આપી હતી.
આ અવસરે ડૉ.શૈલેષ લુહારનું પ્રમુખ ઓરા સોસાયટી દ્વારા વિશેષ સન્‍માન પણ કરવામાં આવ્‍યુ હતું.

Related posts

દાનહમાં શુક્રવારે એક કોરોના પોઝિટિવ કેસ નહીં નોંધાયોઃ કુલ 5 કેસ સક્રિય

vartmanpravah

2024ની લોકસભા ચૂંટણીમાં દાનહમાં કમળ સોળે કળાએ2024ની લોકસભા ચૂંટણીમાં દાનહમાં કમળ સોળે કળાએ ખિલશેઃ સેલવાસ ન.પા. અધ્‍યક્ષ રજની શેટ્ટી ખિલશેઃ સેલવાસ ન.પા. અધ્‍યક્ષ રજની શેટ્ટી

vartmanpravah

સુરત અને અમદાવાદથી દીવમાટે વિમાની સેવાનો થયો પ્રારંભઃ પ્રવાસન અને વેપાર-ધંધાને મળનારૂં પ્રોત્‍સાહન

vartmanpravah

30મી એપ્રલના શનિવારે દાનહના નરોલી પીએચસી ખાતે દિવ્‍યાંગો માટે શિબિરનું આયોજન કરાશે

vartmanpravah

વલસાડનો સખી મેળો સખી મંડળના 50 સ્‍ટોલોમાં 7 દિવસમાં રૂા. 7 લાખનું વેચાણ થયું: સપ્તાહ દરમિયાન કુલ 11180 લોકોએ વંદે ગુજરાત પ્રદર્શનને પણ મનભરીને નિહાળ્‍યું

vartmanpravah

દમણ લાઈટ હાઉસ બીચ ઉપર ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા સંસ્‍કૃતિ મંત્રાલય દ્વારા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment