Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદીવ

સુરત અને અમદાવાદથી દીવમાટે વિમાની સેવાનો થયો પ્રારંભઃ પ્રવાસન અને વેપાર-ધંધાને મળનારૂં પ્રોત્‍સાહન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.29: દેશના યશસ્‍વી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના કુશળ નેતૃત્‍વ અને સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં સુરત અને અમદાવાદથી દીવ માટે વિમાન સેવાનો પ્રારંભ આજથી થયો છે. કેન્‍દ્ર સરકારની ‘ઉડાન 5.0′ યોજના અંતર્ગત સુરત અને અમદાવાદથી આ સેવા શરૂ થઈ રહી છે. આ ફલાઈટ ઈન્‍ડિગો એરલાઈન્‍સ (6ઈ)ની હશે અને આજથી રોજ સંચાલિત થશે. દીવથી સુરત અને સુરતથી દીવ આવવા-જવા માટે એરલાઈન્‍સની ટિકિટનો ખર્ચ લગભગ રૂા.2500 પ્રતિ ટિકિટ રહેશે. જ્‍યારે દીવથી અમદાવાદ અને અમદાવાદથી દીવ માટે લગભગ રૂા.3100ની એક ટિકિટ હશે.
અત્રે નોંધનીય છે કે, સુરત અને અમદાવાદથી દીવ માટે સીધી વિમાની સેવા શરૂ થવાથી પ્રવાસનને પણ ઉત્તેજન મળશે અને ધંધા-વેપાર સંભાવનાઓમાં પણ વધારો થશે.
મળતી માહિતી પ્રમાણે આવતા દિવસોમાં સ્‍પાઈસ જેટ અને ઘોડાવત ગ્રુપની હવાઈ સેવા પણ સુરત અને અમદાવાદથી દીવ માટે શરૂ થવાની છે. આ ક્રમમાં દીવથી સૌરાષ્‍ટ્ર માટે પણ હવાઈ ઉડાનો શરૂ કરાશે. જેથી શ્રદ્ધાળુઓને ધાર્મિક સ્‍થળોના અવાગમન માટે પણ સુગમતા રહેશે.

Related posts

સેલવાસ મામલતદારે માટી ખનન કરનાર સામે કરેલી લાલ આંખ

vartmanpravah

નલ સે જલ યોજનામાં વલસાડ જિલ્લાએ 100 ટકા લક્ષ્યાંક હાંસલ કર્યો, તકતીનું ઈ-અનાવરણ કરાયું

vartmanpravah

વરિષ્‍ઠ આઈ.એ.એસ. અધિકારી ડો. એ.મુથમ્‍માને રિલીવ કરાતા તેમના વિભાગોની કરાયેલી ફાળવણી સંઘપ્રદેશના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગનો અખત્‍યાર પ્રશાસકશ્રીના સલાહકાર વિકાસ આનંદ સંભાળશે

vartmanpravah

સંઘપ્રદેશમાં કેવડા ત્રીજ વ્રત નિમિત્તે મહિલાઓએ પૂજા-અર્ચના કરી

vartmanpravah

વાપી માર્કેટમાં બાઈક પાર્ક કરી બેઠેલા યુવાનને કાર ચાલકે રીવર્સ મારતા ઉડાડયો, બાલ બાલ બચ્‍યો

vartmanpravah

ઉમરગામ જેટીની હાથ ધરાયેલી સર્વેની કામગીરી

vartmanpravah

Leave a Comment