Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદીવ

સુરત અને અમદાવાદથી દીવમાટે વિમાની સેવાનો થયો પ્રારંભઃ પ્રવાસન અને વેપાર-ધંધાને મળનારૂં પ્રોત્‍સાહન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.29: દેશના યશસ્‍વી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના કુશળ નેતૃત્‍વ અને સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં સુરત અને અમદાવાદથી દીવ માટે વિમાન સેવાનો પ્રારંભ આજથી થયો છે. કેન્‍દ્ર સરકારની ‘ઉડાન 5.0′ યોજના અંતર્ગત સુરત અને અમદાવાદથી આ સેવા શરૂ થઈ રહી છે. આ ફલાઈટ ઈન્‍ડિગો એરલાઈન્‍સ (6ઈ)ની હશે અને આજથી રોજ સંચાલિત થશે. દીવથી સુરત અને સુરતથી દીવ આવવા-જવા માટે એરલાઈન્‍સની ટિકિટનો ખર્ચ લગભગ રૂા.2500 પ્રતિ ટિકિટ રહેશે. જ્‍યારે દીવથી અમદાવાદ અને અમદાવાદથી દીવ માટે લગભગ રૂા.3100ની એક ટિકિટ હશે.
અત્રે નોંધનીય છે કે, સુરત અને અમદાવાદથી દીવ માટે સીધી વિમાની સેવા શરૂ થવાથી પ્રવાસનને પણ ઉત્તેજન મળશે અને ધંધા-વેપાર સંભાવનાઓમાં પણ વધારો થશે.
મળતી માહિતી પ્રમાણે આવતા દિવસોમાં સ્‍પાઈસ જેટ અને ઘોડાવત ગ્રુપની હવાઈ સેવા પણ સુરત અને અમદાવાદથી દીવ માટે શરૂ થવાની છે. આ ક્રમમાં દીવથી સૌરાષ્‍ટ્ર માટે પણ હવાઈ ઉડાનો શરૂ કરાશે. જેથી શ્રદ્ધાળુઓને ધાર્મિક સ્‍થળોના અવાગમન માટે પણ સુગમતા રહેશે.

Related posts

એન્‍જિનિયર્સ એસોસિએશન ઓફ વાપી દ્વારા યોજાયેલ રક્‍તદાન શિબિરમાં 108 યુનિટ રક્‍ત એકત્રિત કરાયું

vartmanpravah

વલસાડ જિલ્લા ઈલેકટ્રોનિક મીડિયા મોનીટરીંગ સેલની જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આયુષ ઓક એ મુલાકાત લીધી

vartmanpravah

નવી દિલ્‍હી ખાતે રાષ્‍ટ્રીય ઈન્‍સ્‍પાયર એવૉર્ડ-માનકમાં સંઘપ્રદેશના બે વિદ્યાર્થીઓની કૃતિની થયેલીપસંદગી

vartmanpravah

ચીખલીમાં રામ જન્‍મોત્‍સવ પૂર્વે પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

વાપીમાં કરૂણામૂર્તિ મહાવીર ભગવાનની જન્‍મ જયંતિની ભવ્‍ય ઉજવણી : શોભાયાત્રામાં તમામ ફીરકા જોડાયા

vartmanpravah

વાપી આર.કે. દેસાઈ કોલેજમાં ડો.સર્વપલ્લી રાધાકૃષ્‍ણનના જન્‍મ દિનની ઉજવણી

vartmanpravah

Leave a Comment