(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.15: દાદરા નગર હવેલીમાં છેલ્લા 24 કલાક દરમિયાન એક નવો કોરોના પોઝિટિવ કેસો નોંધાયો છે. જિલ્લામાં હાલમાં કુલ 05 સક્રિય કેસ છે, અત્યાર સુધીમાં 6314 કોરોના દર્દીઓ રિક્વર થઈ ચુકયા છે, જ્યારે ત્રણ વ્યક્તિના મોત થયેલ હોવાનું પ્રશાસનની અખબારી યાદીમાં જણાવાયું છે. આજે પ્રદેશમાં આરટીપીસીઆરના 165 નમૂના લેવામાં આવ્યા હતા. જેમાંથી એક વ્યક્તિનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો અને રેપિડ એન્ટિજનના 28 નમૂના લેવામાં આવ્યા હતા, જેમાંથી એકપણ વ્યક્તિનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો ન હતો.
દાનહ આરોગ્ય વિભાગ દ્વારા પીએચસી, સીએચસી સેન્ટરો પર અને સબ સેન્ટરમાં વેક્સિનેશન કરવામાં આવ્યું હતું. જેમાં આજે 178 લોકોને કોરોના વિરોધી વેક્સિન આપવામાં આવી હતી. અત્યાર સુધી પ્રદેશમાં પ્રથમ ડોઝ 458778 અને બીજો ડોઝ 347992 વ્યક્તિઓને વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. જ્યારે પ્રિકોશન ડોઝ 24402 જેટલા વ્યક્તિઓને આપવામાં આવ્યો છે. જિલ્લામાં કુલ 831172 વ્યક્તિઓને વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે.