Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા આરોગ્‍ય શાખા દ્વારા 63 મેડિકલ ઓફિસરો માટે સર્પદંશની સારવાર અંગે સેમિનાર યોજાયો

જિલ્લામાં વર્ષ દરમિયાન અંદાજે 1200 જેટલા કેસ સર્પદંશના હોસ્‍પિટલમાં સારવાર અર્થે આવે છે: ડો.ડી.સી.પટેલ

સર્પદંશની સારવાર કેવી રીતે કરવી અને સાપની ઓળખ કેવી રીતે કરવી તે અંગેની સમજણ અપાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.06: વલસાડ જિલ્લામાં ખાસ કરીને ધરમપુર અનેકપરાડા તાલુકાનો વિસ્‍તાર જંગલોથી ઘેરાયેલો હોવાથી વર્ષ દરમિયાન સર્પદંશના 1200 જેટલા કેસ હોસ્‍પિટલમાં સારવાર અર્થે આવતા હોય છે આવા સમયે દર્દીને યોગ્‍ય સારવાર મળી રહે અને જીવ બચી શકે તે માટે વલસાડ જિલ્લા પંચાયતની આરોગ્‍ય શાખા દ્વારા પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર, સામૂહિક આરોગ્‍ય કેન્‍દ્ર અને મેડિકલ કોલેજના કુલ 63 મેડિકલ ઓફિસરોને સર્પદંશની સારવાર કેવી રીતે કરવી અને ઝેરી તેમજ બિનઝેરી સાપની ઓળખ કેવી રીતે કરી શકાય તે માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં ધરમપુરની સાંઈનાથ હોસ્‍પિટલના તબીબ અને સ્‍ટેટ લેવલ સ્‍નેક બાઈટ મેનેજમેન્‍ટ ટ્રેનર કમ સ્‍નેક રિસર્ચ ઈન્‍સ્‍ટીટયુટના વાઈસ ચેરમેન ડો.ડી.સી.પટેલે જિલ્લાના મેડિકલ ઓફિસરોને તાલીમ આપી હતી.
આરોગ્‍ય શાખાના હોલમાં યોજાયેલા આ સેમિનારમાં ડો.ડી.સી.પટેલે સર્પદંશથી ઝેર લાગે ત્‍યારે દર્દીને કેવી રીતે સારવાર આપવી, લક્ષણો પરથી કેવી રીતે નિદાન કરવું, એન્‍ટી વેનમ ઈન્‍જેક્‍શન કેટલા અને કેટલા સમયાંતરે આપવા, આ દરમિયાન શું કાળજી રાખવી, કળત્રિમ શ્વાસ નળી નાંખી કેવી રીતે શ્વાસ લેવો સહિતની બાબતો પીપીટી દ્વારા મેડિકલ ઓફિસરોને સમજાવી હતી. તેમણે વધુમાં દરેક સાપની ઓળખ કેવી રીતે કરવી તે અંગે સમજણ આપતાજણાવ્‍યું કે, કોઈપણ સાપ મનુષ્‍યને કરડવા માટે પૃથ્‍વી પર પેદા થતા નથી. સાપને જ્‍યારે બીક લાગે ત્‍યારે તે પોતાના રક્ષણ માટે ડંખ મારે છે. જો કે સાપ ડંખ મારે તે પહેલા અવાજ કાઢી ચેતવે પણ છે. વધુમાં ડો. પટેલે સર્પદંશથી કેવી રીતે બચી શકાય તેની પણ જાણકારી આપી હતી. આ સેમિનારમાં ઈન્‍ચાર્જ મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી ડો.વિપુલ ગામીત અને જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. મનોજ પટેલ પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ઉમરગામ તાલુકા પંચાયત અને ઉમરગામ પાલિકામાં હોદ્દેદારોની વરણી માટે સેન્‍સ પ્રક્રિયાપૂર્ણ

vartmanpravah

પારડી-કલસર ગામના સરપંચ મનોજભાઈની સમય સૂચકતા થઈ ફળીભૂત: છેલ્લા કેટલાક સમયથી પશુઓનું મારણ કરતી દિપડી પાંજરે પુરાઈ

vartmanpravah

ચીખલી-ખેરગામ માર્ગ ઉપર ગોલવાડ પાસે શેરડી ભરેલ ટેમ્‍પો પલ્‍ટી ગયોઃ કોઈ જાનહાની નહીં

vartmanpravah

દાદરા નગર હવેલી ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ ઓથોરીટી દ્વારા ‘આપદા મિત્ર યોજના’ અંતર્ગત સ્‍વયંસેવકોને દસ દિવસની આપવામાં આવી તાલીમ

vartmanpravah

25-નવસારી સંસદીય મતવિસ્‍તાર માટે 35 નામાંકન રજૂ કરાયા: નામાંકનના અંતિમ દિને 24 નામાંકન રજૂ કરાયા

vartmanpravah

શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મસમાજ વાપી અને વાઈબ્રન્ટ બિઝનેસ પાર્ક દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment