(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.03 : શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ,સલવાવ ખાતે આગમી 4 ફેબ્રુઆરીને શનિવારના રોજ રાત્રીના 9 કલાકે લોકડાયરાનું આયોજન થયું છે. વાપી ખાતે દરરોજ ભૂખ્યાને બે ટંકનું ભોજન કરાવતી સંસ્થા ‘‘મા જનમ ટ્રસ્ટ” તથા વિવિધ સેવાઅના પ્રકલ્પો ચલાવી ગરીબ આદિવાસી પરિવારના ઉત્થાન કરતી સંસ્થા શ્રી સ્વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાવના લાભાર્થે આયોજિત આ લોકડાયરામાં આંતરરાષ્ટ્રીય લોક ડાયરા કલાકાર ગીતા રબારી અને લોક ગાયક તેજદાન ગઢવી અને તેમની ટીમ લોકસાહિત્ય ગીતો તથા ભજન અને દુહા ચોપાઈની રમઝટ બોલાવશે. આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા તથા સંઘ પ્રદેશ સહીત મોટી સંખ્યામાં રસિકો ઉપસ્થિત રહેશે.
વાપી રેલ્વે સ્ટેશન નજીક છેલ્લા કેટલાક વર્ષથી ‘‘મા જનમ ટ્રસ્ટ”ના માધ્યમથી દરરોજ બપોરે તથા રાત્રે બે સમયે વિના મુલ્યે ભરપેટ ભોજન વિતરણ કરવામાં આવે છે. આ ભોજનનો દરરોજ અંદાજે 700 લોકો લાભ લે છે. આ ભગીરથ કાર્યને કાયમ રાખવા માટે આર્થિક ભંડોળ ઉભું કરવા માટે તથા ગરીબ આદિવાસી પરિવાર માટે વિવિધ પ્રકલ્પો ચલાવી રહી હોય તે અવિરત રાખવા આ લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હોય આ ડાયરામાં ઉપસ્થિત રહી સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે.