April 20, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ત્રિરત્‍ન સર્કલને ટેન્‍કરે ટક્કર મારી મહાનુભાવોના સ્‍ટ્રક્‍ચરને જમીનદોસ્‍ત કરતા હંગામો

સ્‍ટ્રક્‍ચર ઉપરની શિવાજી મહારાજ, બાબા સાહેબ અને જ્‍યોતિબા ફુલે પ્રતિમાઓ ખંડીત થઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.14: વાપી ચણોદ ચાર રસ્‍તા ઉપર આવેલ ત્રિરત્‍ન સર્કલ ઉપર મહાનુભાવોની પ્રતિમાઓને એક ટેન્‍કર ચાલકે ટક્કર મારતા શિવાજી મહારાજ, બાબા સાહેબ આંબેડકર અને જ્‍યોતિબા ફુલેની પ્રતિમા ખંડીત થતા હંગામો મચી જવા પામ્‍યો હતો. અગાઉ પણ સર્કલ ઉપર અકસ્‍માત થયો હતો.
ચણોદ રોડ ઉપર કામચલાઉ એક ત્રિરત્‍ન સર્કલ બનાવાયું છે. આ સર્કલ ઉપર શિવાજી મહારાજ, બાબા સાહેબ આંબેડકર અને જ્‍યોતિબા ફુલેની પ્રતિમાઓ બેસાડાયેલ છે. ગત સાંજે ડુંગરા તરફથી આવી રહેલ ટેન્‍કર ચાલકે ત્રિમૂર્તિ પ્રતિમા સર્કલને ટક્કર મારીને ટેન્‍કર ચાલક ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ સ્‍થાનિક અગ્રણીઓને થતા વિવિધ સંસ્‍થાના આગેવાનો ત્રિરત્‍ન સર્કલ પાસે એકત્રિત તઈ ગયા હતા. ટેન્‍કરચાલક વિરૂધ્‍ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. જેમાં ભારે હંગામો મચી ગયો હતો. ટેન્‍કર ચાલક વિરૂધ્‍ધ ફરિયાદ નોંધાવી હતી. ખાનગી અને સરકારી સી.સી.ટી.વી. ફૂટેજ ઉપરથી ટેન્‍કર ચાલકનો નંબર મેળવવાનો પ્રયાસ હાથ ધરાયો હતો. ટેન્‍કર ચાલકે મારેલી ટક્કરથી સ્‍ટ્રક્‍ચરમાં રાખેલી ત્રણેય મૂર્તિઓ ખંડિત થઈ ગઈ હતી. અગાઉ પણ આ સ્‍થળે આવો અકસ્‍માત થઈ ચુક્‍યો હતો તેથી સ્‍થાનિક અગ્રણીઓ, સંસ્‍થાઓએ આ સ્‍થળે કાયમી સર્કલ બનાવી મહાનુભાવોની પ્રતિમા મુકવાની માંગણી કરતા રહેલા છે. પણ નેતાઓએ દુર્લક્ષ્ય રાખ્‍યું છે.

Related posts

દીવમાં શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિરમાં પવિત્ર શિવરાત્રી શ્રાવણ માસ ઉત્‍સવ ઉજવવામાં આવ્‍યો

vartmanpravah

વાપી મહારાષ્‍ટ્ર મિત્રમંડળ ગણેશ મહોત્‍સવમાં યોજેલ રંગોળી સ્‍પર્ધામાં હરિયા સ્‍કૂલની વિદ્યાર્થીની વિજેતા

vartmanpravah

અયોધ્‍યા ખાતે યોજાનારા ઐતિહાસિક શ્રી રામ જન્‍મ ભૂમિ પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવના ઉપલક્ષમાં સોમવાર તા.22મી જાન્‍યુ.એ સંઘપ્રદેશ દાનહ, દમણ અને દીવ જિલ્લામાં દારુ-બિયરની દુકાનો અને નોનવેજનું વેચાણ બંધ રહેશે

vartmanpravah

વાપીમાં ગટર જામની સમસ્યાનો સ્વાગત કાર્યક્રમમાં ત્વરિત નિકાલ થતા ૫૦ ઘરના રહીશોને રાહત

vartmanpravah

સલવાવ ઘનશ્‍યામ વિદ્યામંદિરમાં સલાડ ડેકોરેશન સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

નુમા એકેડેમી દમણના ડાન્‍સ ટ્રેનર સૂરજ કુમારે ટેલીવિઝન રિયાલીટી શૉના કોરિયોગ્રાફર વૈભવ ઘુઘેના ડાન્‍સ વર્કશોપમાં લીધેલો ભાગ

vartmanpravah

Leave a Comment