Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહઃ સિંદોની સરકારી શાળામાં ‘‘વસંતપંચમી”ની કરાયેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.14 : દાદરા નગર હવેલીના સિંદોની ગામની સરકારી શાળામાં ‘‘વસંતપંચમી” નિમિતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં સર્વપ્રથમ માતા સરસ્‍વતીની મૂર્તિની પૂજા કરવામાં આવી હતી અને ત્‍યારબાદ શાળાની બાલિકાઓએ સરસ્‍વતી વંદના અને સ્‍તુતિ વંદન કરવામાં આવ્‍યું હતું.
આ કાર્યક્રમમાં શ્રીમતી સંતોષ કુમારીએ વિદ્યાની દેવી માતા સરસ્‍વતીનું વિદ્યાર્થી જીવનમા શું મહત્‍વ છે? ‘‘વસંતપંચમી” કેમ મનાવવામાં આવે છે? એની વિસ્‍તૃત જાણકારી આપવામાં આવી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, સરસ્‍વતી માતાના જાપ કરવાથી જ્ઞાન, વિદ્યા, ધન, સુખ-સમૃદ્ધિ અને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે.
આ પ્રસંગે શ્રીમતી વર્ષા મહાજને સરસ્‍વતી સ્‍તોત્રનું ધ્‍યાન કરવવામાં આવ્‍યું હતું. શાળાના આચાર્ય શ્રી સંતોષ સોનવણેએ માઁ સરસ્‍વતી અને ‘‘વસંતપંચમી”ઉત્‍સવ આપણને શું પ્રેરણા આપે છે તે અંગે માહિતી આપી હતી. આ અવસરે શ્રી એસ.આર., મહાલા, શ્રી મુકેશ કરપટ, શ્રી ધર્મેશ ગંગોડા અને શ્રી સુરજી ગઢવી સહિત વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડના ધારાસભ્‍યએ ગૃહમંત્રીને પત્ર લખ્‍યો: મુસ્‍લિમોના તાજીયા 15 પૂટથી ઊંચા માટે છૂટ-ગણેશ મૂર્તિ માટે 9 ફૂટનો પરિપત્ર

vartmanpravah

દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ પદ માટે 3 ઉમેદવારોએ નોંધાવેલી ઉમેદવારી

vartmanpravah

નગરના હિતમાં આવકારદાયક પહેલ : દમણ ન.પા.ના અધ્‍યક્ષ અસ્‍પી દમણિયા આજથી પોતાની ટીમ સાથે દરેક વોર્ડમાં પગપાળા ‘જન સંપર્ક અભિયાન’ કરશે

vartmanpravah

પારડીના તમામ સાતવોર્ડમાં પુષ્‍પાંજલિ તથા વક્‍તવ્‍ય દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્‍યાયની જન્‍મ જયંતિની ઉજવણી

vartmanpravah

દમણની ઝરી આશ્રમ શાળામાં 10 દિવસીય નિવાસી સમર કેમ્‍પનો આરંભઃ સરકારી શાળાના 55થી વધુ વિદ્યાર્થીઓની ભાગીદારી: સમર કેમ્‍પમાં વિદ્યાર્થીઓના ઓલરાઉન્‍ડ ડેવલપમેન્‍ટ ઉપર પડનારૂં ફોકસ

vartmanpravah

બેખોફ ગૌતસ્‍કરો ફરી ત્રાટક્‍યા : વાપી ગુંજન રેમન્‍ડ સર્કલ પાસે મળસ્‍કે કારમાં ગૌમાતાને ઊંચકી ભરતા નજરાયા

vartmanpravah

Leave a Comment