June 30, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહઃ સિંદોની સરકારી શાળામાં ‘‘વસંતપંચમી”ની કરાયેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.14 : દાદરા નગર હવેલીના સિંદોની ગામની સરકારી શાળામાં ‘‘વસંતપંચમી” નિમિતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં સર્વપ્રથમ માતા સરસ્‍વતીની મૂર્તિની પૂજા કરવામાં આવી હતી અને ત્‍યારબાદ શાળાની બાલિકાઓએ સરસ્‍વતી વંદના અને સ્‍તુતિ વંદન કરવામાં આવ્‍યું હતું.
આ કાર્યક્રમમાં શ્રીમતી સંતોષ કુમારીએ વિદ્યાની દેવી માતા સરસ્‍વતીનું વિદ્યાર્થી જીવનમા શું મહત્‍વ છે? ‘‘વસંતપંચમી” કેમ મનાવવામાં આવે છે? એની વિસ્‍તૃત જાણકારી આપવામાં આવી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, સરસ્‍વતી માતાના જાપ કરવાથી જ્ઞાન, વિદ્યા, ધન, સુખ-સમૃદ્ધિ અને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે.
આ પ્રસંગે શ્રીમતી વર્ષા મહાજને સરસ્‍વતી સ્‍તોત્રનું ધ્‍યાન કરવવામાં આવ્‍યું હતું. શાળાના આચાર્ય શ્રી સંતોષ સોનવણેએ માઁ સરસ્‍વતી અને ‘‘વસંતપંચમી”ઉત્‍સવ આપણને શું પ્રેરણા આપે છે તે અંગે માહિતી આપી હતી. આ અવસરે શ્રી એસ.આર., મહાલા, શ્રી મુકેશ કરપટ, શ્રી ધર્મેશ ગંગોડા અને શ્રી સુરજી ગઢવી સહિત વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

તા.8 થી 11 ડિસેમ્‍બર દરમિયાન ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા 9મી વિશ્વ આયુર્વેદ કોન્‍ફરન્‍સ ગોવાના પણજી ખાતે યોજાઈ

vartmanpravah

નરોલીના હવેલી ફળિયામાં બંધ બંગલામાં થયેલી ચોરી

vartmanpravah

કપરાડાના કોલવેરા ગામે ખૂંખાર દીપડો પાંજરે પુરાયોઃ ગ્રામ્ય વિસ્તારમાં રાહતની લાગણી

vartmanpravah

આજે દમણમાં થયેલ જળપ્રલયના 20 વર્ષ પૂર્ણઃ ઉદ્‌ઘાટનના માંડ 42 દિવસમાં નાની અને મોટી દમણને જોડતો નવનિર્મિત પુલ ધરાશાયી થયો હતો

vartmanpravah

દમણ જિલ્લાનું ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ આપત્તિના સામના માટે સજ્જ : એનડીઆરએફ અને કોસ્‍ટ ગાર્ડ સાથે સફળ સંકલન

vartmanpravah

ગોઈમામાં બે સ્‍થળો ઉપર આર.ઓ. પ્‍લાન્‍ટનું લોકાર્પણ કરવામાં આવ્‍યું

vartmanpravah

Leave a Comment