(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.14 : દાદરા નગર હવેલીના સિંદોની ગામની સરકારી શાળામાં ‘‘વસંતપંચમી” નિમિતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સર્વપ્રથમ માતા સરસ્વતીની મૂર્તિની પૂજા કરવામાં આવી હતી અને ત્યારબાદ શાળાની બાલિકાઓએ સરસ્વતી વંદના અને સ્તુતિ વંદન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં શ્રીમતી સંતોષ કુમારીએ વિદ્યાની દેવી માતા સરસ્વતીનું વિદ્યાર્થી જીવનમા શું મહત્વ છે? ‘‘વસંતપંચમી” કેમ મનાવવામાં આવે છે? એની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, સરસ્વતી માતાના જાપ કરવાથી જ્ઞાન, વિદ્યા, ધન, સુખ-સમૃદ્ધિ અને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે.
આ પ્રસંગે શ્રીમતી વર્ષા મહાજને સરસ્વતી સ્તોત્રનું ધ્યાન કરવવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય શ્રી સંતોષ સોનવણેએ માઁ સરસ્વતી અને ‘‘વસંતપંચમી”ઉત્સવ આપણને શું પ્રેરણા આપે છે તે અંગે માહિતી આપી હતી. આ અવસરે શ્રી એસ.આર., મહાલા, શ્રી મુકેશ કરપટ, શ્રી ધર્મેશ ગંગોડા અને શ્રી સુરજી ગઢવી સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.