July 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી વીઆઈએ અને જિલ્લા રોજગાર કચેરીના સંયુક્‍ત ઉપક્રમે રોજગાર મેળો યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01: વાપી ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન હંમેશા આપણા જિલ્લાના યુવાનોને રોજગાર આપવા માટે જિલ્લા રોજગાર ખાતા સાથે મળીને ઘણા પગલાં લે છે જેથી કરીને આપણા ઉદ્યોગકાર મિત્રોને પણ તાલીમબદ્ધ કામદાર મળે છે. એવા જ એક પ્રયાસ માટે આજરોજ 1 માર્ચ 2024 શુક્રવારના દિને વીઆઈએ ઓડિટોરિયમ ખાતે સવારે 10:00 કલાકે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ રોજગાર ભરતી મેળામાં શ્રી સતીષભાઈ પટેલ, પ્રમુખ, વીઆઈએ, શ્રી કલ્‍પેશભાઈ વોરા, માનદ મંત્રી, વીઆઈએ, શ્રીમતી પારૂલબેન પટેલ, જિલ્લા રોજગાર અધિકારી, વલસાડ, શ્રી વિમલભાઈ ટંડેલ, આચાર્ય, આઈટીઆઈ પારડી, શ્રી મિતેશભાઈ દેસાઈ, અધ્‍યક્ષ, કારોબારી સમિતિ, વાપી નગરપાલિકા, શ્રી મેહુલભાઈ પટેલ, પ્રમુખ, લઘુ ઉદ્યોગ ભારતી-વલસાડ જિલ્લા તથા જિલ્લાની વિવિધ આઈ.ટી.આઈ અને રોજગાર વિભાગના અધિકારીઓ અને સ્‍ટાફ સભ્‍યો ઉપસ્‍થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન જિલ્લાના 10 ટોચના જોબ પ્રોવાઈડર ઉદ્યોગોને મહાનુભાવોના હસ્‍તેસન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.
શ્રી સતીષભાઈએ તેમના સંબોધન દરમિયાન જણાવ્‍યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના નેતૃત્‍વ હેઠળની રાજ્‍ય અને કેન્‍દ્ર સરકાર યુવાનોને સશક્‍ત કરવા અને નોકરીની તકો પૂરી પાડવા માટે દરેક પગલાં લઈ રહી છે અને તેના પરિણામ સ્‍વરૂપે નોકરીની ઈચ્‍છા ધરાવતા લોકો ને કેમ્‍પસ ઈન્‍ટરવ્‍યુ અને જોબ ફેરમાં વિવિધ ઈન્‍ડસ્‍ટ્રીઝ દ્વારા આમંત્રણ આપવામાં આવે છે અને તેમને તરત જ નોકરી આપવામાં આવશે. તેમણે ઉપસ્‍થિત તમામને વીઆઈએ તરફથી શ્રેષ્ઠ સહયોગ આપવાની ખાતરી આપી અને તમામ હાજર ઈન્‍ડસ્‍ટ્રીઝ સભ્‍યોને જરૂર પડે ત્‍યારે એસોસિએશનના પ્‍લેટફોર્મનો ઉપયોગ કરવા આમંત્રણ આપ્‍યું હતું.
શ્રી કલ્‍પેશભાઈએ જણાવ્‍યું હતું કે, નોકરી ઈચ્‍છુકો હવે આઈટીઆઈ, ઈન્‍ટર્નશીપ અને એપ્રેન્‍ટીસશીપના વિવિધ અભ્‍યાસક્રમો દ્વારા પ્રાયોગિક અનુભવો મેળવી રહ્યા છે, જે ઉદ્યોગોને યોગ્‍ય રીતે લાયક વર્કફોર્સ મેળવવામાં મદદ કરશે. તેમણે હાજર રહેલા તમામ નોકરી ઈચ્‍છુકોને રોજગાર મેળવ્‍યા પછી પણ તેમની કૌશલ્‍યમાં સુધારો કરતા રહેવા અનુરોધ કર્યો હતો.
આજના રોજગાર મેળામાં કુલ 941 વિદ્યાર્થીઓ/જોબ ઈચ્‍છુકો અને 47 ઈન્‍ડસ્‍ટ્રીઝ સભ્‍યોએ 1651 ખાલી જગ્‍યાઓ સાથે ભાગ લીધો હતો જેમાંથી કુલ 853 ઉમેદવારોની હાજરરહેલ ઈન્‍ડસ્‍ટ્રીઝ દ્વારા પસંદગી કરવામાં આવી હતી.

Related posts

એસ.આઈ.એ.ની અર્ધવાર્ષિક સાધારણ સભા સંપન્ન

vartmanpravah

જરીમરી માતા અને નીલકંઠ મહાદેવ ભક્‍ત મંડળ દ્વારા આજથી શ્રીમદ્‌ ભાગવત કથાનું આયોજન દેવુભાઈ જોષીના સાંનિધ્‍યમાં દર્શનભાઈ જોશી ભક્‍તોને કથાનું રસપાન કરાવશે

vartmanpravah

વલસાડ જિલ્લામાં 02 દિ’ પૂનમ (હોળી) હોવાથી લોકો અવઢવમાં

vartmanpravah

ચીખલીમાં બે આખલા બાખડતા નાસભાગ મચી

vartmanpravah

સરીગામ જીઆઈડીસી સહિત સમગ્ર તાલુકામાં કેમેરાથી શુટીંગકરી બ્‍લેકમેઈલ કરનાર ટોળકીનો વધેલો આતંક

vartmanpravah

ધરમપુરમાં કોંગ્રેસની જનમંચ રેલી યોજાઈ: વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ સરકારને આડેહાથે લીધી

vartmanpravah

Leave a Comment