સંઘપ્રદેશ પ્રશાસને સેલવાસના આદિવાસી ભવનને ડેલકર પરિવારના તાબામાંથી આઝાદ કરી પ્રદેશના આદિવાસીઓને હુન્નર, ધંધા-રોજગાર, ઉદ્યોગ, શિક્ષણ વગેરેના પ્રશિક્ષણ માટે કરેલું સમર્પિત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે સેલવાસના આદિવાસી ભવન(એકલવ્ય ભવન)ની મુલાકાત લીધી હતી અને અંદર ચાલતા વિવિધ ક્લાસોનું નિરીક્ષણ કર્યું હતું.
અત્રે યાદ રહે કે, સંઘપ્રદેશ પ્રશાસને આદિવાસી વિકાસ સંગઠનને ડેલકર પરિવારના તાબામાંથી મુક્ત કરી પ્રદેશના આદિવાસીઓને તેમના હુન્નર, ધંધા-રોજગાર, ઉદ્યોગ, શિક્ષણ વગેરે શિખવા માટે સમર્પિત કર્યું હતું. જેના અનુસંધાનમાં આજે સંઘપ્રદેશના પ્રશાસકશ્રીએ આદિવાસી ભવનની આકસ્મિક મુલાકાત લઈ સ્થિતિની જાણકારી મેળવીહતી અને અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું.