March 3, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણસેલવાસ

સંઘપ્રદેશના પંચાયતી રાજ વિભાગ અને એન.આઈ.આર. ડી.પી.આર. દ્વારા આયોજીત દમણ જિલ્લાના પંચાયત પ્રતિનિધિઓ માટેના ત્રિ-દિવસીય તાલીમ સહ વર્કશોપ શિબિરનું સમાપન

એન.આઈ.આર. ડી.પી.આર.ના કન્‍સલ્‍ટન્‍ટ મોહમ્‍મદ તકીયુદ્દીને સતત વિકાસ લક્ષ્યોને હાંસલ કરવા જીપીડીપી પ્‍લાન બનાવતા પહેલાં રાખનારી કાળજીની આપેલી સમજ

જેમાં એક પણ પૈસો કે ઓછા પૈસાની જરૂરિયાત હોય તેવા કામોની ઓળખ કરી તેને પ્રાથમિકતા આપી પંચાયતોના કાર્યોમાં સામેલ કરવા પણ આપેલું માર્ગદર્શન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ,તા.11 : સંઘપ્રદેશના પંચાયતી રાજ વિભાગ દ્વારા સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં નેશનલ ઈન્‍સ્‍ટીટયૂશન ઓફ રૂરલ ડેવલપમેન્‍ટ એન્‍ડ પંચાયતી રાજ (એન.આઈ.આર. ડી.પી.આર.)ના સહયોગથી જિલ્લા પંચાયતના સભ્‍યો અને ગ્રામ પંચાયતોના સરપંચો, સભ્‍યો તથા પંચાયત કર્મીઓ માટે આયોજીત ત્રણ દિવસીય તાલીમ સહ કાર્યશાળાનું આજે સમાપન કરવામાં આવ્‍યું હતું.
એન.આઈ.આર. ડી.પી.આર.ના કન્‍સલ્‍ટન્‍ટ શ્રી મોહમ્‍મદ તકીયુદ્દીને આજે માળખાગત સુવિધાની દૃષ્‍ટિએ આત્‍મનિર્ભર પંચાયત, સુશાસન સાથેની પંચાયત અને મહિલા ફ્રેન્‍ડલી પંચાયતની બાબતમાં વિસ્‍તૃત માર્ગદર્શન આપ્‍યું હતું. ગઈકાલે તેમણે ચાઈલ્‍ડ ફ્રેન્‍ડલી વિલેજ, પર્યાપ્ત જળ સુવિધા ધરાવતીગ્રામ પંચાયત તથા સ્‍વચ્‍છ અને હરિયાળી ગ્રામ પંચાયતના લક્ષ્યની પ્રાપ્તિ કરવા માટે જરૂરી આયોજનની માહિતી આપી હતી.
કન્‍સલ્‍ટન્‍ટ શ્રી મોહમ્‍મદ તકીયુદ્દીને વારંવાર અને ભારપૂર્વક પંચાયતી રાજમાં ગ્રામસભાનું મહત્‍વ સમજાવ્‍યું હતું અને જણાવ્‍યું હતું કે, જરૂરિયાતની ઓળખ ગ્રામસભા દ્વારા થાય છે. તેમણે પંચાયતી રાજ કાયદા હેઠળ મળેલ 29 વિષયોની બાબતમાં પણ વિસ્‍તૃત જાણકારી આપી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, પંચાયત સ્‍તરે એવા ઘણાં કામો અને પહેલ એવી છે કે જેમાં એક પણ પૈસો કે ઓછા પૈસાની જરૂરિયાત હોય છે. તેવા કામોની ઓળખ કરી તેને પ્રાથમિકતા આપવા પણ માર્ગદર્શન આપ્‍યું હતું.
દમણ જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારી શ્રી આશિષ મોહને પણ થોડા સમય માટે ઉપસ્‍થિત રહી ચૂંટાયેલા સભ્‍યોને પ્રોત્‍સાહન પુરૂં પાડયું હતું. દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલ અને બી.ડી.ઓ. શ્રી પ્રેમજીભાઈ મકવાણાએ સતત હાજર રહી સભ્‍યોનું માર્ગદર્શન પણ કર્યું હતું.
દમણવાડા ગૃપ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ આભાર વિધિ આટોપી હતી અને ભવિષ્‍યમાં પણ આ પ્રકારના કાર્યક્રમોના આયોજનની જરૂરિયાત જણાવી હતી. તેમણે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ પ્રદેશમાં પંચાયતી રાજના થઈ રહેલાસશક્‍તિકરણ બાબતે પણ પ્રશાસનનો આભાર પ્રગટ કર્યો હતો.

Related posts

‘‘સ્‍વચ્‍છ સાગર, સુરક્ષિત સાગર” અભિયાન અંતર્ગત શનિવારે દેવકા અને જમ્‍પોર બીચ ખાતે માનવ મહેરામણ ઉમટશેઃ દમણના 15 કિ.મી.વિસ્‍તારમાં ફેલાયેલા દરિયા કિનારાની સફાઈ માટે બનનારી અલગ અલગ ટીમ

vartmanpravah

શુક્રવારે સેલવાસ કિલવણી નાકા જલારામ મંદિરમાં જલારામ બાપાની જન્‍મ જયંતીની ઉજવણી કરાશે

vartmanpravah

વલસાડથી પારડી મોપેડ ઉપર નોકરી જઈ રહેલ યુવતિની મોપેડને કન્‍ટેનરે ટક્કર મારતા ઘટના સ્‍થળે મોત

vartmanpravah

દમણ જિલ્લાની પરિયારી શાળામાં યોજાયો પ્રવેશોત્‍સવ શિક્ષણના સિલેબસથી નહીં, સંસ્‍કારના નિર્માણથી ઉત્તમ નાગરિકનું સર્જન થાય છેઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

નરોલીમાં પ્રિ-મોન્‍સૂન કામગીરી પૂર્ણ થતાં લોકોને રાહતની આશા

vartmanpravah

ભાજપ હાઈકમાન્‍ડે દાનહના ચૂંટણી પ્રભારી તરીકે રેલવે મંત્રી અશ્વિની વૈષ્‍ણવની નિયુક્‍તિ કરી ખેલેલો માસ્‍ટર સ્‍ટ્રોક

vartmanpravah

Leave a Comment