August 31, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડા તાલુકાના સુખાલા ગામે જરૂરિયાતમંદ પરિવારની પડખે સ્‍વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાવ

સ્‍વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાવ અને યુએસએના માધ્‍યમથી કપિલસ્‍વામીજી એક જરૂરિયાતમંદ આદિવાસી પરિવારની મદદે પહોંચી ગયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01: કપરાડા તાલુકાના સુખાલા ગામે એક મા અને દીકરી રહે છે. ઘરમાં બે બહેનો સિવાય પરિવારની અંદર કોઈ નથી. સ્‍વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાવ અને યુએસએ પ્રમુખ કપિલસ્‍વામીજીને મેસેજ મળતા ઘરે જઈને તપાસ કરતા એમનું ઝુંપડા જેવું ઘર છે. ખાલી ઉપર પ્‍લાસ્‍ટિકો નાખેલા છે. ઘરે જઈ અને ચેક કર્યું તો કોઈપણ પ્રકારના વાસણ ઘરવખરી કે અનાજ નથી. ઘરની મુલાકાત લીધી ત્‍યારે કાંઈ પણ ન હતું. બેનને પૂછયું કે બેન જમવાનું શું કરો છો. એના જવાબમાં ત્‍યારે ખરેખર હૃદયમાં દયા આવે ભગવાનને પ્રાર્થના કરવાનું મન થાય કે હે પ્રભુ આવી ગરીબી તું કોઈને પણ ના આપે અને અમીરો માંટે જે પ્રાર્થના કરવાનું મન થાય કે જેમને પણ ભગવાને ખૂબ ધન આપ્‍યું છે એમણે આવા પરિવારો માટે કંઈક આપવું જોઈએ ત્‍યારે શ્રી સ્‍વામિનારાયણ જ્ઞાનપીઠના પ્રમુખ તરીકે મને ચોક્કસ વિચાર આવ્‍યો કે અમને ઘરની અંદરસુખ શાંતિ હોય માજી અને એમના દીકરી ખૂબ સારી રીતે જીવન જીવે એના માટે સંસ્‍થા તરફથી કપડાં વાસણ અનાજ મસાલા અને શકય હોય એટલું તેમનું સરસ મજાનું ઘર ચોમાસા પહેલા બની જાય એ વ્‍યવસ્‍થા પણ સ્‍વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાવ યુએસએના માધ્‍યમથી ચોક્કસ કરવામાં આવશે. સમાજને પ્રાર્થના કરું છું કે આવા પરિવારો આવા વડીલો આવા પ્રયત્‍નો આવી બહેનો એકલી અનેક જગ્‍યાએ હોય છે. તમારા ધ્‍યાનમાં આવા કોઈ પરિવાર આવે તો ચોક્કસ એને મદદરૂપ થજો, એને પૂછજો એની હેલ્‍પ પૂછજો એની જરૂરિયાતો પૂછજો ભગવાન તમને અનેક ઘણું આપશે અને કદાચ તમે ન આપી શકવાની શક્‍તિ ધરાવતા હો તો અમારું ધ્‍યાન દોરજો ચોક્કસ એવા પરિવારોને મુલાકાત લઈ અને સમાજના સહયોગને સમાજના દાતા તેમને યથાશક્‍તિ જે કઈ જરૂરિયાતો છે એ પૂરી પાડવા માટે અમે ચોક્કસ પ્રયત્‍ન કરીશું.
આજે આ સુખાલા ગામના વીણાબેન માજી અને એમની દીકરી અરુણાબેન એમના માટે પણ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું પ્રભુ એ પરિવાર ખૂબ શાંતિથી ખૂબ સૂખેથી સારી રીતે જીવી શકે એ વ્‍યવસ્‍થા કરવાની શક્‍તિ અમને આપજો સમાજના સૌ દંપતિઓ અને આવા ગરીબો બંને માટે પ્રાર્થના કરી હું મારા ભક્‍તો અને આપણે સૌ સાથે મળી આપણા રાષ્‍ટ્રને આવા ગરીબ અથવા રોગી કોઈપણ વ્‍યક્‍તિઓ વિકલાંગો હોય એમને મદદ કરવાની પ્રતિજ્ઞા લેવામાં કપિલસ્‍વામીજીએ અનુરોધ કર્યો છે.

Related posts

ખાનવેલ ખોરીપાડા રોડનું સ્‍થાનિક યુવાનોએ જાતે જ રીપેરીંગ કર્યું

vartmanpravah

લક્ષદ્વીપના જિલ્લા અને ગ્રામ પંચાયતના પ્રતિનિધિ મંડળે દમણ જિલ્લા પંચાયતની લીધેલી મુલાકાત પેટાઃ બંને કેન્‍દ્ર શાસિત પ્રદેશોના વિકાસની થયેલી ચર્ચાઃ મોદી સરકારના આગમન બાદ પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવનો દરેક ક્ષેત્રે થયેલો અકલ્‍પનીય વિકાસ પેટાઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં લક્ષદ્વીપના લકને પણ ચાર ચાંદ લાગી રહ્યા હોવાનું લક્ષદ્વીપના પ્રતિનિધિ મંડળનું મંતવ્‍ય (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.24 આજે કેન્‍દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપના જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયતના પ્રતિનિધિ મંડળે દમણની મુલાકાત લીધી હતી અને સાંજે દમણ જિલ્લા પંચાયત ખાતે સરપંચો અને જિલ્લા પંચાયત સભ્‍યો સાથે વિચારોનું આદાન-પ્રદાન પણ કરાયું હતું. દમણ જિલ્લા પંચાયત ખાતે લક્ષદ્વીપ અને દમણના જિલ્લા પંચાયત તથા સરપંચો સાથે આયોજીત બેઠકનું નેતૃત્‍વ દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલે કર્યું હતું. દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલે લક્ષદ્વીપના પ્રમુખ અને ચીફ કાઉન્‍સેલર શ્રી હસન બોડુમુકાગોથી સહિત અન્‍ય 19 સભ્‍યોનું અભિવાદન કરતા પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપાદૃષ્‍ટિથી પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કઠોર પરિશ્રમથી દમણ-દીવ અને દાદરા નગર હવેલીના થયેલા સર્વાંગીવિકાસની ઝલક પ્રસ્‍તુત કરી હતી. તેમણે દમણના થયેલા પ્રવાસન અને શૈક્ષણિક વિકાસની પણ ગાથા જણાવી હતી. આ પ્રસંગે દમણના વિવિધ સરપંચો અને જિલ્લા પંચાયત સભ્‍યોએ પણ દાદરા નગર હવેલી અને દમણ-દીવના થયેલા સર્વાંગી વિકાસ પાછળ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના અથાક પરિશ્રમ અને તેમની દીર્ઘદૃષ્‍ટિને શ્રેય આપ્‍યો હતો. સભ્‍યોએ ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, જ્‍યારે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ પ્રદેશના વિકાસની બ્‍લ્‍યુપ્રિન્‍ટ બતાવતા હતા ત્‍યારે કોઈને કલ્‍પના પણ નહીં હતી કે, આવા ટચૂકડા કેન્‍દ્ર શાસિત પ્રદેશમાં શિક્ષણ, સંસ્‍કાર, પ્રવાસન ઉદ્યોગ, મચ્‍છીમારી, ઉદ્યોગ સહિત દરેક ક્ષેત્રે સુપ્રિમ કક્ષાનો વિકાસ થશે. આ પ્રસંગે લક્ષદ્વીપના પ્રતિનિધિ મંડળે પણ દમણની એન્‍જિનિયરીંગ કોલેજ, બીચ રોડ, સ્‍કૂલ વગેરેની કરેલી મુલાકાતથી ખુબ જ પ્રભાવિત થયા હતા અને તેઓએ પણ વિશ્વાસ વ્‍યક્‍ત કર્યો હતો કે, પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં લક્ષદ્વીપના લકને પણ ચાર ચાંદ લાગી રહ્યા છે. તેઓએ દમણના જિલ્લા પંચાયતના સભ્‍યો અને સરપંચોને લક્ષદ્વીપ આવવાનું આમંત્રણ પણ પાઠવ્‍યું હતું. આ કાર્યક્રમમાં દમણ જિલ્લા પંચાયતના સભ્‍યો અને સરપંચો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

vartmanpravah

‘આઝાદીકા અમૃત મહોત્‍સવ’ અંતર્ગત શનિવારે જમ્‍પોર બીચથી લાઈટ હાઉસ સુધી રેલી સહ કાર્નિવલઃ ઈન્‍ડિયા દિવસ તરીકે ઉજવાશે

vartmanpravah

વાપી સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં હિન્‍દી દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

મોદી સરકારના શાસનમાં દાનહ અને દમણ-દીવમાં ચૂંટાયેલા સાંસદો અને લોક પ્રતિનિધિઓની કલ્‍પનાની બહારનો થયેલો વિકાસ

vartmanpravah

દમણ અને દીવ લોકસભા બેઠકઃ 1987થી 2024 લોકસભાની દમણ અને દીવ બેઠક માટે નવેમ્‍બર, 1987માં યોજાયેલ પેટા ચૂંટણીમાં ગોપાલદાદા 59.76 ટકા મત સાથે વિજેતા બન્‍યા હતા

vartmanpravah

Leave a Comment