June 13, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સરદાર ભિલાડવાલા બેંકની 35 વર્ષથી ચાલતી દૈનિક કલેક્‍શન યોજના બંધ થવાને આરે

વેપારીઓ તથા બેંકના સભાસદોએ ભેગા થઈ યોજના ચાલુ રાખવા આપ્‍યું આવેદન પત્ર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.13: સરદાર ભિલાડવાલા બેંકમાં લગભગ 35 વર્ષ ઉપરાંતથી ચાલતી અને મોટા વેપારીઓથી લઈ પાથરણા વાળા સુધીના નાના વેપારીઓ માટે લાભદાય એવી દૈનિક યોજનાના નવા ખાતા ન ખોલવાનો નિર્ણય બોર્ડ દ્વારા લેવાતા આ યોજનાની કામગીરી હાલના તબક્કે ખોરંભે ચઢી ચૂકી છે જેને લઇ ચિંતામાં મુકાયેલા બચતકારો અને લોનધારકો તેમજ પારડી, વાપીના વેપારીઓએ આજરોજ બેંકની હેડ ઓફિસ ખાતે મોટી સંખ્‍યામાં ભેગા થઈ આ યોજના રાબેતા મુજબ ચાલુ રાખવા લેખિત રજૂઆત કરી છે.
દક્ષિણ ગુજરાતની અગ્રગણ્‍ય એવી સરદાર ભિલાડવાલા પારડી પીપલ્‍સ કોપ કો-ઓપરેટિવ બેન્‍ક લિમિટેડ દ્વારા 35 વર્ષ ઉપરાંતથી દૈનિક યોજના ચલાવવામાં આવે છે જે યોજના થકી પાથરણાવાળાથી લઈ મોટા વેપારીઓ નાની-મોટી બચત કરતા આવ્‍યા છે તો આ યોજના થકી જ દર મહિને લોનના હપ્તા સરળતાથી ભરી રહ્યા છે જાન્‍યુઆરી 2024 થી બોર્ડ દ્વારા લેવાયેલા નિર્ણયને કારણે યોજનાના નવા ખાતા ખોલવાની કામગીરી મુલતવી રાખવામાંઆવી છે જેને કારણે બે મહિનાથી નવા ખાતા ન ખોલતા બચતકારો અને લોનધારકો ચિંતામાં મુકાયા છે ખાસ કરીને દર મહિને લોનનો હપ્તો આ યોજના થકી નિયમિત ભરતા લોનધારકો માટે મુશ્‍કેલી ઉભી થતા પારડી વાપીના વેપારીઓ આજરોજ બેંકની હેડ ઓફિસ ખાતે મોટી સંખ્‍યામાં ભેગા થયા હતા તેમ જ દૈનિક યોજનાના ખાતેદારો પણ તેમની સાથે જોડાયા હતા. જેમણે બેંકના ચેરમેનને એક લેખિત રજૂઆત કરી યોજના રાબેતા મુજબ ચાલુ રાખવા માંગ કરી છે.

Related posts

ઉમરગામ તાલુકા પંચાયતની સામાન્‍ય સભામાં ધારાસભ્‍ય પાટકરની સરમુખત્‍યારશાહી નીતિથી ભાજપના સભ્‍યોની હાલત દયનીય

vartmanpravah

દેશભરમાં વિજળીના ખાનગીકરણ સામે તેજ થઈ રહેલો અવાજ : 27 લાખ વીજ કર્મીઓ-એન્‍જિનિયરો 23-24મીફેબ્રુ.એ હડતાલમાં જોડાશે

vartmanpravah

યુઆઈએના પ્રમુખ નરેશ બંથીયાએ કુદરતી વહેણ અવરોધતા પાણી ભરાવાની સર્જાતી સમસ્‍યા તરફ સંબધિત વિભાગો અને જનપ્રતિનિધિઓનું દોરેલું ધ્‍યાન

vartmanpravah

દાદરા નગર હવેલીમાં છેલ્લા 24 કલાક દરમિયાન બે ઇંચથી વધુ વરસાદ ખાબક્‍યો

vartmanpravah

દીવના બૂચરવાડા, સાઉદવાડી અને નાગવા વિસ્‍તારોમાં ગેરકાયદેસર બાંધકામનું જેસીબી દ્વારા ડીમોલેશન કરાયું

vartmanpravah

‘આદિવાસી એકતા પરિષદ’ દ્વારા આંબોલી ગામથી જનસંપર્ક સંવાદ અને દાનહ જોડો પદયાત્રાની કરાયેલી શરૂઆત

vartmanpravah

Leave a Comment