April 18, 2026
Vartman Pravah
Breaking Newsવાપી

વાપીના કરવડ ગામે લગ્ન પ્રસંગમાં વ્‍યક્‍તિને સાપ કરડયો, પરંતુ બિનઝેરી હોવાથી ટળેલું વિઘ્ન

રૂપસુંદરી તરીકે ઓળખાતા સાપની પ્રજાતિ મુખ્‍યત્‍વે દીવમાં વધુ નજરે પડે છે : તાજેતરમાં મોટી દમણના ઝરી ખાતે એક વાડીમાં પણ એક વ્‍યક્‍તિને કરડેલો સાપ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12
વાપી નજીક આવેલા કરવડ ગામ ખાતે એક લગ્નમંડપમાં ભોજન સમારોહ પ્રસંગે ભોજન વહેંચતા વ્‍યક્‍તિને સાપ કરડવાની ઘટના પ્રકાશમાં આવી. ઘાયલ વ્‍યક્‍તિને તરત જ હોસ્‍પિટલ ખસેડવામાં આવ્‍યો. લગ્નપ્રસંગ હોય અને જાન આવવાની તૈયારીના જ સમયે વ્‍યક્‍તિને સાપ કરડવાના સમાચાર સાંભળી આવેલ મહેમાનો ગભરાઈને સ્‍થળેથી દુર ખસી ગયા હતા. જોકે જીવદયા ગ્રૂપના ભાવનાબેન પટેલને સંપર્ક સાધતા તેમના સાથી વર્ધમાન શાહ દ્વારા સ્‍થળે પહોંચી સાપને સુરક્ષિત રેસ્‍કયું કરી લીધો હતો.
લગ્નપ્રસંગે આવેલા મહેમાનને સાપ વિશેની માહિતી આપી અને ઘાયલ વ્‍યક્‍તિને બિનઝેરી રૂપસુંદરી (ઘ્‍ંળળંઁ વ્‍શ્વશઁત્ત્ફૂદ્દ) નામક સાંપ કરડ્‍યો છે અને તેને કોઈપણ જાતનું નુકશાન નહિ થાય તેવિશે જાણકારી આપવામાં આવી હતી.
લોકોને સાપ રેસ્‍કયું કરતા અને તેના વિશેની જાણકારી મળતાં હાશકારો અનુભવ્‍યો હતો. લગ્ન જેવા પ્રસંગે આવી ઘટના બનતા આસપાસના લોકોમાં કુતૂહલ પણ સર્જાયું હતું.
અત્રે નોંધનીય છે કે, આ રૂપસુંદરી સાપ ખાસ કરીને દીવમાં જોવા મળે છે. તાજેતરમાં મોટી દમણના ઝરી ખાતે એક વાડીમાં પણ એક વ્‍યક્‍તિને સાંજના સમયે સાપ કરડયો હતો. પરંતુ મોટી દમણના સાપ મિત્ર તરીકે જાણીતા શ્રી ગુરુભાઈને બોલાવતા તેમણે સાપ પકડીને આ બિનઝેરી રૂપસુંદરી સાપ હોવાનું જણાવ્‍યું હતું. પરંતુ જેમને સાપ કરડયો હતો તેમના ગભરાયેલા મિત્ર વર્તુળે મરવડ હોસ્‍પિટલમાં દાખલ કર્યો હતો, જ્‍યાં જરૂરી તપાસ અને પ્રાથમિક સારવાર આપી બીજા દિવસે રજા આપવામાં આવી હતી.

Related posts

આજે વાપી દમણગંગા નદી કિનારે આસ્‍થા સાથે ભવ્‍ય છઠ્ઠ પૂજા પ્રારંભ : બે દિવસ ઉજવણી થશે

vartmanpravah

વલસાડ જિલ્લામાં રવિ ઋતુનો ડિજિટલ સર્વે અંગે જિલ્લા કલેક્‍ટર નૈમેષ દવેના અધ્‍યક્ષસ્‍થાને બેઠક મળી

vartmanpravah

વાપી વિસ્‍તારમાં ભણતા 109 જેટલાં બાળકો વચ્‍ચે 3 અલગ અલગ ગૃપ બનાવીને ચેસ રમવાની હરીફાઈ રખાઈ

vartmanpravah

કેન્‍દ્રના ગૃહ મંત્રાલયે જારી કરેલો આદેશ દમણના કલેક્‍ટર સૌરભ મિશ્રા અને આઈ.પી.એસ. અનુજ કુમારની જમ્‍મુ કાશ્‍મીર બદલી

vartmanpravah

દમણની વેલનોન ઈન્‍ડસ્‍ટ્રીઝના કર્મીઓને આરોગ્‍ય વિભાગે ડેંગ્‍યુના રોગચાળાને અટકાવવાની બાબતમાં પ્રશિક્ષિત કર્યા

vartmanpravah

વાપી છરવાડા શ્રી રાજ રાજેશ્વરી સ્‍કૂલમાં નવરાત્રીની ભવ્‍ય ઉજવણી

vartmanpravah

Leave a Comment