April 18, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ સિવિલમાં સારવાર દરમ્‍યાન યુવાનનું મોત

(વર્તમાન પ્રવાહન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.21: દાદરા નગર હવેલીના સામરવરણી ગામે રહેતા યુવાન ઘરે જમ્‍યા બાદ અચાનક પેટમાં દુખાવો થતા સારવાર અર્થે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કર્યા બાદ સારવાર દરમ્‍યાન મોત થયું હતું.
પ્રાપ્ત વિગત અનુસાર સુનિલ વાલ્‍મિકી (ઉ.વ.18) રહેવાસી સામરવરણી જે સેલવાસ ભસતા ફળિયામાં નવનિર્મિત સોસાયટીમાં સફાઈનું કામ કરતો હતો જે પોતાનું કામ પતાવી પોતાના ઘરે જઈ જમવા બેઠો હતો જમ્‍યા બાદ થોડો સમય બાદ અચાનક પેટમાં દુઃખાવો શરૂ થઈ ગયો હતો. જે જોતા એના પરિવાર દ્વારા વિનોબાભાવે સિવિલ હોસ્‍પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્‍યો હતો. જ્‍યાં ફરજ પરના ડોકટરે ચેક કર્યા બાદ સીધો આઈસીયુમાં દાખલ કરી દેવામાં આવ્‍યો હતો અને જણાવેલ કે એના શરીરમાં લોહીની કમી છે જેથી તમારે બ્‍લડ બેન્‍ક પરથી બે બોટલ લોહી લાવવું પડશે. પરિવારના સભ્‍યો બ્‍લડ બેંક પરથી બે બોટલ બ્‍લડ લાવ્‍યા બાદ ડોકટરે દર્દીને લોહી ચડાવ્‍યું હતું. પરંતુ તબિયતમા કોઈ જ સુધારો જોવા મળ્‍યો ના હતો ડોક્‍ટર પણ દર્દીના સગાને દર્દીને મળવા પણ ના દેતા હતા. સુનીલની માતા જબરદસ્‍તી આઈસીયુમાં ઘુસી જઈ જોતા એમના દિકરાનું શરીર એકદમ ઠંડુ થઈ ગયેલ હોવાનું જોવા મળ્‍યું હતું. બાદમાં ડોક્‍ટરને પુછતા જણાવ્‍યુ કે દર્દીઆરામમા છે જેથી આપને એવું લાગે છે. સુનિલની માતાએ એના પરિવારની આખી ઘટના જણાવતા તેઓ પણ ડોક્‍ટર પાસે પહોંચ્‍યા હતા અને સુનીલને જોવાની જીદ કરી હતી. બાદમાં જોતા ડોકટરે સુનીલને મૃત ઘોષિત કર્યો હતો જેથી પરિવારના સભ્‍યોએ હોસ્‍પિટલની અંદર જ હોબાળો મચાવવાનો શરુ કર્યો હતો અને ડોક્‍ટર પર સીધા આક્ષેપ કર્યા હતા કે આપની બેદરકારીના કારણે જ અમારા પુત્રનું મોત થયું છે. સુનીલને ફક્‍ત પેટમાં દુઃખાવો હતો તે સિવાય બીજી કોઈપણ બીમારી ના હતી તો પછી લોહી ચડાવવાની કેમ જરૂર પડી હતી અને અમારો પુત્રની તબિયત વધુ બગડી હતી તો અમને કેમ જાણ કરવામાં આવી ના હતી. હાલમાં યુવાનની લાશને પીએમ રૂમમાં રાખવામાં આવી છે. પીએમ રિપોર્ટ આવ્‍યા બાદ જ યુવાનનું ક્‍યા કારણસર મોત થયું છે એ જાણી શકાશે. હાલમાં તો સુનીલના પરિવારના સભ્‍યોએ ડોક્‍ટરની જ બેદરકારીનો સીધો આક્ષેપ કર્યો છે.

Related posts

વાપી તાલુકાના 23 ગામોમાં ઉપ સરપંચોની નિમણૂક પ્રક્રિયાનો આરંભ : બે દિવસ કામગીરી ચાલશે

vartmanpravah

‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત સેલવાસમાં 175 મીટરના તિરંગા સાથે પદયાત્રા યોજાઈ

vartmanpravah

વાપી વૈશાલી હાઈવે ઉપર સ્‍ટેયરિંગ પર કાબુ ગુમાવતા ટ્રક પલટી મારી ડિવાઈડર ઉપર ચઢી ગઈ

vartmanpravah

વલસાડ કમલમમાં આઈ.ટી., સોશિયલ મીડિયાની કાર્યશાળા યોજાઈ

vartmanpravah

ભિલાડના ઇન્ડિયાપાડાના ૐ ત્રીનેશ્વર મહાદેવ મંદિરે 51 શક્તિપીઠના નિર્માણ માટે MLA સાહિત 11 દાતાઓનો મળ્યો સહકાર: 11 મંદિરના નિર્માણ માટે દાનની કરી જાહેરાત

vartmanpravah

દાનહમાં વિશ્વ હિન્‍દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શૌર્ય દિવસ નિમિત્તે યોજાયેલી બાઈક રેલી

vartmanpravah

Leave a Comment