October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશવાપીસેલવાસ

સેલવાસમાં એટીએમમાં કાર્ડ ફસાઈ ગયા બાદ ખાતામાંથી પૈસા ઉપડી જતા પોલીસ ફરિયાદ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.21: સેલવાસના ઉલ્‍ટન ફળિયામાં રહેતા યુવાન ઝંડાચોક એટીએમ પરથી પૈસા કાઢવા આવ્‍યા ત્‍યારે મશીનમાં કાર્ડ ફસાઈ જતા કાર્ડ બહાર કાઢવાનો ઘણો પ્રયાસ કરવા છતાં પણ ના નીકળતા બેંકની બ્રાન્‍ચ પર જાય તે પહેલા જ એના ખાતામાંથી ચાલીસ હજાર રૂપિયા ઉપડી જતા પોલીસમાં ફરિયાદ અરજી આપવામાં આવી છે. કમલેશ ચોબે રહેવાસી ઉલ્‍ટન ફળિયા, સેલવાસ જે 20મી માર્ચના રોજ સાંજે ઝંડાચોક એચડીએફસી એટીએમ પરથી પૈસા ઉપાડવા માટે ગયા હતા અને પૈસા ઉપાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા તે સમયે એટીએમ કાર્ડ મશીનમાં ફસાઈ ગયું હતું. જેને બહાર કાઢવાનો પ્રયાસ કરેલ પણ નિકળ્‍યું ન હતું,એટીએમ કેબિનની અંદર સિકયુરીટી ગાર્ડનો નંબર લખેલો જોતા તે નંબર પર સંપર્ક કરતા સિકયુરિટી ગાર્ડે ફોન ઉપાડી જણાવ્‍યું કે હુ આજે રજા પર છું તમારો કાર્ડ કાઢવા માટે કાર્ડનો પિન દાખલ કરશો તો તમારો કાર્ડ બહાર આવી જશે. પણ કાર્ડ બહાર આવ્‍યો ના હતો બાદમાં ગાર્ડે મસ્‍જીદ પાસેની બ્રાન્‍ચમાં જવા માટે જણાવ્‍યું હતું. જ્‍યાં બેંકમાં સબંધિત કર્મચારીને મળ્‍યો જેમણે જણાવ્‍યું કે આ એટીએમ પર કોઈ જ સુરક્ષા ગાર્ડ રહેતો નથી. બાદમાં ફરી ઝંડાચોક એટીએમ પર આવી જોતા કમલેશનો એટીએમ જોવા મળ્‍યો ના હતો. તે પછી એમના પેત્રનો ફોન આવ્‍યો કે તમારા ખાતામાંથી દસ હજાર રૂપિયા ઉપડી ગયા છે જે જાણતા ઘરે જતા બીજા પણ ત્રીસ હજાર રૂપિયા ઉપડી ગયા હોવાનો મેસેજ આવ્‍યો બાદમાં જ્‍યારે ફરી બેંકની મુલાકાત લીધી અને પાસબૂકમાં એન્‍ટ્રી કરાવી તો સાઈ મંદિર આમલી પાસેના એસબીઆઈ એટીએમમાંથી 40 હજાર રૂપિયા ઉપાડ્‍યા હોવાનું જોવા મળ્‍યું હતું. આ ઘટના અંગે કમલેશ ચોબેએ સેલવાસ પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ અરજી આપવામાં આવી છે. અને એમણે સિકયુરિટી ગાર્ડ દ્વારા પૈસા ઉપાડવામાં આવ્‍યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્‍યો છે.

Related posts

પ્રદેશ અધ્‍યક્ષ મહેશભાઈ શર્માના નેતૃત્‍વમાં દાનહ કોંગ્રેસના બ્‍લોક લેવલ સહાયક કાર્યશાળામાં મતદારો સાથે રાખવાના સંબંધની આપવામાં આવેલી વિસ્‍તૃત જાણકારી

vartmanpravah

સંસ્‍કાર વિદ્યાપીઠ વાપી છરવાડા દ્વારા વી.આઈ.એ. હોલમાં શાનદાર એન્‍યુઅલ-ડેની ઉજવણી કરાઈ

vartmanpravah

વાપી તાલુકામાં શિક્ષણ વિભાગના ઉપસચિવ એમ.આર.ચૌહાણે ૮૩ બાળકોનો શાળાપ્રવેશ કરાવ્યો

vartmanpravah

કેન્‍દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા અને હરદીપસિંહ પૂરી સમક્ષ દમણ-દીવમાં ફિશરીઝ સોસાયટી દ્વારા સંચાલિત ડિઝલ પંપોને જથ્‍થાબંધ ગ્રાહકની શ્રેણીમાંથી બાકાત કરવા પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશભાઈ ટંડેલની રજૂઆત

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કેન્‍દ્રીય રેલવે સંચાર ઈલેકટ્રોનિક્‍સ અને ઈન્‍ફોર્મેશન ટેક્‍નોલોજીના મંત્રી અશ્વિની વૈષ્‍ણવ સાથે કરેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

‘રાષ્ટ્રીય સ્‍વયં સેવક સંઘ’ સેલવાસ દ્વારા પથ સંચલન કરાયું

vartmanpravah

Leave a Comment