July 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

જે.કે. લક્ષ્મી સિમેન્‍ટના સ્‍થાપક સ્‍વ. હરિશંકર સિંઘાનીયાની 91મી જન્‍મ જયંતિએ વાપીની એજન્‍સી ગોપી એન્‍ટરપ્રાઈઝ દ્વારા રક્‍તદાન શિબિર યોજાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: જે.કે. લક્ષ્મી સિમેન્‍ટના સ્‍થાપક સ્‍વ. હરિશંકર સિંઘાનીયાની 91મી જન્‍મ જયંતિ નિમિત્તે વાપી ખાતે આવેલ જે.કે. સિમેન્‍ટની એજન્‍સી શ્રી ગોપી એન્‍ટરપ્રાઈઝમાં રક્‍તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું જેમાં 44 યુનિટ રક્‍ત એકત્રિત કરવામાં આવ્‍યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર જે.કે. લક્ષ્મી સિમેન્‍ટના સ્‍થાપક સ્‍વ. હરિશંકર સિંઘાનીયાની 91મી જન્‍મ જયંતિએ સમગ્ર દેશમાં આવેલ જે.કે. લક્ષ્મી સિમેન્‍ટની કંપનીની એજન્‍સી ધરાવતા શહેરોમાં રક્‍તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જે અંતર્ગત વાપીના જીઆઈડીસીમાં આવેલ જે.કે. લક્ષ્મી સિમેન્‍ટના ડિસ્‍ટ્રીબ્‍યુટર શ્રી ગોપી એન્‍ટરપ્રાઈઝના માલિક શ્રી મનસુખભાઈ મોરી દ્વારા રક્‍તદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં 44 યુનિટ રક્‍ત એકત્રિત કરાયું હતું.
આ રક્‍તદાન શિબિરમાં મેડિલક ટીમ તરીકે લાયન્‍સ બ્‍લડ બેંક વાપી તરફથી સેવા આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વીઆઈએના માજી પ્રમુખ શ્રી કમલેશભાઈ પટેલ, લાયન્‍સ બ્‍લડ બેન્‍કના શ્રી કેતનભાઈ જોશી, શ્રી વિપુલભાઈ શુકલ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.
આ રક્‍તદાન શિબિરને સફળ બનાવવા શ્રી મનસુખભાઈ મોરી તથાતેમની એજન્‍સીનો સ્‍ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.

Related posts

નાની દમણ કચીગામ ખાતે એક ખાનગી ફાર્મ હાઉસના સ્‍વિમીંગ પુલમાં ડૂબી જતાં 15 વર્ષિય કિશોરનું મોત

vartmanpravah

સૌપ્રથમવાર દીવ ન.પા.ના પ્રમુખ તરીકે અનુ.જાતિ મહિલાની વરણી કરાતા દાનહ જિલ્લા એસ.સી. મોર્ચા ઉપાધ્‍યક્ષ ગુલાબ રોહિતે ફટાકડા ફોડી કરેલી ઉજવણી

vartmanpravah

સરકારી જમીન પર ગેરકાયદે કબ્‍જા મુદ્દે પ્રશાસન એક્‍શન મોર્ડમાં : દીવ નગરપાલિકાએ 4 ગેરકાયદે તાણી બાંધેલ મકાનોને તોડવાનો આપેલો આદેશ

vartmanpravah

વડાપ્રધાનના જન્મદિવસે વડનગરમાં યોજાનારા કવિ સંમેલનમાં ધેજ ભરડાની શિક્ષિકા ચેતનાબેન પટેલ ભાગ લઈ કવિતાનું પઠન કરશે

vartmanpravah

વાપી યુ.પી.એલ. મુક્‍તિધામને 6 વર્ષ પુરા થયા: 4763 જેટલા મૃતદેહોના અગ્નિ સંસ્‍કાર કરાયા

vartmanpravah

સેલવાસના આરડીસી ચાર્મી પારેખ અભ્‍યાસ માટે વિદેશ જતાં સેલવાસના આરડીસી તરીકે પ્રિયાંક કિશોરની કરાયેલી નિયુક્‍તિઃ દાનિક્‍સ અધિકારી કરણજીત વાડોદરિયાને સેલવાસ સ્‍માર્ટ સીટીના સી.ઈ.ઓ. તરીકેની આપવામાં આવેલી જવાબદારી

vartmanpravah

Leave a Comment