June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

જે.કે. લક્ષ્મી સિમેન્‍ટના સ્‍થાપક સ્‍વ. હરિશંકર સિંઘાનીયાની 91મી જન્‍મ જયંતિએ વાપીની એજન્‍સી ગોપી એન્‍ટરપ્રાઈઝ દ્વારા રક્‍તદાન શિબિર યોજાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: જે.કે. લક્ષ્મી સિમેન્‍ટના સ્‍થાપક સ્‍વ. હરિશંકર સિંઘાનીયાની 91મી જન્‍મ જયંતિ નિમિત્તે વાપી ખાતે આવેલ જે.કે. સિમેન્‍ટની એજન્‍સી શ્રી ગોપી એન્‍ટરપ્રાઈઝમાં રક્‍તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું જેમાં 44 યુનિટ રક્‍ત એકત્રિત કરવામાં આવ્‍યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર જે.કે. લક્ષ્મી સિમેન્‍ટના સ્‍થાપક સ્‍વ. હરિશંકર સિંઘાનીયાની 91મી જન્‍મ જયંતિએ સમગ્ર દેશમાં આવેલ જે.કે. લક્ષ્મી સિમેન્‍ટની કંપનીની એજન્‍સી ધરાવતા શહેરોમાં રક્‍તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જે અંતર્ગત વાપીના જીઆઈડીસીમાં આવેલ જે.કે. લક્ષ્મી સિમેન્‍ટના ડિસ્‍ટ્રીબ્‍યુટર શ્રી ગોપી એન્‍ટરપ્રાઈઝના માલિક શ્રી મનસુખભાઈ મોરી દ્વારા રક્‍તદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં 44 યુનિટ રક્‍ત એકત્રિત કરાયું હતું.
આ રક્‍તદાન શિબિરમાં મેડિલક ટીમ તરીકે લાયન્‍સ બ્‍લડ બેંક વાપી તરફથી સેવા આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વીઆઈએના માજી પ્રમુખ શ્રી કમલેશભાઈ પટેલ, લાયન્‍સ બ્‍લડ બેન્‍કના શ્રી કેતનભાઈ જોશી, શ્રી વિપુલભાઈ શુકલ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.
આ રક્‍તદાન શિબિરને સફળ બનાવવા શ્રી મનસુખભાઈ મોરી તથાતેમની એજન્‍સીનો સ્‍ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.

Related posts

નવસારી જિલ્લામાં પશુપાલન ખાતાની ૧૫ ટીમો દ્વારા ૧૦૯ ગામોમાં સર્વે પૂર્ણ: અસરગ્રસ્ત ગામોમાં કુલ ૩૮૫૯ પશુઓને સારવાર આપી

vartmanpravah

જીવનદીપ હેલ્‍થ એજ્‍યુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ સંચાલિત ચાઈલ્‍ડ લાઈન સર્વિસ ‘‘1098” દીવ દ્વારા દીવના મ્‍યુનિસિપલ કાઉન્‍સિલ દીવ પ્રમુખશ્રી હેમલતાબેન સોલંકી તથા ઉપપ્રમુખશ્રી હરેશભાઈ કાપડિયા તથા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી અમૃતાબેન બામણીયા સાથે શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

વાપી એલ.જી. હરિઆ સ્‍કૂલમાં શિક્ષક ગરિમા ગાન કરતા શિક્ષક દિવસની ઉજવણી કરાઈ 

vartmanpravah

સેલવાસ ડીસ્‍ટ્રીક્‍ટ કોર્ટનો શકવર્તી ચુકાદો આમલી ખાતે રહેતા યુવાનનું ગળુ દબાવી હત્‍યા કરવાના ગુનાના આરોપીજીજ્ઞેશ ભીખા વાળંદને ફટકારેલી આજીવન કેદની સજા

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ગુરુવારે સવારે ગાઢ ધુમ્‍મસવાળા વાતાવરણને કારણે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. ત્‍યારબાદ આખો દિવસ વાદળછાયું વાતાવરણ હોવાને કારણે આંશિક ઠંડીનો પણ અહેસાસ થયો હતો.

vartmanpravah

શ્રી રામદેવ ચેરીટેબલ ટ્રસ્‍ટ સરીગામ ભીલાડ દ્વારા ચારભુજાજી રેવાડ યાત્રાનું કરવામાં આવેલું ભવ્‍ય આયોજન

vartmanpravah

Leave a Comment