Vartman Pravah
દમણ

પ્રશાસનના 4C કાર્યક્રમ અંતર્ગત દમણમાં પોલીકેબ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને પૌષ્ટિક ખાદ્ય સામગ્રીની કિટનું કરાયેલું વિતરણ

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.૦૬
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાંથી કુપોષણ, ટીબી, રક્તપિત્ત, ઍનિમિયા જેવી બિમારીને દૂર કરી તેની સામે રક્ષણ મળી રહે ઍ માટે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની પહેલ ઉપર પ્રદેશના ઉદ્યોગોઍ કેટલાક ગામો અને વિવિધ વયજૂથના દર્દીઅોને દત્તક લઈ દર મહિને આવા પરિવારોને પૌષ્ટિક ખાદ્ય સામગ્રીનું વિતરણ કરવામાં આવે છે. જે કડીમાં આજે દમણ ખાતે દેશની નંબરવન ગણાતી પોલીકેબ ઈન્ડસ્ટ્રીઝે પ્રશાસનના ‘૪સી’ સીઍસઆર કાર્યક્રમ અંતર્ગત કંપનીના પ્રમુખ શ્રી રમેશ કુંદનાની દ્વારા પૌષ્ટિક ખાદ્ય સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
પ્રા માહિતી અનુસાર પોલીકેબ કંપનીના પ્રમુખ શ્રી રમેશ કુંદનાની દ્વારા ૪સી પ્રોજેક્ટ આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ૩ ગામોમાં દર મહિને પૌષ્ટિક ખાદ્ય સામગ્રીનું વિતરણ કરવામાં આવે છે. જેમાં દર મહિને આશરે ૧૫૮ બાળકોનો સમાવેશ થાય છે. દમણના દેવકા હેલ્પ સેન્ટર ખાતે ૨૬ કીટ, કડૈયા આરોગ્ય કેન્દ્રમાં ૩૦ કીટ, કુંડ ફળિયા આરોગ્ય કેન્દ્રમાં પૌષ્ટિક ખોરાકની ૨૧ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આવતીકાલે સવારે પણ ત્રણેય આરોગ્ય કેન્દ્રો પૌષ્ટિક આહાર કીટનું વિતરણ કરાશે. આમ કુલ ૧૫૮ કિટ પોલીકેબ કંપની દ્વારા વિતરિત કરવામાં આવી હતી. જેનો મુખ્ય ઉદ્દેશ્ય જેવા કે ટીબી, ઍનિમિયા, કુપોષણમાં કેટલાક લોકોને પોષક આહાર મળતો નથી જે માટે પોષક આહારનું કીટનું વિતરણ કરવામાં આવે છે. પોલિકેબ ઈન્ડિયા લિમિટેડ દ્વારા આ પ્રમાણે દર મહિને જરૂરીયાતમંદોને પોષક આહાર કીટનું વિતરણ ચાલુ રખાશે.
આ કાર્યક્રમમાં પોલિકેબ કંપનીના પ્રમુખ શ્રી રમેશ કુંદનાની સાથે કંપનીના શ્રી તપસ પ્રમાણિક અને શ્રી કે.વી. રાજુ ઉપસ્થિત રહ્ના હતા.

Related posts

ખેતીવાડી-ઉદ્યોગો અને પ્રજા માટે જીવાદોરી સમાન ગણાતો વલસાડનો મધુબન ડેમ છલકાતા મન મોહક બન્‍યો

vartmanpravah

સંઘપ્રદેશના ચાર દાનિક્‍સ અધિકારીઓના વિભાગોમાં ફેરબદલઃ એકાદ-બેને રૂઆબદાર પોસ્‍ટિંગ તો બીજાને અન્‍ય વિભાગોમાં કામ કરવા મળનારી તક

vartmanpravah

સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટીની એક્‍સપોઝર વિઝિટ અને ક્ષમતા નિર્માણ કાર્યશાળાથી દાનહ અને દમણ-દીવના જનપ્રતિનિધિઓની સહયાત્રાથી એક્‍તા અને હકારાત્‍મકતાનો ખિલેલો ભાવ

vartmanpravah

દમણઃ આટિયાવાડ ગ્રા.પં.ના સરપંચ ઉર્વશીબેન પટેલે આયુષ્‍માન આરોગ્‍ય મેળાનું કરેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

પ્રદેશ ભાજપ ઓબીસી મોર્ચા દ્વારા દાનહના સેલવાસ ખાતે ભાજપના સામાજિક ન્‍યાય સપ્તાહ અંતર્ગત મહાત્‍મા જ્‍યોતિબા ફૂલેની કરાયેલી ઉજવણી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને રાષ્‍ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ જોડે કરેલી મુલાકાત

vartmanpravah

Leave a Comment