(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.25
સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ-દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલને રાજપથ પર પરેડનું નેતળત્વ કરનારી દીવની કુમારી સિદ્ધિ રમેશ બારિયાએ આજે દમણ પહોંચી સચિવાલયમાં પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની મુલાકાત લીધી હતી.
આ અવસરે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ભારતના 73મા પ્રજાસત્તાક દિવસની પરેડની ઉજવણીમાં દિલ્હીમાં એનએસએસ પરેડનું નેતળત્વ કરનાર સિદ્ધિ રમેશ બારિયાને શુભેચ્છા પાઠવી હતી.
આ અવસરે દીવ એનએસએસના અધિકારીઓએ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું.