September 3, 2026
Vartman Pravah
દમણ

વરસાદ ખેચાતા દમણમાં ડાંગરનું ધરૂ સુકાવાની નોબતઃ મોટી દમણના ખેડૂતોની દયનીય બનેલી હાલત

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા. ૦૬ઃ દમણમાં વરસાદ ખેîચાતા ડાંગરનું ધરૂ સુકાવાની નોબત આવી રહી છે. ખાસ કરીને મોટી દમણના વિસ્તારમાં મોટાભાગના ખેડૂતો ડાંગરની ખેતી કરે છે. પ્રશાસન દ્વારા સિંચાઈની કરાયેલી વ્યવસ્થા છતાં દેખરેખના અભાવે સિંચાઈ વ્યવસ્થામાં અવરોધ પેદા થયેલ હોવાની માહિતી પણ સાંપડી છે.
મળતી માહિતી પ્રમાણે દમણવાડા ગ્રામ પંચાયતના બારિયાવાડ ખાતે પ્રશાસન દ્વારા સિંચાઈ વ્યવસ્થા માટે કેટલાક ખેતરોને આવરી લઈ બોર કરવામાં આવેલ છે. આ બોરમાંથી ખેતરોને પાણી પહોîચાડવા માટે પમ્પીંગ સ્ટેશન પણ બનાવવામાં આવેલ છે. પરંતુ દેખરેખના અભાવે આ વ્યવસ્થા પડી ભાંગેલ હોવાનું સામે આવ્યું છે.
અત્રે નોîધનીય છે કે, મોટી દમણમાં મધુબન જળાશય યોજના અંતર્ગત બનાવવામાં આવેલ નહેરની પણ કોઈ ઉપયોગીતા રહી નથી. જ્યારથી નહેરનું નિર્માણ થયું છે ત્યારથી ભાગ્યે જ ખેતરને પાણી પહોîચ્યું હોય ઍવી સ્થિતિ છે. નહેરની આજુબાજુ કરાયેલા દબાણના કારણે ખેતરો સુધી પાણી પહોîચતું નથી અને ઠેર ઠેર નહેરમાં પણ ભંગાણ હોવાનું જાવા મળે છે.
સંઘપ્રદેશ પ્રશાસન ખાસ કરીને મોટી દમણના ખેડૂતોની ખેતીને નવજીવન મળે ઍવા પ્રયાસ કરે ઍવી માંગ પ્રબળ બની છે. મોટી દમણમાં સિંચાઈના અભાવની સાથે સાથે રખડતા ઢોરોના પણ અસહ્ના ત્રાસના કારણે ખેડૂતો પોતાની જમીનમાં કોઈપણ વસ્તુનું વાવેતર કરવાનું ટાળે છે. જા પ્રશાસન દ્વારા યોગ્ય સહકાર મળે તો મોટી દમણમાં અોર્ગેનિક ખેતીનો પ્રયોગ પણ સફળ બની શકે ઍવી સંભાવના જાવાઈ રહી છે.
સંઘપ્રદેશ પ્રશાસન મોટી દમણના ખેડૂતો માટે કોઈ ઠોસ રણનીતિ બનાવે ઍવી અપેક્ષા વ્યક્ત થઈ રહી છે.

Related posts

કેન્‍દ્રિય રમત-ગમત અને યુવા બાબતોના વિભાગ દ્વારા કીર્તિ કાર્યક્રમ અંતર્ગત નાની દમણના સ્‍વામી વિવેકાનંદ ક્રિકેટ ગ્રાઉન્‍ડ ઉપર યુવા ખેલાડીઓ માટે પ્રતિભા મૂલ્‍યાંકન શિબિરનું આયોજન

vartmanpravah

‘‘સ્‍વચ્‍છ ભારત દિવસ” અને ‘‘સ્‍વચ્‍છતા હીફ સેવા” અભિયાન અંતર્ગત દમણના વિશાળ સમુદ્ર કિનારાની કરાયેલી સાફ-સફાઈ

vartmanpravah

પ્રદેશ ભાજપ કાર્યાલય અટલ ભવન સેલવાસ ખાતે રવિવારે દાનહ ભાજપ મહિલા મોરચાએ પ્રધાનમંત્રીશ્રીની ‘મન કી બાત’ સાંભળવા કરેલું આયોજન

vartmanpravah

દાનહ સાંસદ કલાબેન ડેલકર અને પુત્ર અભિનવ ડેલકર શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ને દગો આપવાની ફિરાકમાં..?

vartmanpravah

1લી જુલાઈએ શતરંજ ઓલમ્‍પિયાડની મશાલ રીલે દમણ પહોંચશેઃસંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમ ખાતે થનારૂં ભવ્‍ય સ્‍વાગત

vartmanpravah

1975માં કોંગ્રેસે લાદેલી કટોકટીને 50 વર્ષ પૂર્ણ : દાનહ જિલ્લા ભાજપે વિરોધ પ્રદર્શન કરી તત્‍કાલિન કોંગ્રેસ સરકારનાનિર્ણયને વખોડયો

vartmanpravah

Leave a Comment