October 14, 2025
Vartman Pravah
દમણ

વરસાદ ખેચાતા દમણમાં ડાંગરનું ધરૂ સુકાવાની નોબતઃ મોટી દમણના ખેડૂતોની દયનીય બનેલી હાલત

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા. ૦૬ઃ દમણમાં વરસાદ ખેîચાતા ડાંગરનું ધરૂ સુકાવાની નોબત આવી રહી છે. ખાસ કરીને મોટી દમણના વિસ્તારમાં મોટાભાગના ખેડૂતો ડાંગરની ખેતી કરે છે. પ્રશાસન દ્વારા સિંચાઈની કરાયેલી વ્યવસ્થા છતાં દેખરેખના અભાવે સિંચાઈ વ્યવસ્થામાં અવરોધ પેદા થયેલ હોવાની માહિતી પણ સાંપડી છે.
મળતી માહિતી પ્રમાણે દમણવાડા ગ્રામ પંચાયતના બારિયાવાડ ખાતે પ્રશાસન દ્વારા સિંચાઈ વ્યવસ્થા માટે કેટલાક ખેતરોને આવરી લઈ બોર કરવામાં આવેલ છે. આ બોરમાંથી ખેતરોને પાણી પહોîચાડવા માટે પમ્પીંગ સ્ટેશન પણ બનાવવામાં આવેલ છે. પરંતુ દેખરેખના અભાવે આ વ્યવસ્થા પડી ભાંગેલ હોવાનું સામે આવ્યું છે.
અત્રે નોîધનીય છે કે, મોટી દમણમાં મધુબન જળાશય યોજના અંતર્ગત બનાવવામાં આવેલ નહેરની પણ કોઈ ઉપયોગીતા રહી નથી. જ્યારથી નહેરનું નિર્માણ થયું છે ત્યારથી ભાગ્યે જ ખેતરને પાણી પહોîચ્યું હોય ઍવી સ્થિતિ છે. નહેરની આજુબાજુ કરાયેલા દબાણના કારણે ખેતરો સુધી પાણી પહોîચતું નથી અને ઠેર ઠેર નહેરમાં પણ ભંગાણ હોવાનું જાવા મળે છે.
સંઘપ્રદેશ પ્રશાસન ખાસ કરીને મોટી દમણના ખેડૂતોની ખેતીને નવજીવન મળે ઍવા પ્રયાસ કરે ઍવી માંગ પ્રબળ બની છે. મોટી દમણમાં સિંચાઈના અભાવની સાથે સાથે રખડતા ઢોરોના પણ અસહ્ના ત્રાસના કારણે ખેડૂતો પોતાની જમીનમાં કોઈપણ વસ્તુનું વાવેતર કરવાનું ટાળે છે. જા પ્રશાસન દ્વારા યોગ્ય સહકાર મળે તો મોટી દમણમાં અોર્ગેનિક ખેતીનો પ્રયોગ પણ સફળ બની શકે ઍવી સંભાવના જાવાઈ રહી છે.
સંઘપ્રદેશ પ્રશાસન મોટી દમણના ખેડૂતો માટે કોઈ ઠોસ રણનીતિ બનાવે ઍવી અપેક્ષા વ્યક્ત થઈ રહી છે.

Related posts

સમાજ કલ્‍યાણ વિભાગ, સર્વ શિક્ષા અભિયાન અને આરોગ્‍ય વિભાગના સંકલનમાં, દમણ જિલ્લાના વરિષ્ઠ નાગરિકો અને વિવિધ રીતે વિકલાંગ લોકો માટે બે દિવસીય મૂલ્‍યાંકન શિબિરનું આયોજન

vartmanpravah

આખા હિન્‍દુસ્‍થાનને પોર્ટુગીઝ સત્તા હેઠળ લાવવા મહેચ્‍છા સાથે અલ્‍બુકર્કે ગોવા ઉપરાંત મલાક્કા દ્વીપ, હુગલી, ઓરમઝ, ચિત્તાગોંગ તથા દીવ અને દમણ જેવા સ્‍થળો જીતી લીધા

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં દાનહ અને દમણ-દીવ મેડિકલ એજ્‍યુકેશન વિભાગ દ્વારા યોજાયો ‘સમર્પણ’ કાર્યક્રમ

vartmanpravah

સંઘપ્રદેશ દમણ અને દાનહમાં વિવિધ સ્‍થળોએ સ્‍થાપિત દોઢ દિવસના ગણપતિની પ્રતિમાઓનું કરાયેલું વિસર્જન

vartmanpravah

દાનહના એસડીપીઓ સિદ્ધાર્થ જૈન અને દમણના પી.એસ.આઈ. હિરલ પટેલની કેન્‍દ્રીય ગૃહમંત્રીના એક્‍સેલેન્‍સ ઈન ઈન્‍વેસ્‍ટીગેશન મેડલ-2023 માટે કરાયેલી પસંદગી

vartmanpravah

દાનહ વન્‍યજીવ અભ્‍યારણ જંગલ અતિક્રમણ બાબતે કોર્ટ દ્વારા ચુકાદો: જંગલની જમીન પર ગેરકાયદેસર નિર્માણ કરનાર ધાકલ તુમણાને રૂ.૨૦૦૦ અથવા બે મહિનાની સખ્ત કેદ

vartmanpravah

Leave a Comment