September 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકાના સાદડવેલમાં વલસાડ-ડાંગ લોકસભા બેઠક કોંગ્રેસના ઉમેદવાર અનંતભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં કાર્યક્રમ યોજાયો

જિલ્લા કોંગ્રેસ પ્રમુખી સૂચક ગેરહાજરીથી રાજકીય વર્તુળમાં અનેક ચર્ચાઓ ઉઠવા પામીઃ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નવસારી બેઠકના પ્રબળ દાવેદાર હતા પરંતુ તેમનું પૂર્વ ગોઠવણના ભાગરૂપે પત્તુકપાયું હોવાની ઉઠી રહેલી ચર્ચા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.15: સાદડવેલ ગામે રવિવારની રાત્રીએ ઈન્‍ડિયા ગઠબંધન દ્વારા આયોજિત કાર્યક્રમમાં વલસાડ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અનંતભાઈ પટેલ ઉપરાંત યુથ કોંગ્રેસના પ્રભારી મનિષભાઈ ચૌધરી આમ આદમી પાર્ટીના પંકજભાઈ તાલુકા કોંગ્રેસના પ્રમુખ આઈ.સી. પટેલ આદિવાસી સંગઠનના રમેશભાઈ આસપાસ ગામોના સરપંચો અને વિશાળ સંખ્‍યામાં કાર્યકરોની ઉપસ્‍થિતિમાં યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શૈલેષભાઈ ગેરહાજર રહેતા રાજકીય વર્તુળમાં અનેક ચર્ચાઓ ઉઠવા પામી છે.
ચીખલી તાલુકાના સાદકપોર ગામના શૈલેષભાઇ પટેલે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે સુકાન સાંભળ્‍યા બાદ લોકોના પ્રશ્નો બાબતે રજૂઆત ઉપરાંત ભાજપ સરકારની નીતિરિતી સામેના વિરોધ પ્રદર્શનનો સફળતાપૂર્વક પાર પાડ્‍યા હતા અને કોંગ્રેસમાં નવો સંચાર કરવામાં તેમને કંઈક અંશે સફળતા મળી હતી તેઓ ઓબીસી સમાજમાંથી આવતા હોય નવસારી બેઠકમાં ઓબીસી સમાજના મતદારોની સંખ્‍યા વિશેષ હોય નવસારી બેઠક પરથી તેમની મજબૂત દાવેદારી હતી પરંતુ કેટલાક ઘરના જ ઘાતકી નીકળતા અને રાજકીય આટાપાટામાં તેમનું પત્તું કપાતા શૈલેષભાઈ અને તેમના સમર્થકોમાં ઓબીસી સમાજમાં નારાજગીહોવાનું કહેવાય છે. સાદડવેલ ગામના કાર્યક્રમમાં તેઓ હાજર ન રહેતા તેઓની નારાજગીને સમર્થન મળી રહ્યું છે. ત્‍યારે આવનાર દિવસોમાં કોંગ્રેસમાં કોઈ કમઠાણ સર્જાઈ અને નવા જૂની થાય તો નવાઈ નહિ અને તેની અસર વલસાડ બેઠક પર પણ વર્તાઈ શકે તેવી અનેક ચર્ચાઓ ઉઠવા પામી છે.
તાલુકા કોંગ્રેસ પ્રમુખ આઈ.સી.પટેલના જણાવ્‍યાનુસાર સાદડવેલ ગામના કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શૈલેષભાઇ બીજા કામમાં હોય ઉપસ્‍થિત રહી શક્‍યા ન હતા અને તેઓ નારાજ નથી અને નારાજગીનો કોઈ પ્રશ્ન પણ નથી.

Related posts

સેલવાસ નગરપાલિકાને ડેંગ્‍યુ-મેલેરિયાના ફેલાવાને નિયંત્રણમાં રાખવા મળેલી સફળતા

vartmanpravah

સેલવાસ જવાહર નવોદય વિદ્યાલયની વિદ્યાર્થીનીને ઈસરો દ્વારા આમંત્રિત કરાઈ

vartmanpravah

સાવધાન…: દમણમાં લાંબા અરસાના વિરામ બાદ ફરી કોરોનાની એન્‍ટ્રીઃ 4 પોઝિટિવ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે નીતિ આયોગના ઉપાધ્‍યક્ષ સુમન કે. બેરી સાથે પ્રદેશના વિકાસ માટે કરેલું મનન-મંથન

vartmanpravah

કોરોનાના વધતા સંક્રમણને લઈ પ્રશાસનનો મોટો નિર્ણય : આગામી રવિવારથી વલસાડમાં રવિવારી બજાર બંધ

vartmanpravah

પારડી નજીક ગાંધીધામ ટ્રેન આગળ પડતું મૂકી 30 વર્ષીય અજાણ્‍યા યુવકનો આપઘાત

vartmanpravah

Leave a Comment