February 5, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

વિજયાદશમીના પર્વને અનુલક્ષી નરોલીમાં આર.એસ.એસ. દ્વારા કરાયેલું પથ સંચલન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.23 : શનિવારે દાદરા નગર હવેલીના નરોલી ગામે વિજયાદશમી પર્વની ઉજવણીને અનુલક્ષીને રાષ્‍ટ્રીય સ્‍વયં સેવક સંઘ(આર.એસ.એસ.) દ્વારા પથ સંચલન કરવામાં આવ્‍યું હતું.
ભારતના વૈભવશાળી અને વિજયની પરંપરાના સ્‍મરણમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વિજયાદશમી ઉત્‍સવ અંતર્ગત રાષ્ટ્રીય સ્‍વયંસેવક સંઘ દ્વારા વિજયાદશમી પહેલાં પથ સંચલનનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આર.એસ.એસ. દ્વારા નરોલી હાઈસ્‍કૂલ મેદાન પર આયોજીત આ પથ સંચલન કાર્યક્રમમાં મુખ્‍ય અતિથિ તરીકે નિવૃત વરિષ્ઠ અધ્‍યાપક શ્રી વીરેન્‍દ્રસિંહ ચૌહાણ સાથે પ્રમુખ વક્‍તા તરીકે ગુજરાત પ્રાંત સંપર્ક પ્રમુખ શ્રી નંદકિશોર અને શ્રી સુભાષ કટારીયા તાલુકા કાર્યવાહ તરીકે ઉપસ્‍થિત રહ્યા હતા.
પથ સંચલનની શરૂઆત નરોલી હાઈસ્‍કૂલ મેદાનથી શરૂ કરી નરોલી ચાર રસ્‍તા, ભવાનીમાતા મંદિર, દીપ કોમ્‍પ્‍લેક્‍સ, રાજપૂત સમાજ ગ્રાઉન્‍ડ, મેઈન રોડ, મેઈન રોડથી કમલાની મિલ, ગંગેશ્વર મહાદેવ મંદિર થઈ પરત નરોલી હાઈસ્‍કૂલ ખાતે આવી હતી. આ પથ સંચલન દરમિયાન ચાર રસ્‍તા પર રાષ્‍ટ્રીય સ્‍વયં સેવકોનું પુષ્‍પવર્ષાથી સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. પથ સંચાલનમાં 200થી વધુની સંખ્‍યામાં ગણવેશધારી રાષ્ટ્રીય સ્‍વયં સેવક સંઘના કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં નરોલી નગરના પ્રબુદ્ધ નાગરિકો પણ મોટી સંખ્‍યામાં જોડાયા હતા.

Related posts

કલેક્‍ટર તથા આયોજન અને વિકાસ પ્રાધિકરણના સભ્‍ય સચિવ ભાનુ પ્રભાની સૂચના- દાનહમાં સ્‍થાપિત ગણપતિની મૂર્તિઓનું વિસર્જન કૃત્રિમ કુંડમાં જ કરવામાં આવે

vartmanpravah

વાપી હાઈવે પર પાલિકા પાઈપના સમારકામ દરમિયાન 7 ફૂટ લાંબો અજગર નીકળ્‍યોઃ સફળ રેસ્‍ક્‍યૂ કરાયું

vartmanpravah

આજે વિશ્વ હૃદય દિવસઃ યુવા વર્ગમાં હાર્ટ એટેકનું વધતું જતું જોખમ ચિંતાજનકઃ જનજાગૃતિથી બચાવી શકાય છે જીવ

vartmanpravah

કપરાડા તાલુકા કક્ષાના 75મા વન મહોત્‍સવની પૂર્વ મંત્રી અને ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરીના અધ્‍યક્ષસ્‍થાને કરાયેલી ઉજવણી

vartmanpravah

ચીખલીની સબ ડિસ્‍ટ્રીક હોસ્‍પિટલને શ્રેષ્ઠ હોસ્‍પિટલનો પુરસ્‍કાર આરોગ્‍ય વિભાગ દ્વારા એનાયત કરાયો

vartmanpravah

વાપી હાઈવે દમણગંગા પુલ ઉપર ફરીવાર ખાડો પડતા દોડ મચી

vartmanpravah

Leave a Comment