January 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

વિજયાદશમીના પર્વને અનુલક્ષી નરોલીમાં આર.એસ.એસ. દ્વારા કરાયેલું પથ સંચલન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.23 : શનિવારે દાદરા નગર હવેલીના નરોલી ગામે વિજયાદશમી પર્વની ઉજવણીને અનુલક્ષીને રાષ્‍ટ્રીય સ્‍વયં સેવક સંઘ(આર.એસ.એસ.) દ્વારા પથ સંચલન કરવામાં આવ્‍યું હતું.
ભારતના વૈભવશાળી અને વિજયની પરંપરાના સ્‍મરણમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વિજયાદશમી ઉત્‍સવ અંતર્ગત રાષ્ટ્રીય સ્‍વયંસેવક સંઘ દ્વારા વિજયાદશમી પહેલાં પથ સંચલનનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આર.એસ.એસ. દ્વારા નરોલી હાઈસ્‍કૂલ મેદાન પર આયોજીત આ પથ સંચલન કાર્યક્રમમાં મુખ્‍ય અતિથિ તરીકે નિવૃત વરિષ્ઠ અધ્‍યાપક શ્રી વીરેન્‍દ્રસિંહ ચૌહાણ સાથે પ્રમુખ વક્‍તા તરીકે ગુજરાત પ્રાંત સંપર્ક પ્રમુખ શ્રી નંદકિશોર અને શ્રી સુભાષ કટારીયા તાલુકા કાર્યવાહ તરીકે ઉપસ્‍થિત રહ્યા હતા.
પથ સંચલનની શરૂઆત નરોલી હાઈસ્‍કૂલ મેદાનથી શરૂ કરી નરોલી ચાર રસ્‍તા, ભવાનીમાતા મંદિર, દીપ કોમ્‍પ્‍લેક્‍સ, રાજપૂત સમાજ ગ્રાઉન્‍ડ, મેઈન રોડ, મેઈન રોડથી કમલાની મિલ, ગંગેશ્વર મહાદેવ મંદિર થઈ પરત નરોલી હાઈસ્‍કૂલ ખાતે આવી હતી. આ પથ સંચલન દરમિયાન ચાર રસ્‍તા પર રાષ્‍ટ્રીય સ્‍વયં સેવકોનું પુષ્‍પવર્ષાથી સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. પથ સંચાલનમાં 200થી વધુની સંખ્‍યામાં ગણવેશધારી રાષ્ટ્રીય સ્‍વયં સેવક સંઘના કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં નરોલી નગરના પ્રબુદ્ધ નાગરિકો પણ મોટી સંખ્‍યામાં જોડાયા હતા.

Related posts

દીવ પોલીસ મથકના ઈન્‍ચાર્જ પી.આઈ. પંકેશ ટંડેલ સસ્‍પેન્‍ડઃ ભરતી પ્રક્રિયા સમયે રજૂ કરેલા જન્‍મ પ્રમાણપત્રના બનાવટી દસ્‍તાવેજો

vartmanpravah

દાનહમાં 05 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પહેલો સંઘપ્રદેશ છે જ્‍યાં સતત વિકાસ લક્ષ્ય (એસડીજી) ઉપર વર્કશોપનું કરાતું આયોજન : નીતિ આયોગના નોડલ ઓફિસર સંયુક્‍તા સમદાર

vartmanpravah

દાનહના સાંસદ કલાબેન ડેલકર અને પૂર્વ સાંસદ નટુભાઈ પટેલ સહિત 7 પાસે અધધ.. જમીન..!

vartmanpravah

સુસ્‍વાગતમ્‌-2025: મીઠી મધુરી કડવી તીખી યાદો સાથે 2024ની વિદાય

vartmanpravah

નેશનલ પોલીસ એકેડેમી હૈદરાબાદના દિશા-નિર્દેશ હેઠળ દાનહમાં કર્મયોગી પોલીસકર્મીના બે દિવસીય તાલીમ શિબિરનો આરંભ

vartmanpravah

Leave a Comment