July 18, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણ

દમણમાં પાંચ ગુંઠા સુધીની જમીનમાં પોતાનું ઘર બનાવવા પ્‍લાન પાસ કરવામાંથી આપેલી મુક્‍તિ બદલ દમણ-દીવના પૂર્વ સાંસદ લાલુભાઈ પટેલે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી, પ્રશાસક પ્રફુલભાઈ પટેલ અને જિલ્લા કલેક્‍ટર સૌરભ મિશ્રાનો માનેલો આભાર

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ અને તેમની ટીમ દ્વારા પ્રદેશના લોકોને ઓછામાં ઓછી તકલીફ પડે અને વધુમાં વધુ ફાયદો થાય એવી વ્‍યવસ્‍થા કરવાની હંમેશા રહેલી નીતિઃ લાલુભાઈ પટેલ

હવે પોતાનું ઘર બનાવનારાઓને ભૂતકાળમાં વેઠવા પડતી હાડમારીથી મળનારો છૂટકારો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
દમણ, તા.13 : દમણ જિલ્લામાં પાંચ ગુંઠા સુધીની સેટલમેન્‍ટ, રેશિડેન્‍સિયલ અથવા ગાંવઠાણની જગ્‍યામાં પોતાનું ઘર બનાવવા એન.એ. અને પ્‍લાન પાસ કરવામાંથી જિલ્લા પ્રશાસને કરેલા મુક્‍તિના આદેશની દમણ અને દીવના પૂર્વ સાંસદ શ્રી લાલુભાઈ પટેલે સરાહના કરી પ્રશાસનનો આભાર પ્રગટ કર્યો હતો.
દમણ અને દીવના પૂર્વ સાંસદ શ્રી લાલુભાઈ પટેલે ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ અને તેમની ટીમ હંમેશા પ્રદેશના લોકોને ઓછામાં ઓછી તકલીફ પડે અને વધુમાં વધુ ફાયદો થાય એવી વ્‍યવસ્‍થા કરતા આવ્‍યા છે. જેમાં હવે પાંચ ગુંઠા સુધીની જગ્‍યામાં પોતાનું ઘર બનાવવા ઈચ્‍છતા લોકોને ખુબ જ અનુラકૂળતા પડશે એવી લાગણી પણ પ્રગટ કરી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, આ પહેલાં સંઘપ્રદેશ પ્રશાસને દમણની જમીનોના કરેલા ઝોનિંગમાં રેસિડેન્‍શિયલ તથા સેટલમેન્‍ટ ઝોનને પ્રદેશના વિકાસને નજર સમક્ષ રાખી ખુબ જ અગ્રતા આપવામાં આવી છે. તેથી હવે પોતાનું ઘર બનાવનારાઓને ભૂતકાળમાં વેઠવા પડતી હાડમારીથી છૂટકારો મળશે એવી પણ આશા પ્રગટ કરી હતી.
પૂર્વ સાંસદ શ્રી લાલુભાઈ પટેલે દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના આશીર્વાદથી સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં જિલ્લાકલેક્‍ટર શ્રી સૌરભ મિશ્રાએ લીધેલા નિર્ણયનું સ્‍વાગત કર્યું છે અને આભાર પણ પ્રગટ કર્યો છે.

Related posts

પ્રશાસક પ્રફુલભાઈ પટેલની પ્રેરણાથી દમણઃ વરકુંડ ગ્રા.પં.ના સરપંચ કિરીટ મીટના અને જિ.પં. સભ્‍ય સદાનંદ મીટનાએ વરકુંડ સરકારી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને કરાવેલું તિથિ ભોજન

vartmanpravah

દમણવાડા પંચાયત દ્વારા વિશ્વવિભૂતિ ભારત રત્‍ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્‍મ જયંતિ ઉજવાશે

vartmanpravah

વલસાડ જિલ્લા કોંગ્રેસ દ્વારા તાલુકા અને શહેર સંગઠનની બેઠકોનું કરવામાં આવેલું આયોજન

vartmanpravah

વલસાડ જિલ્લાના ૩૪ શિક્ષકોને પૂર્ણ પગારના હુકમો ઍનાયત કરતા રાજ્યમîત્રી જીતુભાઈ ચૌધરી

vartmanpravah

કલસરમાં જીએસપીસીની ગેસ લાઈનમાં ભંગાણ થતા આગ ભભૂકી ઉઠી

vartmanpravah

ખાનવેલ સબ ડિવિઝનલ મેજિસ્‍ટ્રેટે મોર્રમ અને અન્‍ય ખનીજોના ખનન પર લગાવ્‍યો પ્રતિબંધ

vartmanpravah

Leave a Comment