Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણ

દમણમાં પાંચ ગુંઠા સુધીની જમીનમાં પોતાનું ઘર બનાવવા પ્‍લાન પાસ કરવામાંથી આપેલી મુક્‍તિ બદલ દમણ-દીવના પૂર્વ સાંસદ લાલુભાઈ પટેલે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી, પ્રશાસક પ્રફુલભાઈ પટેલ અને જિલ્લા કલેક્‍ટર સૌરભ મિશ્રાનો માનેલો આભાર

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ અને તેમની ટીમ દ્વારા પ્રદેશના લોકોને ઓછામાં ઓછી તકલીફ પડે અને વધુમાં વધુ ફાયદો થાય એવી વ્‍યવસ્‍થા કરવાની હંમેશા રહેલી નીતિઃ લાલુભાઈ પટેલ

હવે પોતાનું ઘર બનાવનારાઓને ભૂતકાળમાં વેઠવા પડતી હાડમારીથી મળનારો છૂટકારો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
દમણ, તા.13 : દમણ જિલ્લામાં પાંચ ગુંઠા સુધીની સેટલમેન્‍ટ, રેશિડેન્‍સિયલ અથવા ગાંવઠાણની જગ્‍યામાં પોતાનું ઘર બનાવવા એન.એ. અને પ્‍લાન પાસ કરવામાંથી જિલ્લા પ્રશાસને કરેલા મુક્‍તિના આદેશની દમણ અને દીવના પૂર્વ સાંસદ શ્રી લાલુભાઈ પટેલે સરાહના કરી પ્રશાસનનો આભાર પ્રગટ કર્યો હતો.
દમણ અને દીવના પૂર્વ સાંસદ શ્રી લાલુભાઈ પટેલે ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ અને તેમની ટીમ હંમેશા પ્રદેશના લોકોને ઓછામાં ઓછી તકલીફ પડે અને વધુમાં વધુ ફાયદો થાય એવી વ્‍યવસ્‍થા કરતા આવ્‍યા છે. જેમાં હવે પાંચ ગુંઠા સુધીની જગ્‍યામાં પોતાનું ઘર બનાવવા ઈચ્‍છતા લોકોને ખુબ જ અનુラકૂળતા પડશે એવી લાગણી પણ પ્રગટ કરી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, આ પહેલાં સંઘપ્રદેશ પ્રશાસને દમણની જમીનોના કરેલા ઝોનિંગમાં રેસિડેન્‍શિયલ તથા સેટલમેન્‍ટ ઝોનને પ્રદેશના વિકાસને નજર સમક્ષ રાખી ખુબ જ અગ્રતા આપવામાં આવી છે. તેથી હવે પોતાનું ઘર બનાવનારાઓને ભૂતકાળમાં વેઠવા પડતી હાડમારીથી છૂટકારો મળશે એવી પણ આશા પ્રગટ કરી હતી.
પૂર્વ સાંસદ શ્રી લાલુભાઈ પટેલે દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના આશીર્વાદથી સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં જિલ્લાકલેક્‍ટર શ્રી સૌરભ મિશ્રાએ લીધેલા નિર્ણયનું સ્‍વાગત કર્યું છે અને આભાર પણ પ્રગટ કર્યો છે.

Related posts

વલસાડ જિલ્લામાં સૌથી વધુ વોટ શેર પારડીના ભાજપના ઉમેદવાર કનુભાઈ દેસાઈનો વધ્‍યો

vartmanpravah

વલસાડના રાબડા ગામે માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામે 75માં પ્રજાસત્તાક દિનની ભવ્‍ય ઉજવણી કરાઈ

vartmanpravah

વાપીની રંગોલી અને વલસાડની સબ્જીવાલા રેસ્ટોરન્ટમાં ગેરરીતિ ઝડપાતા ખાદ્ય વિભાગે કરેલી કાર્યવાહી

vartmanpravah

દાનહમાં કોંગ્રેસ મજબૂત ઉમેદવાર ઉભો રાખશેઃ દાનહ કોંગ્રેસ કમીટિના કાર્યવાહક પ્રમુખ મહેશ શર્મા

vartmanpravah

શ્રી સ્‍વામીનારાયણ ગુરુકુળ સલવાવ પ્રી સ્‍કૂલ દ્વારા નાના નાના ભૂલકાઓની આરતી થાળી ડેકોરેશન અને ચિત્રકળા સ્‍પર્ધા યોજવામાં આવી

vartmanpravah

દીવ જિલ્લા કલેક્‍ટરે એનઆરએલએમ અંતર્ગત 36 સ્‍વયં સમૂહોને રૂા. 36 લાખ સીઆઈએફ તરીકે એનાયત કર્યા

vartmanpravah

Leave a Comment