January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

26-વલસાડ બેઠક પર ઉમેદવારી પત્ર ભરવાના થયા શ્રીગણેશ : ભાજપ દ્વારા 4 ઉમેદવારી પત્ર ભરાયા

ભાજપના ઉમેદવાર ધવલ પટેલના નામે 3 અને ઉષાબેન પટેલના નામે 1 મળી કુલ 4 ઉમેદવારી પત્ર રજૂ કરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.15: આગામી લોકસભા સામાન્‍ય ચૂંટણી-2024 અંતર્ગત ગુજરાતમાં યોજાનારી ત્રીજા તબક્કાની ચૂંટણીમાં 26-વલસાડ બેઠક પર તા.7 મે ના રોજ મતદાન થનાર છે ત્‍યારે આજે તા.15 એપ્રિલના રોજ સોમવારે વલસાડ બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ધવલ પટેલે પાર્ટીના આગેવાનો સાથે જિલ્લા ચૂંટણી અધિકારી-વ- કલેકટર આયુષ ઓક સમક્ષ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યુ હતું.
લોકશાહીના મહાપર્વ તરીકે ઉજવાતી લોકસભાની ચૂંટણીમાં મતદારો શાંતિપૂર્ણ, ભયમુક્‍ત અને ન્‍યાયી વાતાવરણમાં મતદાન કરી શકે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી આયુષ ઓકના નેતૃત્‍વમાં જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ બન્‍યું છે ત્‍યારે બીજી તરફ હાલમાં ઉમેદવારી પત્ર મેળવવાની અને ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. આજે સોમવારે 26-વલસાડ બેઠક (અ.જ.જા.)ના ભાજપના ઉમેદવાર ધવલ લક્ષ્મણભાઈપટેલ (ઉ.વ.37, રહે. એ-81, સ્‍વસ્‍તિક રો-હાઉસ, વિજ્‍યાલક્ષ્મી કો.ઓ.હા.સોસાયટી, જંહાગીરાબાદ, સુરત) એ પોતાના નામથી 3 ઉમેદવારી પત્ર ભર્યા હતા. જ્‍યારે ભારતીય જનતા પાર્ટી તરફથી ચોથુ ઉમેદવારી પત્ર ઉષાબેન ગીરીશકુમાર પટેલ (ઉ.વ. 56, રહે. 188, બ્રાહ્મણ ફળિયા, પરિયા, તા.પારડી, જિ.વલસાડ)ના નામથી ભરાયું હતું. આમ, વલસાડ-ડાંગ બેઠક પર લોકસભાની ચૂંટણી માટે ભાજપ દ્વારા આજે ચાર ઉમેદવારી પત્રો ભરી શ્રીગણેશ કરવામાં આવ્‍યા હતા.
આ સિવાય જિલ્લા ચૂંટણી શાખામાંથી તા.12 એપ્રિલથી રોજે રોજ વિવિધ રાજકીય પાર્ટી વતી સંભવિત ઉમેદવારો અથવા તેમના સમર્થકો ફોર્મ લઈ જઈ રહ્યા છે ત્‍યારે આજે સોમવારે વીવીઆઈપી (વીરો કે વીર ઈન્‍ડિયન પાર્ટી)ના એક વ્‍યકિત 3 ફોર્મ લઈ ગયા હતા. આમ, અત્‍યાર સુધીમાં 4 દિવસમાં કુલ 9 વ્‍યકિત 35 ફોર્મ લઈ ગયા છે. જેમાંથી ભાજપના ઉમેદવારે સૌ પ્રથમ ઉમેદવારી પત્ર ભરી ચૂંટણી જંગમાં ઝંપલાવ્‍યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તા.19 એપ્રિલ 2024 છે. જ્‍યારે 20 એપ્રિલના રોજ ફોર્મ ચકાસણી થશે અને તા.22 એપ્રિલના રોજ ઈચ્‍છુક ઉમેદવાર પોતાની ઉમેદવારી પરત ખેંચી શકશે. વલસાડ જિલ્લા ચૂંટણી શાખા હાલ આખો દિવસ ચૂંટણીલક્ષી વિવિધ પ્રકારનીકામગીરીથી ધમધમી રહી છે. વલસાડ- 26 સંસદીય મતવિસ્‍તારની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં અને સરળતાથી સંપન્ન થાય અને વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી આયુષ ઓકના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા ચૂંટણીતંત્ર ‘‘રાઉન્‍ડ ધ ક્‍લોક” કામગીરી કરી રહ્યું છે.

Related posts

રાજસ્‍થાન, મધ્‍યપ્રદેશ અને છત્તિસગઢમાં ભાજપને ભવ્‍ય જીત મળતાં દીવ જિલ્લામાં પણ ભાજપાએ મનાવ્‍યો વિજયોત્‍સવ

vartmanpravah

આજે ઉમરગામના મરોલીમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્‍થિતિમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી થશે

vartmanpravah

ખેરગામ તાલુકામાં રૂા.1025લાખના ખર્ચે રસ્‍તાઓ અને મકાનોના ખાતમુહૂર્ત/લોકાર્પણ કાર્યક્રમ યોજાયા

vartmanpravah

સિલધા ગામના આબાડપાણી ફળિયામાં રસ્‍તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યુ

vartmanpravah

ગાંધીનગર સ્‍ટેટ મોનિટરિંગ સેલે ચીખલી હાઇવે પરથી દારૂ ભરેલ ટ્રક સાથે એકની ધરપકડ કરી 

vartmanpravah

વાપીમાં દબદબાપૂર્વક ગણેશોત્‍સવનો પ્રારંભ: અનેક પંડાલોમાં ચંન્‍દ્રયાન-3ની કૃતિ સજ્જ કરાઈ

vartmanpravah

Leave a Comment