Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી યુપીએલ હાઈવે પુલ પાસેથી જીઆઈડીસી પોલીસે ત્રણ મોબાઈલ સ્‍નેચરોને ઝડપી પાડયા

મોબાઈલ, બાઈક મળી પોલીસે રૂા.1.79 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: વાપી જીઆઈડીસી પોલીસને હાઈવે યુ.પી.એલ. પુલ નજીકથી ત્રણ મોબાઈલ સ્‍નેચરોને ઝડપી લીધાની સફળતા મળી છે.
ઉદ્યોગનગરમાં પો.સ.ઈ. આર.એન. આથલીયા અને પોલીસ સ્‍ટાફ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન પો.કો. હરીશ કમરુલ અને કુલદીપસિંહ મોરીને ખાનગી રાહે બાતમી મળી હતી તે આધારેયુપીએલ પુલ નજીક બાઈક ઉપર આવતા ત્રણ યુવાનોને કોર્ડન કરી અટકાવ્‍યા હતા. યુવાનોની અંગઝડતીમાં ત્રણ મોબાઈલ મળી આવ્‍યા હતા. આ અંગે બીલો રજૂ નહી કરી શકતા પોલીસે ત્રણની ધરપકડ કરી હતી. ઝડપાયેલ ત્રણ આરોપીમાં કિશન રાજેશભાઈ ખેરવાલ રહે.રખોલી આલોક કંપનીની બાજુમાં મહેશભાઈની ચાલ, વિકાસ કમલાકાંત પાઠક રહે.સેલવાસ અયપ્‍પા મંદિર પાસે પાણી ટાંકીની બાજુમાં રમણભાઈની ચાલ તથા અજય કમલાકાંત પાઠક રહે.સેલવાસ અયપ્‍પા મંદિર પાસેનો સમાવેશ થાય છે. પોલીસે એક બાઈક સ્‍પ્‍લેન્‍ડર કિ.80 હજાર અને ત્રણ મોબાઈલ કિ.99999 મળી કુલ રૂા.1.79 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણેય મોબાઈલ સ્‍નેચરને જેલભેગા કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Related posts

નલ સે જલ યોજનાનું કરોડોનું લોકાર્પણ એક બાજુ પાણી માટે વલખાં ચીખલીના ફડવેલ ગામે 15થી વધુ પાણીની ટાંકી વર્ષોથી જર્જરિતઃ પ્રજા માટે આશીર્વાદ ‘રૂપ નલ સે જલ યોજના’નું પાણી નહીં મળતા લોકોને ભરઉનાળે પાણી માટે વલખાં મારવાની નોબત

vartmanpravah

એસઆઈએની ખાસ સામાન્‍ય સભા મોકૂફઃ બે વરસે યોજાતી ચૂંટણી પ્રક્રિયા કોરોના મહામારીની વિકટ સ્‍થિતિ નિયંત્રણમાં આવે ત્‍યાં સુધી રાહ જોવાનો લીધેલો નિર્ણય

vartmanpravah

વાપી જીઆઈડીસીમાંનોટિફાઈડ દ્વારા કાર્યરત કરાયેલ જાહેર સુલભ શૌચાલય છ મહિનાથી અસુલભ બની રહ્યું છે

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નિર્દેશ અને માર્ગદર્શન મુજબ જેનરિક મેડિસિનને પ્રોત્‍સાહન આપવા માટે દમણ જિલ્લાના દરેક ખાનગી દવા વિક્રેતાઓ સાથે આરોગ્‍ય નિર્દેશક ડો. વી.કે.દાસે કરેલી બેઠક

vartmanpravah

‘‘મેં આઈ હેલ્‍પ યુ” ના સૂત્રને સાર્થક કરતી પોલીસ: અકસ્‍માત થયેલ સિનિયર સિટીઝનનું કારનું ટાયર જાતે બદલી આપતી વલસાડ ટ્રાફિક પોલીસ

vartmanpravah

દુનિયાભરમાં નવીનતમ SARS-Cov-2 (Omicron) કેસોના નવા સ્વરૂપોના રિપોર્ટને ધ્યાનમાં રાખીને ભારત આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે સંશોધિત દિશાનિર્દેશ જારી કરે છે

vartmanpravah

Leave a Comment