August 31, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી 27મી એપ્રિલે દમણમાં ચૂંટણી સભાને સંબોધશે

પ્રધાનમંત્રીશ્રીને રૂબરૂ સાંભળવા અને જોવાનો લ્‍હાવો લેવા પ્રદેશના લોકોમાં આનંદ ઉત્‍સાહ અને થનગનાટ
પ્રધાનમંત્રીશ્રીની સભાને ઐતિહાસિક અને યાદગાર બનાવવા પ્રદેશ ભાજપ પ્રભારી પૂર્ણેશભાઈ મોદી અને સહ પ્રભારી દુષ્‍યંતભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળપ્રદેશ ભાજપે શરૂ કરેલી કવાયત
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.22 : આગામી તા.27મી એપ્રિલના રોજ વડાપ્રધાન અને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા શ્રી નરેન્‍દ્રભાઈ મોદી દમણ ખાતે ચૂંટણી પ્રચાર સભા માટે આવી રહ્યા હોવાની માહિતી સાંપડી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આગામી તા.27મી એપ્રિલના સાંજે 4:00 વાગ્‍યે પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી નાની દમણના દુણેઠા ખાતે આવેલ સરકારી કોલેજ ગ્રાઉન્‍ડમાં સભાને સંબોધશે. લોકસભાની દમણ અને દીવ તથા દાદરા નગર હવેલી બેઠક માટે યોજાનારી વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની સભા માટે લોકોમાં ખુબ જ આનંદ, ઉત્‍સાહ અને થનગનાટ દેખાઈ રહ્યો છે. આ પહેલાં પ્રધાનમંત્રીશ્રીની સભા 30મી એપ્રિલના રોજ યોજાનારી હતી, પરંતુ સમય પત્રકમાં ફેરફાર થઈ હવે આ સભા 27મી એપ્રિલના રોજ નિર્ધારિત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
પ્રધાનમંત્રીશ્રીની સભાને સફળ અને ઐતિહાસિક બનાવવા માટે પ્રદેશ ભાજપ પ્રભારી શ્રી પૂર્ણેશભાઈ મોદી અને સહ પ્રભારી શ્રી દુષ્‍યંતભાઈ પટેલના માર્ગદર્શન અને દિશા-નિર્દેશ હેઠળ પ્રદેશ ભાજપે તૈયારીઓ શરૂ કરી છે.

Related posts

વાપી ચાર રસ્તાથી કરવડ સુધી નિર્માણાધીન આરસીસી રોડ કામગીરીની નાણાંમંત્રીએ કરેલી સ્થળ વિઝિટ

vartmanpravah

અરનાલા સ્‍મશાન ગૃહમાં સગડીનુ લોકાર્પણ

vartmanpravah

પારડી વિસ્‍તારમાં બિન્‍દાસ ફરી રહ્યા છે ચેઈન સ્‍નેચિંગરો

vartmanpravah

વાપીમાં પ્રથમ નોરતાથી જ સૂર, તાલ અને થનગનાટ સાથે ખેલૈયાઓએ કરેલી ઠેર ઠેર જમાવટ

vartmanpravah

દમણની મગરવાડા ગ્રુપ ગ્રામ પંચાયત રાત્રિ ચૌપાલનું આયોજન કરાયું

vartmanpravah

ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીના સેલવાસ કેમ્‍પસ ખાતે સંઘપ્રદેશના વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્‍ક સીએલએટી માર્ગદર્શન શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment