Vartman Pravah
વાપી

મહારાષ્ટ્રમાં સંક્રમણ અોછું થતા વાપી ડેપોઍ મુંબઈની ચાર ટ્રીપ શરૂ કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.૦૭
ઘણા લાંબા સમયથી કોરોનાને લીધે મહારાષ્ટ્ર વચ્ચે ઍસ.ટી. બસ પરિવહન બંધ હતું. પરંતુ મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણમાં થઈ રહેલા ઘટાડાને ધ્યાને લઈને વાપી ઍસ.ટી. ડેપોઍ મંગળવારથી મુંબઈની ચાર ટ્રીપ દોડાવવાનો આરંભ કરી દીધો છે.
વાપી મુંબઈ સાથે વેપાર, વાણિજ્ય સાથે સંકળાયેલ મથક હોવાથી સ્થાનિક વેપારીઅો માટે ઍસ.ટી. સુવિધા બંધ થયેલી તેથી મુશ્કેલી પડી રહી હતી. પરંતુ હવે ઍ મુશ્કેલી દુર થઈ છે. બે મહિનાથી મહારાષ્ટ્ર અને વાપી વચ્ચે પરિવહન બંધ થતું.
ઉલ્લેખનીય છે કે, ફક્ત મુંબઈ નહીં પરંતુ મહારાષ્ટ્રના અન્ય મથકો માટે પણ ઍસ.ટી. સુવિધા ટૂંક સમયમાં શરૂ જશે. જેમાં ઔરંગાબાદ, ધુલીયા, નાસિક, શીરડી, જલગાંવ, ચોપડા જેવી ટ્રીપો આ સાહમાં ચાલુ કરવા વિચારણા વાપી ડેપો દ્વારા કરવમાં આવી છે.
માર્ચ-ઍપ્રિલમાં કોરોનાને લઈ વાપી સહિત વલસાડ ડિવિઝનના અન્ય ડેપોની પણ મહારાષ્ટ્રની બસો બંધ થઈ હતી. જેથી ડેપો અને ડિવિઝનને લાખો રૂપિયાનું નુકસાન પડ્યું હતું. પરંતુ હવે કોવિદની સ્થિતિ થાળે પડી રહી છે તેથી ફરી ઍસ.ટી. દોડતી થઈ જશે.

Related posts

ગોઈમામાં આધેડ ઘર પાછળ આંબાના ઝાડ પર ફાંસો ખાઈ જીવન ટુકાવ્‍યું

vartmanpravah

હવે વલસાડ જિલ્લા ટ્રાફિક પોલીસ હાઈવે ઉપર લેઝર સ્‍પીડ ગનથી વાહનોની ગતિ કન્‍ટ્રોલ કરશે

vartmanpravah

કામકાજના સ્‍થળે થતીસ્ત્રીઓની જાતીય સતામણી અંગે વેલસ્‍પન કંપનીમાં કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો

vartmanpravah

નરોલી પોલીસ સ્‍ટેશન ખાતે એસએચઓ સ્‍વાનંદ ઈનામદારનું કરાયું ભવ્‍ય સ્‍વાગત

vartmanpravah

પારડીની એન. કે. દેસાઈ સાયન્‍સ કોલેજમાં ગાંધી જયંતિની ઉજવણી

vartmanpravah

બોરીગામ ખાતે પશુઓના કોઢારમાં આગ લાગતા એક ભેંસ સહિત 11 ગાયના મોત

vartmanpravah

Leave a Comment