April 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચૂંટણીની જાહેરાત બાદ વલસાડ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આદર્શ આચાર સંહિતાનો અમલ

જિલ્લાની તમામ એસ.ટી. બસો ઉપરથી સરકારી જાહેરાતો દુર કરાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: ભારતીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાતની સાથે સાથે રાજ્‍યભરમાં આદર્શ આચાર સંહિતાની અમલવારી વહિવટી તંત્ર દ્વારા તાત્‍કાલિક અસરથી કરી દેવાઈ છે. વલસાડમાં તમામ વિસ્‍તારોમાં રાજકીય કે સરકારી જાહેર ખબરના બેનર-પડદા દુર કરવામાં આવી રહ્યા છે. શહેરી વિસ્‍તાર કે ગ્રામ્‍ય વિસ્‍તારમાં ઠેર ઠેર સરકારી વિકાસ કામોની જાહેરાતના હોલ્‍ડીંગ કે કોઈ પક્ષના પ્રચાર કેકાર્યક્રમોના હોલ્‍ડીંગ, બેનર, પડદા હટાવાઈ રહ્યા છે તે અંતર્ગત આજ સુધીમાં એસ.ટી. બસો ઉપર લગાડવામાં આવેલ સરકારી યોજનાની જાહેરાતો દુર કરવામાં આવી છે.
વલસાડ ડિવિઝનના તમામ ડેપોની બસો ઉપર આજ સાંજ સુધી સરકારી યોજનાની તમામ જાહેર ખબરો દુર કરી દેવામાં આવી છે તે પ્રમાણે પાલિકા વિસ્‍તારોમાંથી પણ સરકારી યોજનાના બેનર, હોલ્‍ડીંગ, પડદા તાત્‍કાલિક અસરથી દુર કરવામાં આવી ચૂક્‍યા છે. એકાદ દિવસ બાદ વલસાડ જિલ્લામાં ક્‍યાંય પણ રાજકીય કે સરકારી જાહેરાતો જોવા મળશે નહીં.

Related posts

વલસાડના સાંસદ ધવલ પટેલએ દીપડાના હુમલાથી ઘાયલ થયેલ દુલસાડના દર્દીની સિવિલમાં મુલાકાત લીધી

vartmanpravah

પ્રધાનમંત્રી તરીકે નરેન્‍દ્રભાઈ મોદીના આગમન બાદ દમણ-દીવ અને દાનહને દુનિયામાં મળેલી નવી ઓળખઃ સાંસદ લાલુભાઈ પટેલ

vartmanpravah

વલસાડ જિલ્લા કલેક્‍ટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને ‘‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા”ના આયોજન સંદર્ભે બેઠક યોજાઈ

vartmanpravah

દપાડા ગ્રા.પં.ના સરપંચ છગનભાઈ માહલા સસ્‍પેન્‍ડઃ જિ.પં.ના સી.ઈ.ઓ. ડો. અપૂર્વ શર્માએ જારી કરેલો આદેશ

vartmanpravah

ચીખલી મામલતદાર કચેરીમાં પુરવઠા મામલતદાર નિયત કરાયેલા દિવસે ઉપસ્‍થિત ન રહેતા અરજદારોને પડી રહેલી હાલાકી

vartmanpravah

લોકસભા ચૂંટણી-2024ની આદર્શ આચારસંહિતા અંતર્ગત દમણમાં ફલાઈંગ સ્‍ક્‍વોડ દ્વારા 12.27 લાખની જપ્ત કરેલી રોકડ

vartmanpravah

Leave a Comment