October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચૂંટણીની જાહેરાત બાદ વલસાડ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આદર્શ આચાર સંહિતાનો અમલ

જિલ્લાની તમામ એસ.ટી. બસો ઉપરથી સરકારી જાહેરાતો દુર કરાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: ભારતીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાતની સાથે સાથે રાજ્‍યભરમાં આદર્શ આચાર સંહિતાની અમલવારી વહિવટી તંત્ર દ્વારા તાત્‍કાલિક અસરથી કરી દેવાઈ છે. વલસાડમાં તમામ વિસ્‍તારોમાં રાજકીય કે સરકારી જાહેર ખબરના બેનર-પડદા દુર કરવામાં આવી રહ્યા છે. શહેરી વિસ્‍તાર કે ગ્રામ્‍ય વિસ્‍તારમાં ઠેર ઠેર સરકારી વિકાસ કામોની જાહેરાતના હોલ્‍ડીંગ કે કોઈ પક્ષના પ્રચાર કેકાર્યક્રમોના હોલ્‍ડીંગ, બેનર, પડદા હટાવાઈ રહ્યા છે તે અંતર્ગત આજ સુધીમાં એસ.ટી. બસો ઉપર લગાડવામાં આવેલ સરકારી યોજનાની જાહેરાતો દુર કરવામાં આવી છે.
વલસાડ ડિવિઝનના તમામ ડેપોની બસો ઉપર આજ સાંજ સુધી સરકારી યોજનાની તમામ જાહેર ખબરો દુર કરી દેવામાં આવી છે તે પ્રમાણે પાલિકા વિસ્‍તારોમાંથી પણ સરકારી યોજનાના બેનર, હોલ્‍ડીંગ, પડદા તાત્‍કાલિક અસરથી દુર કરવામાં આવી ચૂક્‍યા છે. એકાદ દિવસ બાદ વલસાડ જિલ્લામાં ક્‍યાંય પણ રાજકીય કે સરકારી જાહેરાતો જોવા મળશે નહીં.

Related posts

દમણના સેશન જજ શ્રીધર એમ. ભોસલેનો શકવર્તી ચુકાદો દમણનાબહુચર્ચિત સલીમ મેમણ હત્‍યા પ્રકરણમાં છને આજીવન કારાવાસની સજાઃ ઉપેન્‍દ્ર રાય અને હનીફ અજમેરીને મળેલો શંકાનો લાભ

vartmanpravah

દમણના વેટરનરી વિભાગના યુડીસી અમ્રતભાઈ હળપતિને આપવામાં આવ્‍યું નિવૃત્તિ વિદાયમાન

vartmanpravah

દમણના અરબી સમુદ્ર કિનારે અસ્‍તાંચળના સૂર્યને અર્ઘ્‍ય આપી છઠ્ઠ મહાપર્વનો ઉત્તર ભારતીયોએ કરેલો જયઘોષ

vartmanpravah

નાની દમણના દેવકા નમો પથના સમુદ્ર કિનારે અજાણ્‍યા શખ્‍સની મળેલી સંદિગ્‍ધ લાશ

vartmanpravah

દાનહની દેવકીબા મોહનસિંહજી ચૌહાણ કોલેજ ઓફ કોમર્સ એન્‍ડ સાયન્‍સમાં 7 દિવસીય ‘વિશ્વ માનસિક આરોગ્‍ય સપ્તાહ’નું કરાયેલું આયોજન

vartmanpravah

પારડી પોલીસ સ્‍ટેશન અને કોર્ટ વચ્‍ચે બનાવેલ પિકઅપ બસ સ્‍ટેન્‍ડ પાછળથી શંકાસ્‍પદ લાશ મળતા અનેક તર્ક વિતર્ક

vartmanpravah

Leave a Comment