Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચૂંટણીની જાહેરાત બાદ વલસાડ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આદર્શ આચાર સંહિતાનો અમલ

જિલ્લાની તમામ એસ.ટી. બસો ઉપરથી સરકારી જાહેરાતો દુર કરાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: ભારતીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાતની સાથે સાથે રાજ્‍યભરમાં આદર્શ આચાર સંહિતાની અમલવારી વહિવટી તંત્ર દ્વારા તાત્‍કાલિક અસરથી કરી દેવાઈ છે. વલસાડમાં તમામ વિસ્‍તારોમાં રાજકીય કે સરકારી જાહેર ખબરના બેનર-પડદા દુર કરવામાં આવી રહ્યા છે. શહેરી વિસ્‍તાર કે ગ્રામ્‍ય વિસ્‍તારમાં ઠેર ઠેર સરકારી વિકાસ કામોની જાહેરાતના હોલ્‍ડીંગ કે કોઈ પક્ષના પ્રચાર કેકાર્યક્રમોના હોલ્‍ડીંગ, બેનર, પડદા હટાવાઈ રહ્યા છે તે અંતર્ગત આજ સુધીમાં એસ.ટી. બસો ઉપર લગાડવામાં આવેલ સરકારી યોજનાની જાહેરાતો દુર કરવામાં આવી છે.
વલસાડ ડિવિઝનના તમામ ડેપોની બસો ઉપર આજ સાંજ સુધી સરકારી યોજનાની તમામ જાહેર ખબરો દુર કરી દેવામાં આવી છે તે પ્રમાણે પાલિકા વિસ્‍તારોમાંથી પણ સરકારી યોજનાના બેનર, હોલ્‍ડીંગ, પડદા તાત્‍કાલિક અસરથી દુર કરવામાં આવી ચૂક્‍યા છે. એકાદ દિવસ બાદ વલસાડ જિલ્લામાં ક્‍યાંય પણ રાજકીય કે સરકારી જાહેરાતો જોવા મળશે નહીં.

Related posts

ધરમપુરના ગુદીયા ગામમાંથી એસ.ઓ.જી.એ 26400 ના મુદ્દામાલ સાથે વિસ્‍ફોટકોનો જત્‍થો ઝડપ્‍યો

vartmanpravah

વલસાડમાં મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી અને મહિલા સ્વરોજગાર મેળો યોજાયો

vartmanpravah

ડીએમસી વોર્ડ નંબર 7માં પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજના-આયુષ્‍યમાન ભારત કેમ્‍પ યોજાયો

vartmanpravah

પાંચાણી ફાઉન્ડેશનનાં યોગેશભાઈ પાંચાણી દ્વારા ‘આયુષ્માન કાર્ડ’ નિ:શુલ્ક કાઢી આપવામાં આવશે.

vartmanpravah

પેશવાએ પોર્ટુગીઝોને નગર હવેલી સરંજામ તરીકે આપી હોવાથી પોર્ટુગીઝોને દમણમાંથી દાદરા સિલવાસા જવું હોય તો પણ પેશવાની પરવાનગી લેવી પડતી

vartmanpravah

રાજ્‍યવનમંત્રી રમણલાલ પાટકરે આસલોણા પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રની મુલાકાત લીધી

vartmanpravah

Leave a Comment