December 1, 2025
Vartman Pravah
વાપી

મહારાષ્ટ્રમાં સંક્રમણ અોછું થતા વાપી ડેપોઍ મુંબઈની ચાર ટ્રીપ શરૂ કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.૦૭
ઘણા લાંબા સમયથી કોરોનાને લીધે મહારાષ્ટ્ર વચ્ચે ઍસ.ટી. બસ પરિવહન બંધ હતું. પરંતુ મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણમાં થઈ રહેલા ઘટાડાને ધ્યાને લઈને વાપી ઍસ.ટી. ડેપોઍ મંગળવારથી મુંબઈની ચાર ટ્રીપ દોડાવવાનો આરંભ કરી દીધો છે.
વાપી મુંબઈ સાથે વેપાર, વાણિજ્ય સાથે સંકળાયેલ મથક હોવાથી સ્થાનિક વેપારીઅો માટે ઍસ.ટી. સુવિધા બંધ થયેલી તેથી મુશ્કેલી પડી રહી હતી. પરંતુ હવે ઍ મુશ્કેલી દુર થઈ છે. બે મહિનાથી મહારાષ્ટ્ર અને વાપી વચ્ચે પરિવહન બંધ થતું.
ઉલ્લેખનીય છે કે, ફક્ત મુંબઈ નહીં પરંતુ મહારાષ્ટ્રના અન્ય મથકો માટે પણ ઍસ.ટી. સુવિધા ટૂંક સમયમાં શરૂ જશે. જેમાં ઔરંગાબાદ, ધુલીયા, નાસિક, શીરડી, જલગાંવ, ચોપડા જેવી ટ્રીપો આ સાહમાં ચાલુ કરવા વિચારણા વાપી ડેપો દ્વારા કરવમાં આવી છે.
માર્ચ-ઍપ્રિલમાં કોરોનાને લઈ વાપી સહિત વલસાડ ડિવિઝનના અન્ય ડેપોની પણ મહારાષ્ટ્રની બસો બંધ થઈ હતી. જેથી ડેપો અને ડિવિઝનને લાખો રૂપિયાનું નુકસાન પડ્યું હતું. પરંતુ હવે કોવિદની સ્થિતિ થાળે પડી રહી છે તેથી ફરી ઍસ.ટી. દોડતી થઈ જશે.

Related posts

વાપી જીઆઈડીસી સુપ્રિત કેમિકલ કંપનીમાં લાગેલી આગમાં ત્રણ કામદારો ભડથુ થઈ ગયા

vartmanpravah

ડાંગના શબરીધામ નજીક આવેલા પંપા સરોવરનો અદભૂત નજારો

vartmanpravah

વાપીમાં બંધારણના ઘડવૈયા ભારત રત્‍ન ડો.બાબા સાહેબ આંબેડકરની જન્‍મ જયંતિની ભવ્‍ય ઉજવણી

vartmanpravah

મતદારયાદી સુધારણા કાર્યક્રમ: રવિવારે ખાસ ઝુંબેશ હાથ ધરાઇ: જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રેએ ૧૭૮- ધરમપુર(અ. જ.જા.) અને ૧૭૯- વલસાડ મત વિસ્તારના ૫ મતદાન મથકોની મુલાકાત લઈ જરૂરી સૂચનો કર્યા

vartmanpravah

વાપી વી.આઈ.એ. ઈમ્‍પેક્‍ટનું આઠમું નજરાણું : વાંસળી અને સુદર્શન વિષય ઉપર કવિ અંકિત ત્રિવેદી છવાયા

vartmanpravah

વાપી સલવાવ ફાર્મસી કોલેજમાં વલ્‍ડ ફાર્મસી-ડે ની ઉજવણી કરાઈ : વિદ્યાર્થીઓને ફાર્મસીસ્‍ટ તરીકેની પ્રતિજ્ઞા લેવડાવાઈ

vartmanpravah

Leave a Comment