(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.૦૭
ઘણા લાંબા સમયથી કોરોનાને લીધે મહારાષ્ટ્ર વચ્ચે ઍસ.ટી. બસ પરિવહન બંધ હતું. પરંતુ મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણમાં થઈ રહેલા ઘટાડાને ધ્યાને લઈને વાપી ઍસ.ટી. ડેપોઍ મંગળવારથી મુંબઈની ચાર ટ્રીપ દોડાવવાનો આરંભ કરી દીધો છે.
વાપી મુંબઈ સાથે વેપાર, વાણિજ્ય સાથે સંકળાયેલ મથક હોવાથી સ્થાનિક વેપારીઅો માટે ઍસ.ટી. સુવિધા બંધ થયેલી તેથી મુશ્કેલી પડી રહી હતી. પરંતુ હવે ઍ મુશ્કેલી દુર થઈ છે. બે મહિનાથી મહારાષ્ટ્ર અને વાપી વચ્ચે પરિવહન બંધ થતું.
ઉલ્લેખનીય છે કે, ફક્ત મુંબઈ નહીં પરંતુ મહારાષ્ટ્રના અન્ય મથકો માટે પણ ઍસ.ટી. સુવિધા ટૂંક સમયમાં શરૂ જશે. જેમાં ઔરંગાબાદ, ધુલીયા, નાસિક, શીરડી, જલગાંવ, ચોપડા જેવી ટ્રીપો આ સાહમાં ચાલુ કરવા વિચારણા વાપી ડેપો દ્વારા કરવમાં આવી છે.
માર્ચ-ઍપ્રિલમાં કોરોનાને લઈ વાપી સહિત વલસાડ ડિવિઝનના અન્ય ડેપોની પણ મહારાષ્ટ્રની બસો બંધ થઈ હતી. જેથી ડેપો અને ડિવિઝનને લાખો રૂપિયાનું નુકસાન પડ્યું હતું. પરંતુ હવે કોવિદની સ્થિતિ થાળે પડી રહી છે તેથી ફરી ઍસ.ટી. દોડતી થઈ જશે.
Previous post