April 25, 2024
Vartman Pravah
વાપી

મહારાષ્ટ્રમાં સંક્રમણ અોછું થતા વાપી ડેપોઍ મુંબઈની ચાર ટ્રીપ શરૂ કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.૦૭
ઘણા લાંબા સમયથી કોરોનાને લીધે મહારાષ્ટ્ર વચ્ચે ઍસ.ટી. બસ પરિવહન બંધ હતું. પરંતુ મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણમાં થઈ રહેલા ઘટાડાને ધ્યાને લઈને વાપી ઍસ.ટી. ડેપોઍ મંગળવારથી મુંબઈની ચાર ટ્રીપ દોડાવવાનો આરંભ કરી દીધો છે.
વાપી મુંબઈ સાથે વેપાર, વાણિજ્ય સાથે સંકળાયેલ મથક હોવાથી સ્થાનિક વેપારીઅો માટે ઍસ.ટી. સુવિધા બંધ થયેલી તેથી મુશ્કેલી પડી રહી હતી. પરંતુ હવે ઍ મુશ્કેલી દુર થઈ છે. બે મહિનાથી મહારાષ્ટ્ર અને વાપી વચ્ચે પરિવહન બંધ થતું.
ઉલ્લેખનીય છે કે, ફક્ત મુંબઈ નહીં પરંતુ મહારાષ્ટ્રના અન્ય મથકો માટે પણ ઍસ.ટી. સુવિધા ટૂંક સમયમાં શરૂ જશે. જેમાં ઔરંગાબાદ, ધુલીયા, નાસિક, શીરડી, જલગાંવ, ચોપડા જેવી ટ્રીપો આ સાહમાં ચાલુ કરવા વિચારણા વાપી ડેપો દ્વારા કરવમાં આવી છે.
માર્ચ-ઍપ્રિલમાં કોરોનાને લઈ વાપી સહિત વલસાડ ડિવિઝનના અન્ય ડેપોની પણ મહારાષ્ટ્રની બસો બંધ થઈ હતી. જેથી ડેપો અને ડિવિઝનને લાખો રૂપિયાનું નુકસાન પડ્યું હતું. પરંતુ હવે કોવિદની સ્થિતિ થાળે પડી રહી છે તેથી ફરી ઍસ.ટી. દોડતી થઈ જશે.

Related posts

ઉમરસાડી માછીવાડથી મોપેડ પર દારૂની હેરાફેરી કરનાર ઝડપાયા

vartmanpravah

વાપીની સ્‍કૂલ કોલેજોમાં જિલ્લા પોલીસ દ્વારા યુવા માટે ડ્રગ જાગૃતિ અભિયાન

vartmanpravah

સલવાવની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં આંતરરાષ્‍ટ્રીય ગેસ્‍ટ લેક્‍ચર યોજાયો

vartmanpravah

કપરાડાના આસલોણા ગામે દમણગંગા નદીના કોઝવે પસાર કરતાં પિતા-પૂત્ર અને પડોશી પૂત્ર તણાયા

vartmanpravah

વલસાડમાં અગ્નિવીર ગૌરક્ષક દળ દ્વારા ગોધન માટે યોજાયેલ ડાયરામાં રીતસર ચલણી નોટોનો વરસાદ થયો

vartmanpravah

ખતલવાડ ખાતે બંધ મકાનમાં આગ લાગતા ઘરવખરીને ભારે નુકસાન

vartmanpravah

Leave a Comment