April 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી પંથકમાં વધી રહેલો રખડતા ઢોરોનો ત્રાસઃ વહીવટીતંત્ર સક્રિય થાય તે જરૂરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.05: ચીખલી પંથકમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા ઢોરોનો ત્રાસ વધવા પામતા સામાન્‍ય પ્રજામાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્‍યારે સ્‍થાનિક વહીવટી તંત્ર આ બાબતે સક્રિય થાય તે જરૂરી છે.
ચીખલી પંથકમાં સંખ્‍યાબંધ વિસ્‍તારોમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા ઢોરો જેમાં બળદો અને સાંઢનો ત્રાસ છેલ્લા કેટલાક સમયથી વધી જતાં સામાન્‍ય પ્રજા અને વાહન ચાલકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ચીખલીના મેઈન બજાર, વાણીયાવાડ, ખત્રીવાડ, જુના બસ સ્‍ટેન્‍ડ તેમજ શાકભાજી માર્કેટ વિસ્‍તાર,ચીખલી-જુના વલસાડ રોડ, ચીખલી ચાર રસ્‍તા વિસ્‍તારમાં છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરોના ટોળેટોળા જાહેર માર્ગો ઉપર દોડતા હોય તેમજ કેટલીક વાર જાહેર માર્ગો ઉપર જ આખલાઓ વચ્‍ચે યુદ્ધો થતા જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોએ પણ નાસભાગ કરવાની નોબત આવતી હોય છે. ચીખલી જુના વલસાડ રોડ સ્‍થિત દેવ કોમ્‍પ્‍યુટર પાસે મંગળવારની સાંજના સમયે આખલાઓ યુદ્ધે ચડતા એક સમયે ભાગદોડ મચી જવા પામી હતી. આ આખલા યુદ્ધમાં એક મોટર સાયકલ ને અડફતે લેતા નુકશાન થવા પામ્‍યું હતું. ઘણા લાંબા સમયથી જાહેર માર્ગો પર રખડતા ઢોરો ગમે ત્‍યારે બાખડી પડી રસ્‍તાઓ ઉપર દોડાદોડી કરતા જાહેર રસ્‍તાઓ ઉપર ભાગદોડ મચી જવા પામી છે.
ત્‍યારે નિર્દોષ રાહદારીઓને અડફતે લેતા આવા આખલાઓને જેર કરવાની તાતી જરૂર છે. ચીખલી પંથકમાં તેમજ આજુબાજુના વિસ્‍તારમાં આખલા યુદ્ધ બાબતે કોઈ મોટી દુર્ઘટના સર્જાય કે કોઈ નિર્દોષ મોતને ભેટે એ પહેલાં સ્‍થાનિક વહીવટી તંત્ર સજાગતા દાખવે તે જરૂરી બન્‍યું છે.

Related posts

નવસારી જિલ્લામાં અસહ્ય ઉકળાટ વચ્‍ચે ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયોઃ કમોસમી વરસાદથી કેરી, ચીકુ સહિતના પાકોને ભારે નુકસાનની ભીતિ

vartmanpravah

અયોધ્‍યા ખાતે યોજાનારા ઐતિહાસિક શ્રી રામ જન્‍મ ભૂમિ પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવના ઉપલક્ષમાં સોમવાર તા.22મી જાન્‍યુ.એ સંઘપ્રદેશ દાનહ, દમણ અને દીવ જિલ્લામાં દારુ-બિયરની દુકાનો અને નોનવેજનું વેચાણ બંધ રહેશે

vartmanpravah

યુવાનોમાં હાર્ટ એટેકનું વધતું જતું પ્રમાણ ચિંતાજનક છે: સરકારી આર્ટસ કોલેજ, ગાંધીનગર ખાતે સેમીનાર યોજાયો

vartmanpravah

વાપીમાં એક જ રાતમાં પાંચ દુકાનોના શટર તૂટયા : તસ્‍કરોનો હાથ ફેરો ફોગટ ગયો

vartmanpravah

મેરી માટી મેરા અભિયાનની ઉજવણી વાપી કે.બી.એસ. કોલેજ દ્વારા કરવામાં આવી

vartmanpravah

‘‘ટીબી મુક્‍ત ભારત અભિયાન 2025” અંતર્ગત વિશ્વ ટીબી દિવસ નિમિત્તે વાપી શહેર થી વાપી નોટીફાઈડ અંબામાતા મંદિર સુધી ટીબી નાબુદી માટે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment