Vartman Pravah
Other

વલસાડ ખેરગામ રોડ ઉપર મારૂતિકારે ઍક્ટીવાને ટક્કર મારતા સગા ભાઈ-બહેનનું અકસ્માતમાં મોત

બુધવારે ભૂમિકા સાસરેથી ઘરે આવી ભાઈ ભાવિન સાથે ઍક્ટીવા ઉપર જઈ રહ્ના હતા તે દરમિયાન સર્જાયેલો ગોઝારો અકસ્માત

(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.૦૮
વલસાડ ખેરગામ રોડ ઉપર બુધવારે રાત્રે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. ઍક્ટીવા પર બેસી જઈ રહેલા ભાઈ-બહેનની ઍક્ટીવાને સામેથી આવી રહેલી બેલેનો કારના ચાલકે ઍક્ટીવાને જારદાર ટક્કર મારી દીધી હતી. આ કરુણ અકસ્માતમાં બે સગા ભાઈ-બહેનના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. ઘટનાને લઈ સમગ્ર પંથકમાં શોકની કાલીમા છવાઈ જવા બામી હતી.
કરુણાંતિકાની પ્રા વિગતો મુજબ ખેરગામ સ્વામિનારાયણ સ્કૂલની પાછળ રહેતા નરેશભાઈ પટેલઍ તેમની વહાલસોયી દિકરી ભૂમિકા (ઉ.વ.૨૨) ના લગ્ન બે મહિના પૂર્વે અોજર ગામે તાડફળીયામાં રહેતા જીગર વિજયભાઈ પટેલની સાથે કર્યા હતા.
બુધવારે ભૂમિકા સાસરેથી પિયર ખેરગામમાં રહેવા માટે આવી હતી. બુધવારે સાંજના નાનાભાઈ ભાવિન પટેલ (ઉ.વ.૨૦) ની સાથે ઍક્ટીવા પર બેસી ભાઈ-બહેન સાથે નિકળ્યા હતા. ત્યારે વાવ ફાટકના વળાંકમાં પહોîચ્યા તે સમયે સામેથી બેફામ ઝડપે આવી રહેલી મારૂતિ બેલેનો કાર નં.જીજે ૧૫ સીકે ૭૬૪૯ના ચાલકે ઍક્ટીવાનો જારદાર ટક્કર મારી દેતા ભાઈ-બહેન રોડની સાઈડમાં ફેîકાઈ ગયા હતા. અકસ્માતમાં ઍક્ટીવાનો ખુરદો બોલાઈ ગયો હતો. લોકોઍ ઘાયલોને રેફરલ હોસ્પિટલ ખેરગામ ખસેડેલા પણ બન્ને ભાઈ-બહેનના કરુણ મોત નિપજ્યા હતા. પોલીસે મારૂતિ કાર ચાલક અનિલ ઉત્તમભાઈ રહે.સેગવા પહાડ ફળીયાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Related posts

દાનહના સાંસદ કલાબેન ડેલકરે લોકસભામાં સાંસદ પદના લીધેલા શપથઃ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના ત્રીજા કાર્યકાળમાં દેશવાસીઓના કલ્‍યાણ અને અમૃતકાળના સંકલ્‍પોમાં સહભાગી બનવા બતાવેલી કટિબધ્‍ધતા

vartmanpravah

દમણ-દીવના સાંસદ ઉમેશભાઈ પટેલની કચીગામ ગ્રા.પં.ની ગ્રામસભામાં સીધી વાત દમણના સરપંચો, જિલ્લા પંચાયત કે નગરપાલિકા પાસે કોઈ સત્તા જ નથી તો લોકોના કામ તેઓ કેવી રીતે કરી શકવાના?

vartmanpravah

એન.ડી.આર.એફ. દ્વારા દીવની શાળાના વિદ્યાર્થીઓને કુદરતી આફત સમયે રાહતબચાવ કામગીરી અંગેની આપવામાં આવેલી તાલીમ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના આત્‍મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત દમણવાડા ગ્રામ પંચાયતના પટાંગણમાં ‘સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપ’ની બહેનોને ખાદ્ય વસ્‍તુઓ બનાવવાની ત્રિ-દિવસીય તાલીમ શિબિરનો આરંભ

vartmanpravah

સેલવાસ દમણગંગા નદીમાં વધુ એક વ્‍યક્‍તિએ લગાવી મોતની છલાંગ

vartmanpravah

દાનહ અને દમણ-દીવના ભાગ્‍ય વિધાતા કોણ? : દાનહ અને દમણ-દીવમાં સાંસદો એટલે જ સરકાર જેવી સ્‍થિતિ હતી

vartmanpravah

Leave a Comment