April 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણઃ દાભેલના આગેવાન ગુલાબભાઈ પટેલની 6 જેટલી ગેરકાયદે બિલ્‍ડીંગ/ઈમારતોના ડિમોલીશનનું કાઉન્‍ટ-ડાઉન શરૂ

15 દિવસ બાદ ગમે તે ક્ષણે બુલડોઝર બિલ્‍ડીંગો ઉપર ત્રાટકવા સજ્જ થશેઃગેરકાયદે બાંધકામ કરનારાઓ સામે જિલ્લા પ્રશાસનની સખત કાર્યવાહીનો સંકેત

ધર્મિશા પાર્કના 44 ફલેટ અને દાભેલનું જી સિનેમા સીલઃ 15 દિવસમાં ભાડૂઆતોને પોતાના ફલેટ ખાલી કરી આપવા જિલ્લા પ્રશાસને આપેલો આદેશ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.17 : દમણ જિલ્લા પ્રશાસને બાંધકામના નીતિ-નિયમોની સરેઆમ અવહેલના કરી તાણી બાંધેલ ગેરકાયદે બિલ્‍ડીંગો-ઈમારતો સામે દાખલો બેસે તેવા પગલાં ભરવાની શરૂઆત કરી છે. જેમાં પ્રારંભમાં દમણના દાભેલ ખાતે ગુલાબભાઈ પટેલ પરિવારની અડધો ડઝન જેટલી ગેરકાયદે બિલ્‍ડીંગો સામે જિલ્લા પ્રશાસને કડક કાર્યવાહીનો આરંભ કર્યો છે.
દમણ જિલ્લા પ્રશાસન દ્વારા જારી કરાયેલ અખબારી યાદીમાં જણાવાયું છે કે, દમણ જિલ્લા પ્રશાસને ગેરકાયદે બાંધકામો સામે સખત વલણ અપનાવી વિવિધ સ્‍થળો ઉપર ગેરકાયદે બાંધકામો અને નિર્માણ સામે સખત કાર્યવાહી શરૂ કરી છે. જેમાં અલગ અલગ જગ્‍યાએ નિર્માણ પામેલ ઈમારતોના ડિમોલીશન માટે છ(6) નોટિસ આપવામાં આવી છે.
જિલ્લા પ્રશાસન દ્વારા જારી નોટિસમાં મુખ્‍ય રૂપથીધર્મિશા પાર્ક સ્‍થિત ચારથી વધુ નાના-મોટા ગેરકાયદે બિલ્‍ડીંગ, જી સિનેમા તથા તેની સામે આવેલ બે બિલ્‍ડીંગોનો સમાવેશ થાય છે.
ધર્મિશા પાર્ક વિસ્‍તારમાં આવેલ 4 મોટા અને 3 નાના ગેરકાયદે બાંધકામોમાંથી બે મોટા બાંધકામને પુરી રીતે ધ્‍વંસ્‍ત કરવા, બે અન્‍ય મોટી બિલ્‍ડીંગોના ગેરકાયદે હિસ્‍સાને તોડવા અને ત્રણ નાના નિર્માણનું ડિમોલીશન કરવા માટે નોટિસ આપવામાં આવી છે.
દરમિયાન ધર્મિશા પાર્ક ખાતે આ અવૈધ નિર્માણોમાં 40થી વધુ ફલેટ/રૂમને તાત્‍કાલિક પ્રભાવથી સીલ કરવામાં આવ્‍યા છે અને જેઓ ભાડુઆત તરીકે રહી રહ્યા છે તેમને 15 દિવસની અંદર પોતાનું આવાસ ખાલી કરવા નિર્દેશ આપવામાં આવ્‍યો છે જેથી ગેરકાયદે બાંધકામોને કાયદેસર પ્રક્રિયાના અનુરૂપ તોડવાની કાર્યવાહી થઈ શકે.
જી સિનેમા બિલ્‍ડીંગમાં અવૈધ રૂપથી સંચાલિત કોમર્શિયલ ગતિવિધિઓને બંધ કરાવી બિલ્‍ડીંગને પણ સીલ કરવામાં આવી છે. દમણ જિલ્લા પ્રશાસન દ્વારા કરવામાં આવેલી આ સખત કાર્યવાહીથી પ્રશાસન હવે ગેરકાયદે બાંધકામને બર્દાસ્‍ત નહીં કરશે અને આવી બાબતોમાં પ્રશાસન કોઈની સાડાબારી નહીં રાખે એવો સ્‍પષ્‍ટ સંદેશ પણ વહેતો થયો છે.

સંઘપ્રદેશ પ્રશાસનમાં ‘દેર છે પણ અંધેર નથી’: લાંબા સમયથી ચાલેલી પગલાં ભરવાની વાત છેવટે હકીકત બની રહીછે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.17: દમણ જિલ્લામાં શ્રી ગુલાબભાઈ પટેલનું નામ ખુબ જ આદરથી લેવામાં આવે છે. તેમનો માન અને મોભો પણ હંમેશા ઊંચો રહ્યો છે. તેમનો પ્રભાવ ફક્‍ત દાભેલ જ નહીં પરંતુ સમગ્ર દમણ જિલ્લામાં પણ અસરકારક રીતે પડતો રહે છે.
એક સમયે દાભેલની ગણતરી દમણ અને દીવની રાજકીય રાજધાની તરીકે થતી હતી. કારણ કે, સાંસદ, જિલ્લા પંચાયત પ્રમુખ, નગરપાલિકાના પ્રમુખ તથા સત્તાધારી પાર્ટીના પ્રમુખ પણ દાભેલથી અથવા દાભેલ દ્વારા નામિત જ રહેતા હતા. તેમાં એક આગેવાન તરીકે શ્રી ગુલાબભાઈ પટેલની ભૂમિકા પણ ખુબ જ નિર્ણાયક અને મહત્ત્વની રહેતી હતી.
શ્રી ગુલાબભાઈ પટેલે પોતાની નાસમજ અથવા રાજકીય પ્રભાવથી એગ્રીકલ્‍ચર જમીન ઉપર એન.એ. કરાવવા વગર અને પ્‍લાન પાસ કર્યા વિના બે બે મોટી બિલ્‍ડીંગો તાણી બાંધી હતી. દમણ જિલ્લામાં શ્રી ગુલાબભાઈ પટેલ એકમાત્ર નથી. એવા ઘણાં આગેવાનો છે કે જેમણે સરકારી તંત્રની પરવાહ કર્યા વગર પોતાનું સામ્રાજ્‍ય ઉભું કર્યું છે.
મળતી માહિતી પ્રમાણે દમણ જિલ્લા પ્રશાસને એક મહિના પહેલાં આ ગેરકાયદે ઈમારતમાં રહેતા લોકોને 30 દિવસની અંદર ફલેટ/રૂમ ખાલી કરવા માટે નિર્દેશ આપ્‍યો હતો. પ્રશાસન દ્વારા બિલ્‍ડીંગ ઉપર નોટિસ પણ ચોંટાડવામાં આવી હતી. આજેજ્‍યારે પ્રશાસનના અધિકારીઓ આ બે ગેરકાયદે બિલ્‍ડીંગને સીલ કરવા માટે પહોંચ્‍યા ત્‍યારે તેમાં રહેતા ભાડુઆતોમાં સન્નાટો છવાઈ ગયો હતો. પ્રશાસને ખાલી પડેલા 44 ફલેટોને તાત્‍કાલિક સીલ કર્યા હતા અને જે ફલેટોમાં લોકો અત્‍યારે પણ રહી રહ્યા છે તેમના ઉપર માનવીય અને સંવેદનશીલ અભિગમ અપનાવી પ્રશાસને 15 દિવસની અંદર પોતપોતાના ફલેટ ખાલી કરવા આદેશ આપ્‍યો છે. ત્‍યારબાદ એગ્રીકલ્‍ચર લેન્‍ડ ઉપર બનાવવામાં આવેલ બંને ઈમારતોના ડિમોલીશન માટેનો માર્ગ મોકળો થશે.
ગુલાબભાઈ પટેલે પોતાના જી સિનેમાને પણ મિનિ ફેક્‍ટરી અને વ્‍યવસાયિક પ્રવૃત્તિઓ માટે ઉપલબ્‍ધ કરાવી દીધો હતો જે નિયમના વિરૂદ્ધ હોવાથી પ્રશાસને તાત્‍કાલિક પ્રભાવથી જી સિનેમાને પણ સીલ કર્યું છે.
અત્રે યાદ રહે કે, સંઘપ્રદેશ પ્રશાસને ગેરકાયદે બાંધકામો સામે પોતાના સખત વલણનો નિર્દેશ ખુબ લાંબા સમય પહેલાં આપી દીધો હતો. પરંતુ નિર્ણય લેવામાં થયેલા વિલંબના કારણે ગેરકાયદે બાંધકામ ધારકો ગેલમાં હતા અને ભૂતકાળમાં જે રીતે અધિકારીઓ દ્વારા ‘મેનેજ’ થતું હતું તે રીતે હવે પણ થઈ જશે એવી ખુમારીમાં રહ્યા હતા, પરંતુ સંઘપ્રદેશ પ્રશાસનમાં ‘દેર છે પરંતુ અંધેર નહીં’ હોવાની વાત આજે સાચી પડતી દેખાય છે.

Related posts

દીવ ખાતે ખકરી મેમોરીયલ શહાદતની યાદો સાથે હવે યુદ્ધ જહાજની ખાસિયત પણ નિહાળી શકાશે

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસ નિમિત્તે મગરવાડાના સરપંચ લખીબેન પટેલે ભરવાડ ફળિયા અને થાણાપારડી શાળામાં કરાવેલું તિથિ ભોજન

vartmanpravah

પારડી ખડકીમાં સરકારી અનાજનો જથ્‍થો સગેવગે થાય તે પહેલાં જાગૃત નાગરિકોએ ટેમ્‍પો ઝડપ્‍યો

vartmanpravah

ઉમરગામ તાલુકાના સરપંચોમાં સાંસદ કે. સી. પટેલ પ્રત્‍યે ભારે નારાજગી

vartmanpravah

પોલિયો રવિવાર, આરોગ્‍ય મંત્રાલયના આ અભિયાનમાં દમણ ખાતે ‘સ્‍ટેપ અપ ફાઉન્‍ડેશન’ના પ્રમુખ વિશાલભાઈ ટંડેલે બાળકોને પોલિયોના બે ડોઝ પિવડાવી નેશનલ પોલિયો રસીકરણ અભિયાનની કરાવેલી શરૂઆત

vartmanpravah

સમગ્ર ધરમપુર બન્‍યું રામમયઃ શ્રી રામ નવમી નિમિત્તે આયોજિત શોભાયાત્રામાં રામભક્‍તો જોડાયા પેટાઃ નાનાં-નાનાં ભૂલકાંઓ રામ-સીતા-લક્ષ્મણ-હનુમાનજીના વેશભૂષામાં સમગ્ર શોભાયાત્રામાં આકર્ષણનું કેન્‍દ્ર (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ધરમપુર, તા.10 હિંદુ યુવા-સંઘ અને નવરંગ ગ્રુપ ધરમપુરના સંયુક્‍ત ઉપક્રમે આયોજિત ત્રિવેણી કાર્યક્રમોના સથવારે આખું નગર ‘રામમય’ બન્‍યું હતું. બપોરે ત્રણ કલાકે આયોજિત શોભાયાત્રામાં નાના નાના ભૂલકાઓ સહિત હજ્‍જારો ભાઈ-બહેનો જોડાયા હતા. બાદ સાંજે બ્‍લડ-ડોનેટનો કાર્યક્રમ બાદ સૌ નગરજનોએ મહાપ્રસાદ પણ ગ્રહણ કરી તળપ્ત થયા હતા. સવારના પહોરમાં મંગળા આરતી બાદ વિવિધ ધર્મિક કાર્યક્રમોના સથવારે આજે રામનવમીની ઉજવણીની શરૂ કરી હતી. બપોરે નગરના કાળારામજી મંદિર ખાતેથી આયોજીત શોભાયાત્રામાં નાના નાના ભૂલકાઓ સહિત હજ્‍જારો નગરજનો જોડાયા હતા, ડીજેના સથવારે યુવાનો થનગનતા રહ્યા હતા, જયશ્રીરામના ગગનભેદી નારાઓયે આખા નગરને રામમય કરી નાખ્‍યું હતું. આ શોભાયાત્રા નગરના મોટાબજાર,સમડીચોક,-ભુફળિયા, વિમળેશ્વર મંદિર, આસુરાઝાપા, વાલોડ ફળિયા, માછીવાડ, ગાંધીબાગ, મસ્‍જીદ ફળિયા, ગાર્ડન રોડ, દશોન્‍દી ફળિયા થઇ ફરી કાળારામજી મંદિરે પરત ફરી હતી. સંપૂર્ણ યાત્રામાં જોડાયેલા ભાઈ-બહેનોએ ભગવાન શ્રી રામનો જયજયકાર કરી આખા નગરને રામમય બનાવી દીધું હતું. કેટલાક ચોક ઉપર ભાઈ બહેનો ગરબો પણ રમ્‍યા હતા, આ સાથે નાના નાના ભૂલકાઓને રામ લક્ષ્મણ સીતા અને હનુમાનજી સહિત અનેકવિધ દેવી દેવતાઓના વેશભૂષામાં સજ્જ કરી અલગ પ્રકારની ગાડીમાં બેસાડાયા હતા. આર એસ એસ દ્વારા નાના નાના ભૂલકાઓની ચાલતી શાખાના સ્‍વયસેવકો પણ સમગ્ર શોભાયાત્રા દરમિયાન ‘એક હી નારા, એક હી નામ-જયશ્રીરામ જયશ્રીરામ’નો જયઘોષ કરતા દેખાયા હતા. જે સમગ્ર રેલી દરમિયાન આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યા હતા. આખી રેલી દરમિયાન ફળીયે ફળીયે છાશ- ઠંડાપાણીની વ્‍યવસ્‍થાઓ ઉભી કરાય હતી. ઠેર ઠેર પસાર થતી શોભાયાત્રા ઉપર નગરના નગરજનોએ પુષ્‍પાંજલિ કરી ભગવાન રામ પ્રત્‍યે પોતાની અસ્‍થા-શ્રદ્ધાનું પ્રગટીકરણ કર્યું હતું. આખું નગરમા ઘરે ઘરે લગાવાયેલી ભાગવા રંગની ઝંડીએ નગરને અનોખા ભગવા રંગે રંગી દીધું હતું. શોભાયાત્રામાં નગરજનો ઉપરાંત નગરની વિવિધ એન.જી.ઓ અને ધર્મિક સંસ્‍થાના અગ્રણીઓએ પણજોડાયા હતા. શોભાયાત્રા પરત ફરતા ઉપસ્‍થિત બ્રહ્માંનોયે વિધિવત રીતે ફરી ભગવાન શ્રીરામને મંદિરમાં પ્રવેશ કરાવ્‍યા હતા. બાદ વલસાડ જીલ્લા રક્‍તદાન કેન્‍દ્ર દ્વારા આયોજિત કાર્યક્રમમાં નગરજનોએ મોટી સંખ્‍યામાં ભાગ લઇ રક્‍તનું દાન કર્યું હતું, અંતે મહાપ્રસાદ લઇ ભક્‍તજનો તળપ્ત થયા હતા. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન તમામ હિંદુ ભાઈ બહેનોમાં એકતાના દર્શન થયા હતા. હિંદુ યુવાસંઘ દ્વારા અંતે આભારવિધિ આટોપી હતી.

vartmanpravah

Leave a Comment