Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ બિનવાડા ચણવઈમાં વીજ લાઈનમાં થયેલ શોર્ટ સર્કિટથી આંબાવાડીમાં આગ લાગી

અતુલ અને વલસાડ પાલિકાની ફાયર બ્રિગેડે બે કલાકની જહેમત બાદ આગ બુઝાવી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: વલસાડ નજીક આવેલ બિનવાડા-ચણવઈ ગામે આવેલ આંબાવાડીમાં મંગળવારે અગિયાર વાગ્‍યાના સુમારે અચાનક આગ લાગી હતી. વાડી વચ્‍ચેથી પસાર થતી વિજ કંપનીની લાઈનમાં શોર્ટ સર્કિટ થતા વાડીમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.
વલસાડ ચણવઈમાં આવેલ શ્રી સંકટમોચન હનુમાન મંદિર સામે બિનવાડાના સોસાયટી ફળીયામાં યોગીભાઈના મકાન સામે આવેલ આંબાવાડીમાં આગ લાગતા યોગીભાઈએ અતુલ અને વલસાડ નગરપાલિકા ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ઘટના સ્‍થળે ફાયર ફાઈટરો ધસી આવી આગને બુઝાવવાની જહેમત શરૂ કરી હતી. બે એક કલાકની જહેમત બાદ અંતે આગ ઉપર કાબુ કરી લેવાયો હતો. વાડીમાં બનેલી આગની ઘટનામાં કોઈ જાનહાની કે ઈજા કોઈને થવાપામેલ નહોતી.

Related posts

કાયદો કાયદાનું કામ કરે છે દાનહ જિલ્લા પ્રશાસને સેલવાસ નગરપાલિકાના કાઉન્‍સિલર મનોજ દયાતના શેડની દીવાલ તોડી પાડી

vartmanpravah

સંઘપ્રદેશના ઔદ્યોગિક વિકાસની ઝાંખીનો નઝરાણો ઉન્નતિ એક્‍સ્‍પોનો રવિવારથી આરંભ

vartmanpravah

વાપી ચણોદમાં 30મી માર્ચથી પ એપ્રિલ સુધી ભાગવત કથા યોજાશે

vartmanpravah

બે બોગસ જન્‍મ પ્રમાણપત્ર રાખવાના પ્રકરણમાં દીવ જિ.પં.ના સભ્‍ય પદેથી ઉમેશ રામા બામણિયાને સસ્‍પેન્‍ડ કરાયા: સંઘપ્રદેશના પંચાયતી રાજ સચિવ ગૌરવ સિંહ રાજાવતે જારી કરેલો આદેશ

vartmanpravah

રખોલીમાં વાહનચાલકે ટક્કર મારતા અજાણ્‍યા યુવાનનું મોત

vartmanpravah

આજે નાણાંમંત્રી કનુભાઈ દેસાઈની અધ્‍યક્ષતામાં પારડીમાં યોજાનાર ગરીબ કલ્‍યાણ મેળામાં 35163 લાભાર્થી 81 કરોડની સહાય ચૂકવાશે

vartmanpravah

Leave a Comment