(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.08: શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર સલવાવ દ્વારા સંચાલિત શ્રી ઘનશ્યામ વિદ્યામંદિર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સલવાવમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને માસિક સ્વરછતા જાગૃતતા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં ગુડ ટચ બેડ ટચ અંગેની જાણકારી આપી પોતાની સુરક્ષા માટે કેવા પ્રકારની કાળજી લઈ શકાય તેમજ કિશોરાવસ્થા દરમિયાન માસિક ધર્મ સમયે સ્વચ્છતા જાળવવા માટે સ્વચ્છ નેપકિનનો ઉપયોગ કરવો જોઈએ જેથી અનેક રોગોથી બચી શકાય છે જેવી ધ્યાનમાં રાખવા જેવી બાબતો વિશેપણ માહિતી આપવામાં આવી હતી. યોજાયેલ કાર્યક્રમમાં ધોરણ 6 થી 12ની તમામ વિદ્યાર્થીનીઓને શાળાની શિક્ષિકાઓ ગીતાબેન ચૌધરી, પ્રિયંકાબેન પરમાર, નેહલ પટેલ, માનસી કેવત, નમ્રતા ડાકે, અદિતિ પટેલ દ્વારા વિદ્યાર્થીનીઓના મૂંઝવતા પ્રશ્નો સાંભળી યોગ્ય પ્રત્યુત્તર આપી તેમજ આવશ્યક સૂચનો આપી માહિતી અને સમજણ પૂરી પાડવામાં આવી હતી.