January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

સેલવાસમાં આદિવાસી સમાજ દ્વારા ‘દિવાસા’ પર્વની ઉજવણી કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.17 : આજે ‘દિવાસા’ પર્વ નિમિતે સેલવાસના બાવીસા ફળીયા બરમદેવ મંદિર તથા દાનહના વિવિધ વિસ્‍તારોમાં વિધિવત પૂજા-અર્ચના કરવામાં આવી હતી. આ પ્રસંગે સેલવાસમાં નાળિયેર વડે ટપ્‍પા દાવની રમત પણ રમવામાં આવી હતી.
આદિવાસી સમાજ માટે ‘દિવાસા’ પર્વ ખુબ જ મહત્‍વનો તહેવાર ગણાય છે. આષાઢી અમાસના દિવસે આદિવાસીઓ દ્વારા દિવાસા (બિમહા)ના તહેવારની ઉજવણી કરવામાં આવે છે. અષાઢમાં વરસાદનું આગમન થઈ ગયું હોય છે અને આ સમયે વાવણી પણ લગભગ પૂર્ણ થયેલી હોય છે. એટલે દિવાસો આવતા સુધીમાં ખેતરમાં વાવણી કરેલ ડાંગર, તુવેરના પાકની કુંપળો ખેતરના પડને ચીરીને બહાર આવે છે.
ખેતીવાડીમાં પાકનો ઉતારો સારો આવે એ માટે આદિવાસી સમુદાયના લોકોમાં દિવાસા તહેવારનું વિશેષ મહત્‍વ હોય છે. દિવાસાની આગલી રાતે ગામમાં ઉજાણી રાખવામાં આવે છે. જેમાં ખેતરમાં જઈને ખત્રીદેવને પૂજવામાં આવે છે અને કુટુંબના પૂર્વજોને યાદ કરવામાં આવે છે. આ દરમિયાન ખેતરમાં ઉગી નિકળેલા પાકની પણ પૂજા કરવામાં આવે છે.
આદિવાસી સમુદાયમાં એક એવી માન્‍યતા પણ છે કે આ વર્ષ લગ્ન કરીને સાસરેગયેલી દિકરી તેનો પ્રથમ દિવાસો ગામમાં એના માં-બાપના ઘરે જ ઉજવે છે, એટલે સાસરે ગયેલી દિકરી આગલા દિવસે ઘરે આવી જાય છે. દિવાસાના દિવસેથી સૂર્ય વાદળની પાછળ ઢંકાયેલો રહેશે, જેથી નવા પાકની કુંપળો, વેલ, ફળ, ફુલ ઉગશે અને આદિવાસી સમુદાય તેને તોડવો કે નાશ ન કરવાની પ્રતિજ્ઞા લે છે.
આજના દિવાસા પર્વની પૂજા નિમિતે સેલવાસ ન.પા. સભ્‍ય શ્રી સુમનભાઈ પટેલ, સામાજીક અગ્રણી શ્રી દિલીપભાઈ પટેલ સહિત આદિવાસી સમાજના યુવાઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડથી સાળંગપુર સુધીની એસટી બસ સેવાનો કરાયો પ્રારંભ

vartmanpravah

વલસાડ જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને હર ઘર તિરંગા અભિયાનની બેઠક મળી: જિલ્લામાં તા. 13 થી તા. 15 ઓગસ્ટ સુધી સતત 3 દિવસ સુધી તિરંગો લહેરાશે

vartmanpravah

પારડીના રોહિણા ખાતેથી સાત જુગારીયાઓને ઝડપતી પારડી પોલીસ

vartmanpravah

પ્રાથમિક મરાઠી કેન્‍દ્ર શાળા સેલવાસમાં ‘સ્‍પેલિંગ-બી’ સ્‍પર્ધા યોજાઈ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.22 પ્રાથમિક શિક્ષણ વિભાગ દાનહની પાલિકા સંચાલિત મરાઠી કેન્‍દ્ર શાળા સેલવાસ ખાતે ધોરણ1થી 8ના વિદ્યાર્થીઓ માટે ‘સ્‍પેલિંગ-બી’ સ્‍પર્ધાનું આયોજન કરવામા આવ્‍યું હતું. જેમાં વિદ્યાર્થીઓના અંગ્રેજીના શબ્‍દોની ચકાસણી કરવામાં આવી હતી. આ સ્‍પર્ધામાં ધોરણ 1થી 5મા અરૂંધતી રોય ગ્રુપ અને ધોરણ 6થી 8વિલ્‍યમ શેક્‍સપિયર ગ્રુપે પ્રથમ સ્‍થાન પ્રાપ્ત કર્યું હતુ કાર્યક્રમમાં મુખ્‍ય અતિથિ તરીકે હિન્‍દી મીડીયમ શાળાના આચાર્ય બ્રજભૂષણ ઝા અને ગુજરાતી મીડીયમના આચાર્ય કળષ્‍ણાબેન માત્રોજા ઉપસ્‍થિત રહ્યા હતા.

vartmanpravah

વડોદરા ડ્રગ પ્રકરણ બાદ વલસાડ જિલ્લા પોલીસ એલર્ટ : જિલ્લાની બંધ ફાર્મા કંપનીઓમાં શરૂ કરેલુ સર્ચ ઓપરેશન

vartmanpravah

વલસાડના પારનેરામાં રામ નવમી નિમિત્તે નિકળેલી ભવ્‍ય શોભાયાત્રા

vartmanpravah

Leave a Comment