September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

પાલઘર રેલવે સ્‍ટેશન ઉપર મુંબઈ તરફ જતી માલગાડીના ડબ્‍બા ખડી પડતા વાપી રેલવે ફાટકે વાહન ચાલકો અટવાયા

એન્‍જિનની પાછળના કેટલાક ડબ્‍બા ખડી પડતા ટ્રેનમાં ભરેલા
લોખંડના રોલ પાટા ઉપર વેરાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.28: ગુજરાત તરફથી નિકળી મુંબઈ તરફ જઈ રહેલ માલગાડી પાલઘર સ્‍ટેશન પાસેથી પસાર થતી હતી ત્‍યારે એન્‍જિન પાછળના કેટલાક ડબ્‍બા ખડી પડયા હતા તેથી રેલવે વહેવાર પ્રભાવિત થયો હતો. અલબત્ત ગુડ્‍ઝ ટ્રેનની સ્‍થાને પેસેન્‍જર ટ્રેન હોત તો મોટી દુર્ઘટના ઘટવાની શક્‍યતા નકારી ના શકાય તેવી સ્‍થિતિ સર્જાવા પામી હતી.
ગુડ્‍ઝ ટ્રેન મુંબઈ તરફજતી હતી ત્‍યારે પાલઘર સ્‍ટેશને પાટા ઉપર કોઈ ટેકનિકલ ખામીને લઈ એન્‍જિનની પાછળના છ થી સાત ડબ્‍બા ખડી પડયા હતા. ગુડ્‍ઝ ટ્રેનમાં તોતિંગ સ્‍ટીલના રોલ ભરેલા હતા તે પાટા ઉપર ખડી પડયા હતા. તેમજ એક વિજપોલ પણ વળી ગયો હતો. પાવર સપ્‍લાય પણ અકસ્‍માતથી બંધ થઈ ગયો હતો. અકસ્‍માતને લઈને મુંબઈ તરફથી આવતો ટ્રેન વહેવાર પ્રભાવિત થયો હતો. સંભવિત ગુજરાત તરફ જતી ટ્રેનો બે થી ત્રણ કલાક લેટ ચાલશે. અકસ્‍માત બાદ રેલવેનો ટેકનિકલ સ્‍ટાફ ધસી આવ્‍યો હતો. સાથે સાથે સ્‍ટીલ રોલને ખસેડવાની જબરજસ્‍થ જહેમત આરંભાઈ હતી.

Related posts

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના સમર્થનમાં દાનહ કોંગ્રેસે કરેલો ‘સંકલ્‍પ સત્‍યાગ્રહ’

vartmanpravah

દાનહમાં તો વિદ્યુત નિગમ બની ચૂક્‍યું હતું, પણ.. દમણ-દીવનું વિદ્યુત વિભાગ તો સરકારી હોવા છતાં તેનું વેચાણ શક્‍ય ખરું?

vartmanpravah

નારગોલ શ્રી નિર્મલા દેવી સહજોગ ટ્રસ્‍ટ દ્વારા સહષાારધામ નારગોલ ખાતે ભવ્‍ય પૂજાનો કાર્યક્રમ કરવામાં આવ્‍યો

vartmanpravah

વલસાડમાં કસ્તુરબા હોસ્પિટલ રૂ. ૧.પ૧ કરોડ અને તડકેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટને રૂ. પ૧ લાખનું દાન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તરફથી મળ્યું

vartmanpravah

જંગલ જનજીવન આંદોલન દ્વારા આયોજીત અસ્‍મિતા રેલીમાં દાનહના બેદરકાર અને લાપરવાહ રાજકીય નેતાઓના કારણે આદિવાસી સમાજને થઈ રહેલા અન્‍યાયનો પડેલો પડઘો

vartmanpravah

વલસાડ જિલ્લા ડિઝાસ્‍ટર વિભાગ દ્વારા હવામાન ચેતવણી એલ્‍પિકેશનનો ઉપયોગ કરવા નાગરિકોને અનુરોધ

vartmanpravah

Leave a Comment