Vartman Pravah
Breaking NewsOtherગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

ઝાંસી બાંદ્રા ટ્રેનમાંથી ઓફ સાઈડ ઉતરતાં વાપી રેલવે સ્ટેશન ઉપર કરૂણાંતિકા સર્જાઈઃ ટ્રેનની અડફેટે ૩ :મુસાફરો આવ્યાઃ ૨ના મોત, ૧ ઘાયલ : મુંબઈ તરફથી આવતી ટ્રેનની અડફેટમાં: આવ્યાઃ પરિવાર વાપીથી દમણ જવાનો હતો

(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.૨૭ : વાપી રેલવે સ્ટેશન ઉપર આજે સોમવારે બે વાગ્યાના સુમારે ત્રણ મુસાફરો ટ્રેન અડફેટમાં આવી ગયા હતા. જેમાં બે ના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે અન્ય ઘાયલ અજાણી મહિલાને સારવાર માટે ખસેડાઈ હતી.
ઘટના અંગે રેલવે પોલીસે આપેલી માહિતી મુજબ બપોરે ૨ વાગે મુંબઈ તરફ જતી ઝાંસી-બાંદ્રા ટ્રેન વાપી આવી થોભી હતી. પ્લેટફોર્મ નં.૨ ઉપર થોભેલી ટ્રેનમાંથી મુસાફરો ઉતરી રહ્ના હતા પરંતુ ભીડ વધારે હોવાથી કેટલાક મુસાફરો ઓફસાઈડ ઉતરી પ્લેટફોર્મ નં.૧ તરફ જવાની કોશિશ કરી રહ્ના હતા તે દરમિયાન મુંબઈ તરફથી આવી રહેલ પલ્લી ઈન્દોર હમસફર ઍક્સપ્રેસ ટ્રેનની અડફેટમાં ત્રણ મુસાફરો આવી ગયા હતા તે પૈકી બે નું ઘટના સ્થળે મોત થયું હતું અને અન્ય ઍક અજાણી મહિલા ઘાયલ થઈ હતી તેને રેલવે પોલીસે સારવાર માટે ખસેડી હતી. જા કે પ્લેટફોર્મ ઉપર હાજર મુસાફરો ત્રણેય મુસાફરોને બચાવવા દોડી ગયા હતા. પરંતુ અફસોસ બે મુસાફરોના કમકમાટીભર્યા મોત થઈ ગયા હતા. મૃત્યુ પામેલા પરિવારમાં ઍક ૧૬ વર્ષની યુવતિ પણ હતી. આ પરિવાર ઝાંસીથી વાપી રેલવે સ્ટેશન ઉતરી દમણ જવાનો હતો જ્યારે બીજા પરિવારના ઍક પુરુષનું મોત નિપજ્યું હતું. રેલવે પોલીસ ઘાયલ મહિલાની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી હતી.

Related posts

ઉમરગામ નવી જીઆઈડીસીમાં નજીવી બાબતે થયેલી હત્‍યા અને એક ગંભીર

vartmanpravah

કપરાડા નાસિક રોડ સુથારપાડા નજીક યુવાનોએ શ્રમદાન કરીને રોડના ખાડા પુર્યા : તંત્રને લપડાક

vartmanpravah

વલસાડ જિલ્લાની પ બેઠક પર ઉમેદવારી પત્ર ચકાસણીની પ્રક્રિયામાં 38 ફોર્મ મંજૂર, 21 રદ્‌

vartmanpravah

દીવમાં ફેમિલી હેલ્‍થ સર્વે શરૂ થયો

vartmanpravah

દાનહ આદિવાસી એકતા પરિષદ દ્વારા ટોરેન્‍ટ પાવર કંપની પાસેથી વીજ વિતરણનો કરાર રદ્‌ કરવા કલેક્‍ટરને રજૂઆત : પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્‍યું

vartmanpravah

મોરબી પુલ હોનારતના મૃતકોના સન્માનમાં બે મિનિટનું મૌન પાળી કાયક્રમનો કરાયેલો આરંભ : સંઘપ્રદેશમાં યોજાયો રોજગાર મેળોઃ 248 ઉમેદવારોનેએનાયત કરાયા નિયુક્‍તિ પત્ર

vartmanpravah

Leave a Comment