November 17, 2025
Vartman Pravah
Breaking NewsOtherગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

ઝાંસી બાંદ્રા ટ્રેનમાંથી ઓફ સાઈડ ઉતરતાં વાપી રેલવે સ્ટેશન ઉપર કરૂણાંતિકા સર્જાઈઃ ટ્રેનની અડફેટે ૩ :મુસાફરો આવ્યાઃ ૨ના મોત, ૧ ઘાયલ : મુંબઈ તરફથી આવતી ટ્રેનની અડફેટમાં: આવ્યાઃ પરિવાર વાપીથી દમણ જવાનો હતો

(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.૨૭ : વાપી રેલવે સ્ટેશન ઉપર આજે સોમવારે બે વાગ્યાના સુમારે ત્રણ મુસાફરો ટ્રેન અડફેટમાં આવી ગયા હતા. જેમાં બે ના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે અન્ય ઘાયલ અજાણી મહિલાને સારવાર માટે ખસેડાઈ હતી.
ઘટના અંગે રેલવે પોલીસે આપેલી માહિતી મુજબ બપોરે ૨ વાગે મુંબઈ તરફ જતી ઝાંસી-બાંદ્રા ટ્રેન વાપી આવી થોભી હતી. પ્લેટફોર્મ નં.૨ ઉપર થોભેલી ટ્રેનમાંથી મુસાફરો ઉતરી રહ્ના હતા પરંતુ ભીડ વધારે હોવાથી કેટલાક મુસાફરો ઓફસાઈડ ઉતરી પ્લેટફોર્મ નં.૧ તરફ જવાની કોશિશ કરી રહ્ના હતા તે દરમિયાન મુંબઈ તરફથી આવી રહેલ પલ્લી ઈન્દોર હમસફર ઍક્સપ્રેસ ટ્રેનની અડફેટમાં ત્રણ મુસાફરો આવી ગયા હતા તે પૈકી બે નું ઘટના સ્થળે મોત થયું હતું અને અન્ય ઍક અજાણી મહિલા ઘાયલ થઈ હતી તેને રેલવે પોલીસે સારવાર માટે ખસેડી હતી. જા કે પ્લેટફોર્મ ઉપર હાજર મુસાફરો ત્રણેય મુસાફરોને બચાવવા દોડી ગયા હતા. પરંતુ અફસોસ બે મુસાફરોના કમકમાટીભર્યા મોત થઈ ગયા હતા. મૃત્યુ પામેલા પરિવારમાં ઍક ૧૬ વર્ષની યુવતિ પણ હતી. આ પરિવાર ઝાંસીથી વાપી રેલવે સ્ટેશન ઉતરી દમણ જવાનો હતો જ્યારે બીજા પરિવારના ઍક પુરુષનું મોત નિપજ્યું હતું. રેલવે પોલીસ ઘાયલ મહિલાની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી હતી.

Related posts

વલસાડના સેગવી ગામની સર્વોદય હાઇસ્‍કૂલમાં જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનની પૂર્ણાહુતિ

vartmanpravah

સંઘપ્રદેશના વિદ્યુત વિભાગના ખાનગીકરણને રોકવા પ્રદેશના ચાર જાગૃત પત્રકારોએ શરૂ કરેલું અભિયાન:ભારત સરકારને વાસ્‍તવિક સ્‍થિતિથી વાકેફ કરવા હાથ ધરાનારા પ્રયાસો

vartmanpravah

વલસાડના પારનેરાની સાર્વજનિક માધ્‍યમિક શાળામાં કૌશલ્‍યોત્‍સવ સ્‍પર્ધા-2023 યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં પ્રથમવાર ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા યોગમય બની

vartmanpravah

ભારત સરકારની હોમ અફેર્સ (ડિઝાસ્ટર મેનેજમેન્ટ)ની ઇન્ટર મિનિસ્ટ્રીયલ ટીમ નવસારી જિલ્લાની મુલાકાતે

vartmanpravah

કેન્‍દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમનના હસ્‍તે વલસાડના ઈન્‍કમટેક્‍સ ઓફિસરને એવોર્ડ એનાયત

vartmanpravah

Leave a Comment