June 12, 2026
Vartman Pravah
Breaking NewsOtherગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

ઝાંસી બાંદ્રા ટ્રેનમાંથી ઓફ સાઈડ ઉતરતાં વાપી રેલવે સ્ટેશન ઉપર કરૂણાંતિકા સર્જાઈઃ ટ્રેનની અડફેટે ૩ :મુસાફરો આવ્યાઃ ૨ના મોત, ૧ ઘાયલ : મુંબઈ તરફથી આવતી ટ્રેનની અડફેટમાં: આવ્યાઃ પરિવાર વાપીથી દમણ જવાનો હતો

(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.૨૭ : વાપી રેલવે સ્ટેશન ઉપર આજે સોમવારે બે વાગ્યાના સુમારે ત્રણ મુસાફરો ટ્રેન અડફેટમાં આવી ગયા હતા. જેમાં બે ના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે અન્ય ઘાયલ અજાણી મહિલાને સારવાર માટે ખસેડાઈ હતી.
ઘટના અંગે રેલવે પોલીસે આપેલી માહિતી મુજબ બપોરે ૨ વાગે મુંબઈ તરફ જતી ઝાંસી-બાંદ્રા ટ્રેન વાપી આવી થોભી હતી. પ્લેટફોર્મ નં.૨ ઉપર થોભેલી ટ્રેનમાંથી મુસાફરો ઉતરી રહ્ના હતા પરંતુ ભીડ વધારે હોવાથી કેટલાક મુસાફરો ઓફસાઈડ ઉતરી પ્લેટફોર્મ નં.૧ તરફ જવાની કોશિશ કરી રહ્ના હતા તે દરમિયાન મુંબઈ તરફથી આવી રહેલ પલ્લી ઈન્દોર હમસફર ઍક્સપ્રેસ ટ્રેનની અડફેટમાં ત્રણ મુસાફરો આવી ગયા હતા તે પૈકી બે નું ઘટના સ્થળે મોત થયું હતું અને અન્ય ઍક અજાણી મહિલા ઘાયલ થઈ હતી તેને રેલવે પોલીસે સારવાર માટે ખસેડી હતી. જા કે પ્લેટફોર્મ ઉપર હાજર મુસાફરો ત્રણેય મુસાફરોને બચાવવા દોડી ગયા હતા. પરંતુ અફસોસ બે મુસાફરોના કમકમાટીભર્યા મોત થઈ ગયા હતા. મૃત્યુ પામેલા પરિવારમાં ઍક ૧૬ વર્ષની યુવતિ પણ હતી. આ પરિવાર ઝાંસીથી વાપી રેલવે સ્ટેશન ઉતરી દમણ જવાનો હતો જ્યારે બીજા પરિવારના ઍક પુરુષનું મોત નિપજ્યું હતું. રેલવે પોલીસ ઘાયલ મહિલાની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી હતી.

Related posts

કમ્‍ફર્ટ(આરામદાયક) લાઈફમાં ઉન્‍નતિ નથી : નેતાગીરી માટે પહેલ આવશ્‍યક

vartmanpravah

યુક્રેનમાં ફસાયેલા સંઘપ્રદેશના ત્રણ વિદ્યાર્થીઓને પરત લાવવા પ્રશાસક પ્રફુલભાઈ પટેલે શરૂ કરેલા ઉચ્‍ચ સ્‍તરીય પ્રયાસો

vartmanpravah

દાનહના સાંસદ કલાબેન ડેલકરે સુરંગી પંચાયતની મુલાકાત લઈ ગ્રામજનોની સાંભળેલી સમસ્‍યા

vartmanpravah

ઈન્‍સ્‍ટીટયૂટ ઓફ ઈલેક્‍ટ્રીકલ અને ઈલેક્‍ટ્રોનિક્‍સ એન્‍જિનિયર્સ(IEEE) દ્વારા સેલવાસ સ્‍માર્ટ સીટીની ઈ-બસ સેવાના સંચાલન અને પ્રબંધન માટે સંઘપ્રદેશ પ્રશાસનને મળેલો પ્રથમ પ્રતિષ્‍ઠિત આંતરરાષ્‍ટ્રીય પુરસ્‍કાર

vartmanpravah

વાપી તાલુકાને રૂા. 3.61 કરોડના ખર્ચે તૈયાર થયેલું એસટી વર્કશોપ આજે નવા રૂપ રંગમાં મળશે

vartmanpravah

વાપીમાં વિકાસ કામોની ગતિ ટોપ ગેરમાં : બલીઠા રેલવે ફલાય બ્રિજ અને બલીઠા રેલવે અંડરપાસ 30 જૂન પહેલાં કાર્યરત થઈ જશે

vartmanpravah

Leave a Comment