Vartman Pravah
Breaking NewsOtherગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

ઝાંસી બાંદ્રા ટ્રેનમાંથી ઓફ સાઈડ ઉતરતાં વાપી રેલવે સ્ટેશન ઉપર કરૂણાંતિકા સર્જાઈઃ ટ્રેનની અડફેટે ૩ :મુસાફરો આવ્યાઃ ૨ના મોત, ૧ ઘાયલ : મુંબઈ તરફથી આવતી ટ્રેનની અડફેટમાં: આવ્યાઃ પરિવાર વાપીથી દમણ જવાનો હતો

(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.૨૭ : વાપી રેલવે સ્ટેશન ઉપર આજે સોમવારે બે વાગ્યાના સુમારે ત્રણ મુસાફરો ટ્રેન અડફેટમાં આવી ગયા હતા. જેમાં બે ના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે અન્ય ઘાયલ અજાણી મહિલાને સારવાર માટે ખસેડાઈ હતી.
ઘટના અંગે રેલવે પોલીસે આપેલી માહિતી મુજબ બપોરે ૨ વાગે મુંબઈ તરફ જતી ઝાંસી-બાંદ્રા ટ્રેન વાપી આવી થોભી હતી. પ્લેટફોર્મ નં.૨ ઉપર થોભેલી ટ્રેનમાંથી મુસાફરો ઉતરી રહ્ના હતા પરંતુ ભીડ વધારે હોવાથી કેટલાક મુસાફરો ઓફસાઈડ ઉતરી પ્લેટફોર્મ નં.૧ તરફ જવાની કોશિશ કરી રહ્ના હતા તે દરમિયાન મુંબઈ તરફથી આવી રહેલ પલ્લી ઈન્દોર હમસફર ઍક્સપ્રેસ ટ્રેનની અડફેટમાં ત્રણ મુસાફરો આવી ગયા હતા તે પૈકી બે નું ઘટના સ્થળે મોત થયું હતું અને અન્ય ઍક અજાણી મહિલા ઘાયલ થઈ હતી તેને રેલવે પોલીસે સારવાર માટે ખસેડી હતી. જા કે પ્લેટફોર્મ ઉપર હાજર મુસાફરો ત્રણેય મુસાફરોને બચાવવા દોડી ગયા હતા. પરંતુ અફસોસ બે મુસાફરોના કમકમાટીભર્યા મોત થઈ ગયા હતા. મૃત્યુ પામેલા પરિવારમાં ઍક ૧૬ વર્ષની યુવતિ પણ હતી. આ પરિવાર ઝાંસીથી વાપી રેલવે સ્ટેશન ઉતરી દમણ જવાનો હતો જ્યારે બીજા પરિવારના ઍક પુરુષનું મોત નિપજ્યું હતું. રેલવે પોલીસ ઘાયલ મહિલાની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી હતી.

Related posts

બાઈક પર ત્રિપ્‍પલ સવારી દરમિયાન એક વ્‍યક્‍તિ પડી જવાના બનાવમાં દાનહ જિલ્લા કોર્ટના સિવિલ જજ અને જયુડિશિયલ મેજિસ્‍ટ્રેટ બી.એચ.પરમારે બાઈકચાલકને એક દિવસની જેલ અને રૂા.નવ હજાર રોકડનો ફટકારેલો દંડ

vartmanpravah

વાપી કરવડ ગામે ભંગારના ગોડાઉનમાં ભિષણ આગ લાગી : ભંગાર ગોડાઉનોમાં આગ લાગવાનો સિલસિલો યથાવત

vartmanpravah

સંઘપ્રદેશમાં ટુરિઝમ વિભાગના રજીસ્‍ટ્રેશન/લાયસન્‍સ વગર ચાલતી હોટલો, હોમસ્‍ટે ઉપર તવાઈઃ નિર્ધારિત સમયમાં રિન્‍યુ કરવા તાકિદ

vartmanpravah

તલાવચોરામાં તળાવમાંથી મળી આવેલ યુવતિની લાશના બનાવમાં ચીખલીના પોલીસે સાદકપોર-ગોલવાડના એક યુવાન અને તેના મિત્રોની પૂછપરછ કરી લીધેલા નિવેદન

vartmanpravah

સંઘપ્રદેશપ્રશાસનના 148 એલડીસી-યુડીસીની એક સામટી બદલી : કહી ગમ, કહી ખુશીનો માહોલ: લગભગ 13 જેટલા કર્મીઓની આંતર જિલ્લા બદલી

vartmanpravah

દાનહઃ ઉમરકૂઇના ખેડૂતે આધુનિક પધ્‍ધતિથી તરબૂચની ખેતી કરી બહોળી આવક રળી

vartmanpravah

Leave a Comment