April 19, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશસેલવાસ

જંગલ જનજીવન આંદોલન દ્વારા આયોજીત અસ્‍મિતા રેલીમાં દાનહના બેદરકાર અને લાપરવાહ રાજકીય નેતાઓના કારણે આદિવાસી સમાજને થઈ રહેલા અન્‍યાયનો પડેલો પડઘો

વર્તમાન સરકાર અને સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા ઘણાં લોકોને જંગલની જમીન મળી છે, પરંતુ કેટલાક કબ્‍જેદારોને કોઈને કોઈ કારણસર વન વિભાગ દ્વારા આદિવાસી સમુદાયની થતી કનડગત સામે ઉભો થયેલો વિરોધ વંટોળ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.24: દાદરા નગર હવેલીના જંગલ જનજીવન આંદોલન દ્વારા આયોજીત અસ્‍મિતા રેલીમાં બેદરકાર અને લાપરવાહ રાજકીય નેતાઓના કારણે આદિવાસી સમાજને થયેલા અન્‍યાયનો પડઘો પડયો હતો. આ રેલીને આદિવાસી એકતા પરિષદે પણ સમર્થન આપ્‍યું હતું.
જંગલ જનજીવન આંદોલન દ્વારા દાદરા નગર હવેલીમાં જંગલ જમીનનો હક્ક લેવા માટે વર્ષોથી આદિવાસીઓ દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. વર્તમાન સરકાર અને સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા ઘણાં લોકોને જમીન મળી છે, પરંતુ કેટલાક કબ્‍જેદારોને કોઈને કોઈ કારણસર વન વિભાગ દ્વારા આદિવાસી સમુદાયની થઈ રહેલી કનડગત સામે પણ વિરોધ વંટોળ દેખાયો હતો.
દાદરા નગર હવેલીના તથાકથિત નેતાઓ અને લોક પ્રતિનિધિઓ દ્વારા જંગલ જમીનનો કબ્‍જો આપવાના મુદ્દે અત્‍યાર સુધીથતી ફક્‍ત રાજનીતિના કારણે વિશાળ આદિવાસી સમુદાયનું અહિત થઈ રહ્યું હોવાની લાગણી પણ પ્રગટ થઈ હતી. છેલ્લા કેટલાક સમયથી જંગલની જમીન ઉપર જેમનો કબ્‍જો છે એમના ઉપર ફોરેસ્‍ટ વિભાગ દ્વારા કરાતી એફ.આઈ.આર.ના મુદ્દે આદિવાસી જંગલ જનજીવન આંદોલન દ્વારા અસ્‍મિતા રેલી અને સભાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં મોટી સંખ્‍યામાં આદિવાસી સમુદાયના લોકો જોડાયા હતા.

Related posts

‘વિશ્વાસથી વિકાસ યાત્રા’ અંતર્ગત ચીખલી પ્રાંતમાં આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ દ્વારા રૂા. 17.29 કરોડના પ્રકલ્‍પોની ભેટ

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ ઓફ પારડી પર્લ દ્વારા સેવાકીય કાર્યક્રમોની ત્રિવેણી વહેતી કરાઈ

vartmanpravah

રાષ્‍ટ્રીય ભાજપ ઓબીસી મોર્ચાના કોષાધ્‍યક્ષ ગજેન્‍દ્ર યાદવની ઉપસ્‍થિતિમાં દાનહ અને દમણ-દીવ ભાજપ ઓબીસી મોર્ચાએ મહાત્‍મા જ્‍યોતિબા ફૂલેને એક અલગ અંદાજમાં પાઠવેલી શ્રદ્ધાંજલિ

vartmanpravah

વલસાડ ડી.એસ.પી. કચેરી સામે ખુલ્લા મેદાનમાં રાતે આગ લાગતા દોડધામ મચી

vartmanpravah

દમણવાડાની સરકારી બાળ ગંગાધર ટિળક વિદ્યાલયના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો યોજાયેલો વિદાય સમારંભ

vartmanpravah

દાનહના બાલદેવી ખાતે ‘પ્રધાનમંત્રી આવાસ યોજના(શહેરી)’ના 704 લાભાર્થીઓને કરાવેલો ગૃહપ્રવેશ મોદી સરકારની રાજનીતિ સમાજ અને પ્રજાના કલ્‍યાણ માટેઃ કેન્‍દ્રિય આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા

vartmanpravah

Leave a Comment