July 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ વન વિભાગ દ્વારા ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિત્તે પીપરિયા વન વિભાગ કચેરી સામેની ખુલ્લી જગ્‍યામાં કરેલું વૃક્ષારોપણ: લીમડો, મહૂડો, વડ, ગુલમહોર, પીપળો જેવા 135 જેટલા છોડોનું કરેલું વાવેતર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.05: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના વન વિભાગ દ્વારા ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિત્તે વૃક્ષારોપણ કરાયું હતું. દાનહમાં ખાલી પડતર જમીનમાં વૃક્ષોના છોડ વાવવાની પહેલ વન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. જેમાં પીપરિયા ખાતે વનવિભાગની કચેરી સામે આવેલી ખુલી જગ્‍યામાં ખાસ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે વનવિભાગના અધિકારી, કર્મચારી સહિત પીપરીયા ઇન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના પ્રતિનિધિઓ દ્વારા લીમડો, મહૂડો, વડ, ગુલમહોર પીપળો જેવા 135 જેટલા છોડોનું વૃક્ષારોપણ કરવામાં આવ્‍યુંહતું.
આ ઉપરાંત ચોમાસાના વરસાદનો પ્રારંભ થતાં જ દાનહ વનવિભાગ દ્વારા સંઘપ્રદેશને લીલુંછમ બનાવવા માટે વૃક્ષારોપણ કરવામાં આવશે. આ વર્ષે વન વિભાગ દ્વારા 500 હેક્‍ટરમાં આશરે 8 લાખ જેટલા છોડવાઓ રોપવાનું લક્ષ્ય રાખવામાં આવ્‍યું છે. આ કાર્યક્રમમાં વનવિભાગના એ.સી.એફ. શ્રી વિજય પટેલ, આર.એફ.ઓ. શ્રી કિરણસિંહ પરમાર, અન્‍ય વન અધિકારી કર્મચારીઓ તેમજ પીપરીયા ઇન્‍ડસ્‍ટ્રીયલ એસ્‍ટેટની કંપનીઓના કામદારો-કર્મચારીઓ જોડાયા હતા.

Related posts

વાપી ગુજરાતના 29 વિદ્યાર્થીઓને બ્‍લેક બેલ્‍ટ એનાયત કરાયા

vartmanpravah

ધરમપુર બારોલીયામાં કાર્યરત નિવાસી શાળામાં ચાલતી ગેરરીતીઓ અંગે પોલીસમાં રાવ કરાઈ

vartmanpravah

સરીગામ ખાતે ત્રિરંગા રેલી યોજાઈ

vartmanpravah

દાનહના સાંસદ કલાબેન ડેલકરે ટોરેન્‍ટ પાવર દ્વારા દાનહ સહિત પ્રદેશમાં વીજ દરમાં કરેલા વધારા સામે દેશના ગૃહમંત્રી અને ઊર્જામંત્રીને કરેલી રજૂઆત

vartmanpravah

દમણ કોસ્‍ટ ગાર્ડના બદલી થયેલા ડી.આઈ.જી. અતુલ દાંડેકરે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત : સ્‍મૃતિ ભેટ આપીપ્રશાસકશ્રીનું કરેલું અભિવાદન

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અને આરોગ્‍ય સચિવ ડો.એ. મુથમ્‍માની સલાહ પર દમણની પોલીકેબ ઈન્‍ડિયા લિ. કંપનીએ પ્રશાસનના સહયોગથી સીએસઆર હેઠળ પોષણ કીટનું કરેલું વિતરણ

vartmanpravah

Leave a Comment