October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

એસ.એમ.એસ.એમ. હાઈસ્‍કૂલ ગીતાબેન રાકેશકુમાર શાહ શૈક્ષણિક સંકુલમાં એસ.કે. ભવન ઉદ્દઘાટન સમારોહ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.11: દાનવીર શ્રેષ્‍ઠીવર્યશ્રી રાકેશકુમાર કાંતિલાલ શાહના દાનથી શાળામાં નવનિર્મિત એસ.કે. ભવનના ઉદ્દઘાટન પ્રસંગે ઉદ્દઘાટક તરીકે શ્રેષ્‍ઠીવર્ય ભરતભાઈ એન. શાહ (મુંબઈ) તથા શ્રેષ્‍ઠીવર્ય રાકેશકુમાર કે. શાહ (મુંબઈ) હાજર રહ્યા હતા. તથા અન્‍ય મહેમાનો પ્રફુલ્લાબેન, પન્નાબેન તથા સુલેખાબેન પણ ઉપસ્‍થિત રહ્યા હતા. કેળવણી મંડળના પ્રમુખ જીવણભાઈ આહિર, ધારાસભ્‍ય અરવિંદભાઈ પટેલ, સમગ્ર ટ્રસ્‍ટીગણ તથા શાળાના સ્‍ટાફની હાજરીમાં એસ.કે. ભવનનું ઉદ્દઘાટન ભરતભાઈ એન. શાહ અને રાકેશકુમાર કે. શાહના વરદહસ્‍તે કરવામાં આવ્‍યું હતું. મહેમાનોનું શાબ્‍દિક સ્‍વાગત તથા આભારવિધિ શાળાના આચાર્ય દિપકકુમાર આર. પટેલે કરી હતી તથા સમગ્ર કાર્યક્રમનું સંચાલન નરેન્‍દ્રસિંહ ચાવડા અને પ્રકાશભાઈ પરમારે કર્યું હતું.

Related posts

વાપી રેલવે સ્‍ટેશનમાં પ્રતિબંધિત 6.30 લાખના 25 પાર્સલ ગુટખાના ઝડપાયા : જથ્‍થો માઉથ ફેસનર નામે બુક થયેલ

vartmanpravah

વાપી ચંડોરના મહિલા સરપંચ અને પતિ ફલેટ આકારણી પેટે 1 લાખની લાંચ લેતા ઝડપાયા

vartmanpravah

ઉમરગામ તાલુકામાં કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલે તેજ કરેલું પ્રચાર અભિયાન

vartmanpravah

આગામી 24 કલાકમાં જિલ્લામાં ભારે વરસાદની આગાહી: વાપી સહિત વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્‍યો

vartmanpravah

આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષમાં આયોજીત મહિલા ગ્રામસભા : દમણવાડા ગ્રા.પં. દ્વારા મહિલાઓને આત્‍મનિર્ભર બનાવવા માટે થનારી ડ્રાઈવિંગ શીખવા માટેની પહેલ

vartmanpravah

સેલવાસનો યુવાન નદીમા ન્‍હાવા જતા ડુબી જતા મોત (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.31 સેલવાસનો યુવાન એના મિત્રો સાથે દમણગંગા નદીમા ન્‍હાવા ગયો હતો. તે સમયે ડુબી જતા એનું મોત થયુ હતુ. પ્રાપ્ત વિગત અનુસાર શ્રી અજય પંકજ શર્મા ઉ.વ.22 રહેવાસી પાતલિયા ફળિયા જે બપોરના સમયે ગરમી હોવાને કારણે એના મિત્રો સાથે સર્કીટ હાઉસની આગળ દમણગંગા નદીમાં નહાવા માટે એના મિત્રો સાથે નીકળ્‍યો હતો. પરંતુ તે એના મિત્રો કરતા આગળ જ નદી કિનારે પોહચી ગયો હતો અનેનદીમાં કુદી પડયો હતો. પાછળ આવેલ એમના મિત્રોએ એને નદીમા ડુબતો જોઈને તેઓ પણ બચાવવાનો પ્રયાસ કર્યો હતો પણ બચી શકયો ના હતો. આ ઘટના અંગે ફાયર વિભાગ અને પોલીસની ટીમને જાણ કરતા તાત્‍કાલિક ઘટના સ્‍થળે પહોંચી હતી અને ફાયરવિભાગની ટીમે અજયની લાશને શોધી નદીમાંથી બહાર કાઢવામા આવ્‍યો હતો. ત્‍યારબાદ લાશને પીએમ માટે વિનોબાભાવે સિવિલ હોસ્‍પિટલમાં લઈ જવામા આવી હતી.

vartmanpravah

Leave a Comment